શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો વિરૂદ્ધ આતંકી હુમલા રોકાવાનું નામ નથી લઇ રહ્યા. શોપિયાંમાં ફરી એક વખત આવી જ ઘટના સામે આવી છે જ્યારે આતંકીઓએ એક કાશ્મીરી પંડિતની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. અધિકારીઓએ આ જાણકારી આપી છે. છેલ્લા કેટલાક મહિનામાં કાશ્મીરી પંડિતો અને દેશના અન્ય વિસ્તારમાં રોજગારની શોધમાં કાશ્મીર ઘાટી પહોચનારા લોકો વિરૂદ્ધ સતત આતંકી હુમલા થઇ રહ્યા છે, જેમાં કેટલાક લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. તે બાદથી જ કાશ્મીરી પંડિતોમાં ડરનો માહોલ છે.
Advertisement
Advertisement
અધિકારીઓ અનુસાર, શોપિયાંમાં આતંકીઓએ પૂરન કૃષ્ણ ભટ નામના વ્યક્તિને ગોળી મારી હતી. અધિકારીઓએ જણાવ્યુ કે ગંભીર રીતે ઘાયલ પૂરન કૃષ્ણ ભટને શોપિયાં હૉસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન તેનું નિધન થયુ હતુ. પૂરન કૃષ્ણ ભટ પર દક્ષિણ કાશ્મીર જિલ્લાના ચૌધરી ગુંડ વિસ્તારમાં તેના ઘર નજીક હુમલો કરવામાં આવ્યો હતો.
આતંકીઓને પકડવા માટે સુરક્ષાદળોએ આખા વિસ્તારને ઘેરી લીધો છે અને તપાસ અભિયાન ચાલી રહ્યુ છે.
Advertisement