માનવાધિકાર કાર્યકરોનું કહેવું છે કે જાહેર દફનવિધિ દરમિયાન હિંસા ટાળવા માટે ઈરાની સુરક્ષા દળો સામે અથડામણમાં માર્યા ગયેલા પ્રદર્શનકારીઓના મૃતદેહોને ગુપ્ત રીતે દફનાવી રહ્યા છે.
Advertisement
Advertisement
નોર્વે સ્થિત હેન્ગો માનવાધિકાર જૂથનું કહેવું છે કે તાજેતરનો કેસ શુક્રવારે રાત્રે ઉત્તર પશ્ચિમ ઈરાનના બુખાનમાં પ્રકાશમાં આવ્યો છે.
એક પ્રદર્શનકારીના મોત પછી પરિવારના દફનવિધી કરે તે પહેલા જ રિવોલ્યુશનરી ગાર્ડ્સે ગોળીબાર કર્યો અને હોસ્પિટલમાંથી મૃતદેહનો કબજો લીધો અને તેને ગુપ્ત રીતે દફનાવી દેવામાં આવ્યો.
ગોળીબારમાં માર્યા ગયેલા પ્રદર્શનકારીના પરિવારના પાંચ સભ્યો ઘાયલ થયા હતા.
હેન્ગોનું કહેવું છે કે પોલીસ કસ્ટડીમાં મહસા અમીનીના મૃત્યુ બાદ સપ્ટેમ્બરમાં શરૂ થયેલા વિરોધ પ્રદર્શનમાં 350થી વધુ લોકો માર્યા ગયા છે.
Advertisement