નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેંક સાથે છેતરપિંડી કરીને ભારતમાંથી ફરાર થઈ ગયેલા મેહુલ ચોકસીને મોટી રાહત મળી છે. ઈન્ટરપોલે તેનું નામ રેડ કોર્નર નોટિસમાંથી હટાવી દીધું છે, જેથી તે વિદેશ જઈ શકે છે. ઈન્ટરપોલની આ કાર્યવાહીથી ભાગેડુ ચોકસીને ભારત લાવવાના પ્રયાસોને મોટો ફટકો પડ્યો છે. રેડ કોર્નર નોટિસમાંથી તેનું નામ હટાવવામાં આવ્યા બાદ રાજકીય નિવેદનબાજી વધી ગઈ છે. કોંગ્રેસે આ મામલે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.
Advertisement
Advertisement
ખડગેએ કેન્દ્રની મોદી સરકાર પર સાધ્યું નિશાન
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ આ મામલે કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધતાં કહ્યું કે મેહુલ ચોક્સી જેવા લોકોને રક્ષણ આપનારા લોકો દેશભક્તિની વાત કરે તે એક મજાક છે.
તે ઉપરાંત રાહુલ દ્વારા માફી માંગવાની બાબતે તેમણે કહ્યું કે માફી માંગવાનો કોઈ સવાલ જ નથી. તેઓ પૂછતા રહેશે, અમે તેનો ઇનકાર કરતા રહીશું. મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવા માટે ભાજપા આવું કરી રહી છે. આપણા હાઈ કમિશન પર હુમલા થઈ રહ્યા છે. તેના વિશે કોઈ વાત કરતું નથી.
નાના પટોલેએ શું કહ્યું ?
મેહુલ ચોક્સીનું નામ ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસમાંથી હટાવવાના મામલે મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે અદાણી અને મોદીજી વચ્ચે શું સંબંધ છે? રાહુલ ગાંધીના આ સવાલ પર તેમને પરેશાન કરવામાં આવી રહ્યા છે. સરકારે જાણી જોઈને આમ કર્યું છે. મેહુલ ચોક્સી મોદીજીના મિત્ર છે. ડાકુઓને બચાવવા અને સંન્યાસીઓને જેલમાં ધકેલી દેવા એ જ ભાજપાની નીતિ છે. પોતાના હોદ્દાનો કેવી રીતે દુરુપયોગ કરવો તેના વિશે મોદીજીએ ઘણી વખત કહ્યું છે.
2018માં ભારતથી ફરાર થયો હતો મેહુલ ચોક્સી
અત્રે ઉલ્લેખનીય છે કે, 2018માં ભારતથી નાસી છૂટતાં પહેલાં ચોક્સીએ 2017માં કેરેબિયન ટાપુના એન્ટિગુઆ અને બાર્બુડા દેશનું નાગરિકત્વ મેળવ્યું હતું. ચોક્સી પર પંજાબ નેશનલ બેંકના કેટલાક અધિકારીઓ સાથે મળીને રૂ.13,500 કરોડની છેતરપિંડી કરવાનો આરોપ છે. હવે જાણવા મળી રહ્યું છે કે ભાગેડુ મેહુલ ચોક્સીનું નામ ‘રેડ’ નોટિસ લિસ્ટમાંથી હટાવી દેવામાં આવ્યું છે.
Advertisement