મધ્યપ્રદેશના ઈન્દૌરમાં રામનવમીના દિવસે બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિરમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. છત તૂટી પડતાં 25થી વધુ
લોકો કૂવામાં પડી ગયા હતા. જણાવાઈ રહ્યું છે કે, અત્યાર સુધીમાં 20 લોકોને બચાવી લેવાયા છે. આ અકસ્માતમાં અત્યાર
સુધીમાં 13 લોકોના મોત થયા છે. દુર્ઘટના બાદ જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને
બચાવ કાર્ય ચલાવી રહ્યા છે.
આ અંગે માહિતી આપતા જિલ્લા કલેક્ટર ઈલૈયા રાજા ટીએસે જણાવ્યું કે, બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિરમાં કુવા પાસે પૂજા માટે લોકો એકઠા થયા હતા, પરંતુ વધુ વજનના કારણે કૂવો ધસી પડ્યો હતો અને 25 લોકો પડી ગયા હતા. 15 લોકોને બચાવી લેવાયા છે અને 4થી 5 લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. SDRFની ટીમ ઘટનાસ્થળે હાજર છે, બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
ઘટના અંગે શૌક વ્યક્ત કરતા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે તેમણે આ ઘટનાની તપાસ કરવાના નિર્દેશ આપ્યા છે. મૃતકોના પરિજનોને 5-5 લાખ રુપિયા અને ઘાયલોને 50 હજાર રુપિયા અપાશે.
બીજી તરફ મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ જણાવ્યું કે બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિરમાં થયેલા અકસ્માતમાં અત્યાર સુધીમાં 19 લોકોને બચાવી લેવાયા છે. મંદિરમાંથી અત્યાર સુધીમાં 11 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, જેમાં 10 મહિલાઓ અને 1 પુરુષ છે. બચાવાયેલા 19 લોકોમાંથી 2ના મોત પણ થયા છે. કુલ 13ના મોત થયા છે. ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
Advertisement
Advertisement
Advertisement