1973માં વાઘના સંવર્ધન માટે શરુ કરવામાં આવેલા પ્રોજેક્ટ ટાઈગરને પચાસ વર્ષ પૂરા થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાંદીપુર ટાઈગર રિઝર્વની મુલાકાત લીધી હતી. ભારત હવે 3167 વાઘની વસ્તી ધરાવતો દેશ છે. આ સાથે નરેન્દ્ર મોદીએ મૈસૂરમાં ઈન્ટરનેશનલ બીગ કેટ્સ એલાયન્સની સ્થાપના કરી હતી અને જણાવ્યું હતું કે ભારત હવે વાઘ, સિંહ, દીપડો, સ્નો લેપર્ડ, પુમા, જેગુઆર અને ચિત્તાનું વૈશ્વિક કક્ષાએ સંવર્ધન કરવા માટે આ એલાયન્સની સ્થાપન કરી રહ્યું છે.
Advertisement
Advertisement
સ્થાનિક લોકોના સહકાર વિના આ શક્ય નથી એ વાત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જણાવ્યું હતું કે પ્રવાસનને મહત્ત્વ આપવાથી અને સ્થાનિક લોકોનેે જોડવાથી આ સંવર્ધન શક્ય બની શક્યું.
અત્યાર સુધી ભારતે વાઘ અને સિંહની સંખ્યા વધારીને આ બે મોટા બિલાડી કૂળના પ્રાણીઓનું સંવર્ધન કર્યું છે. પરંતુ હવે વાઘ પછી વિશ્વની સાત બિલાડીકૂળના મોટા પ્રાણીઓ જેવા કે વાઘ, સિંહ, દીપડો, સ્નો લેપર્ડ, પુમા, જેગુઆર અને ચિત્તાનું જે દેશોમાં છે તે દેશો આ એલાયન્સનો ભાગ બનશે અને સંવર્ધન કરવાનું કામ થવા જઈ રહ્યું છે. ભારત આ બધી જાતિઓને વિલુપ્ત થતા બચાવશે,
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વન અધિકારીઓને વાત કરતાં જણાવ્યું હતું કે પહેલાં તો આપણે વાઘને સન્માન આપીને સ્ટેન્ડિંગ ઓવેશન આપીએ. ભારતે માત્ર વાઘને બચાવવાનું જ કામ નથી કર્યું પરંતુ તેને વિક્સિત થવાની સિસ્ટમ આપી છે. આજે દુનિયાની 75 ટકા વાઘની વસ્તી ભારતમાં જ છે.
Advertisement