નવી દિલ્હી: ભારતમાં BBCની ઓફિસમાં ઇન્કમટેક્સ સર્વે ચાલી રહ્યો છે. ઇન્કમટેક્સની ટીમ બીબીસી ઓફિસ પહોચ્યા બાદ સતત રાજકીય પક્ષો તરફથી નિવેદન આવી રહ્યા છે. હવે આ ઘટનાને લઇને BBCની પ્રતિક્રિયા આવી છે. BBCએ ટ્વીટ કરીને કહ્યુ કે ઇન્કમટેક્સ અધિકારી આ સમયે નવી દિલ્હી અને મુંબઇમાં બીબીસીની ઓફિસમાં છે. અમે પુરો સહયોગ કરી રહ્યા છીએ. અમે આશા કરીએ છીએ કે આ સ્થિતિ જલ્દી હલ થશે.
Advertisement
Advertisement
દિલ્હીમાં બીબીસીની ઓફિસ પર ઇન્કમટેક્સની રેડ પડી છે. બીબીસી ઓફિસમાં આવેલા કર્મચારીઓના ફોન આયકર વિભાગે જપ્ત કર્યા છે. બીબીસી ઓફિસમાં તમામ એન્ટ્રી બંધ કરી દેવામાં આવી છે. જોકે, આ સર્વે અંગે હજુ સુધી કોઇ ઓફિશિયલ નિવેદન સામે આવ્યું નથી. કહેવામાં આવે છે કે આયકર વિભાગના કર્મચારી બીબીસી ઓફિસમાં સર્વે કરી રહ્યા છે. આ વચ્ચે કોંગ્રેસે ઇન્કમટેક્સની કાર્યવાહીને અઘોષિત ઇમરજન્સી ગણાવી છે.
બીબીસીના કેજી માર્ગ રોડ પર ભારતીય ઓફિસમાં રેડ ચાલી રહી છે. સૂત્રોએ કહ્યુ કે ત્યા કામ કરી રહેલા કર્ચારીઓને ઘરે જવા માટે કહેવામાં આવ્યું છે. આયકર વિભાગે ત્યા કામ કરી રહેલા કર્મચારીઓને એમ પણ કહ્યુ છે કે તમે ફોનનો ઉપયોગ નથી કરી શકતા.
કોંગ્રેસના હેન્ડલથી ટ્વીટ કરીને કહેવામાં આવ્યુ, પહેલા બીબીસીની ડૉક્યૂમેન્ટરી આવી, તેને બેન કરવામાં આવી. હવે બીબીસી પર આઇટીની રેડ પાડવામાં આવી છે, અઘોષિત ઇમરજન્સી. કોંગ્રેસ નેતા જયરામ રમેશે બીબીસી પર આયકર વિભાગની કાર્યવાહી પર કહ્યુ કે અહી અમે અદાણી કેસમાં જેપીસીની માંગ કરી રહ્યા છીએ અને ત્યા સરકાર બીબીસી પાછળ પડી ગઇ છે.
पहले BBC की डॉक्यूमेंट्री आई, उसे बैन किया गया।
अब BBC पर IT का छापा पड़ गया है।
अघोषित आपातकाल
— Congress (@INCIndia) February 14, 2023
મહત્વપૂર્ણ છે કે પીએમ નરેન્દ્ર મોદી પર બીબીસીએ ગુજરાત રમખાણ પર એક ડૉક્યૂમેન્ટરી રિલીઝ કરી હતી. આ ડૉક્યૂમેન્ટરી પર કેન્દ્ર સરકારે કેટલાક દિવસ પહેલા રોક લગાવી હતી. India: The Modi Questionને સોશિયલ મીડિયાના તમામ પ્લેટફૉર્મ પરથી બેન કરવાનો આદેશ આપ્યો હતો. ઇન્કમટેક્સ વિભાગની કાર્યવાહીને તેની સાથે પણ જોડીને જોવામાં આવી રહી છે.
મહત્વપૂર્ણ છે કે પીએમ નરેન્દ્ર મોદી પર બીબીસીએ ગુજરાત રમખાણ પર એક ડૉક્યૂમેન્ટરી રિલીઝ કરી હતી. આ ડૉક્યૂમેન્ટરી પર કેન્દ્ર સરકારે કેટલાક દિવસ પહેલા રોક લગાવી હતી. India: The Modi Questionને સોશિયલ મીડિયાના તમામ પ્લેટફૉર્મ પરથી બેન કરવાનો આદેશ આપ્યો હતો. ઇન્કમટેક્સ વિભાગની કાર્યવાહીને તેની સાથે પણ જોડીને જોવામાં આવી રહી છે.
BBCની રેડ પર ભાજપે શું કહ્યું?
ગૌરવ ભાટિયાએ કહ્યુ, આજે કોઇ પણ કંપની હોય, મીડિયા સંસ્થા હોય કે કઇ પણ..જો ભારતમાં કામ કરી રહી છે તો તેને ભારતના કાયદા અનુસાર કામ કરવુ પડશે. જો કંપની યોગ્ય રીતે કામ કરી રહી છે તો ડર કેવો..આયકર વિભાગને પોતાનું કામ કરવા દેવુ જોઇએ. દૂધનું દૂધ અને પાણીનું પાણી થવુ જોઇએ.
ભાજપના નેતાએ વધુમાં કહ્યુ, BBCનો પ્રોપગેન્ડા અને કોંગ્રેસનો એજન્ડા એક સાથે કામ કરી રહ્યો છે. BBCનો ઇતિહાસ ભારતને કલંકિત કરનારો રહ્યો છે. ઇન્દિરા ગાંધીએ BBC પર બેન લગાવ્યો હતો. BBCએ પોતાની રિપોર્ટિંગ દરમિયાન કાશ્મીરમાં આતંકવાદીઓને કરિશ્માઇ યુવા ગણાવ્યા હતા. BBCએ હોળીના તહેવાર પર પણ ટિપ્પણી કરી હતી. આટલુ જ નહી BBCએ મહાત્મા ગાંધી પર પણ ટિપ્પણી કરી હતી.
Advertisement