Vijay Mallya lawyer tells Supreme Court: ભાગેડૂ વિજય માલ્યાના વકીલે તેમનો કેસ લડવાથી ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન વકીલ ઈસી અગ્રવાલે કહ્યું કે, માલ્યાનો કંઇ જ અત્તો-પત્તો નથી અને કોઈ સંપર્ક થઇ શકી રહ્યો નથી. તેવામાં તેમનો કેસ લડવો સંભવ નથી. જસ્ટિસ ડી વાઇ ચંદ્રચૂડ અને જસ્ટિસ હેમા કોહલીની પીઠે વકીલ ઈસી અગ્રવાલને કહ્યું કે, હું આ બાબતે ડિસ્ચાર્જ થવા માંગુ છું. મને આ વ્યક્તિ પાસેથી કોઈ જ નિર્દેશ મળી રહ્યાં નથી.
Advertisement
Advertisement
બેન્ચે ભારતીય સ્ટેટ બેંક સાથે મૌદ્રિક વિવાદના સંબંધમાં માલ્યા દ્વારા દાખલ બે વિશેષ અનુમતિ અરજીઓ પર વિચાર કરી રહી હતી. પીઠે વકીલને કેસ બાબતે ડિસ્ચાર્જ કરવાની પ્રક્રિયાનું પાલન કરવાની અનુમતિ આપી અને તેને અદાલતની રજિસ્ટ્રીને માલ્યાના ઈ-મેલ આઈડી અને વર્તમાન એડ્રેસ અંગે માહિતી આપવાનું કહ્યું.
જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે જૂલાઈમાં વિજય માલ્યાના આદેશોનું ઉલ્લંઘન અને કોર્ટની અવમાનના કરવાના આરોપમાં ચાર મહિના કેસની સજા સંભળાવવામાં આવી હતી.
અદાલતે સરકારી અધિકારીઓેને ભારતમાં માલ્યાની હાજરી સુનિશ્ચિત કરવા માટે પગલા ભરવાના નિર્દેશ આપ્યા છે. તે બાબતે પણ માલ્યાના વકીલને ડિસ્ચાર્જ આપવાની અનુમતિ આપવામાં આવી હતી અને અદાલતે એક એમિક્સ ક્યૂરીની નિયુક્ત કર્યો, કેમ કે માલ્યા પેશ થયા નહતા. ભારત સરકારના કહેવા પર બ્રિટનમાં પ્રત્યાર્પણની કાર્યવાહીનો સામનો કરી રહેલા માલ્યાને અવમાનના કેસમાં સજા કાપવા માટે ભારતમાં પેશ થવું બાકી છે.
Advertisement