ઉત્તરપ્રદેશના અયોધ્યામાં રામમંદિરના નિર્માણમાં વપરાશ માટે સાગનું લાકડું મહારાષ્ટ્રના ચંદ્રપુરથી મોકલવામાં આવશે. આ માટે 29મીએ કાષ્ઠ પૂજન કાર્યક્રમ યોજાશે. મહારાષ્ટ્રના મંત્રીઓ ઉપરાંત ઉત્તરપ્રદેશના મંત્રીઓ તથા ભાજપના કાર્યકરો અને વિશાળ જનમેદની આ કાર્યક્રમમાં હાજર રહેનાર છે.
ચંદ્રપુરના બલ્લારસહા ડેપોમાંથી શ્રી રામ મંદિરના નિર્માણ માટે સાગના લાકડાનો માલ અયોધ્યા મોકલાશે.
અયોધ્યામાં શ્રી રામ મંદિરના નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. રામ મંદિરનું લગભગ 70 ટકા બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. મંદિરનું ગર્ભગૃહ પણ આકાર લેતું જોવા મળે છે.
Advertisement
Advertisement
ચંદ્રપુરના સાગનું લાકડું જ કેમ?
ચંદ્રપુર એ મહારાષ્ટ્રની પૂર્વમાં સ્થિત છે. જંગલો અને વાઘ આ પ્રદેશની ઓળખે છે. અહીં ગોંડકાલીન પ્રાચીન ઐતિહાસિક ધરોહર છે. મહાકાલી દેવી, અંચલેશ્વર મંદિર જે 550 વર્ષ પ્રાચીન ગોંડ રાજાઓ દ્વારા નિર્મિત છે. અહીં પ્રાચીન કિલ્લાઓ પણ આવેલા છે. ચંદ્રપુર જિલ્લો છે. ચંદ્રપુરના જંગલોમાંથી મળતું સાગનું લાકડું ભારતભરમાં જાણીતું છે અને તેને પ્રીમિયર કેટેગરીમાં સ્થાન આપવામાં આવ્યું છે. શ્રી રામ મંદિરના નિર્માણમાં 1800 ક્યુબિક મિટર લાકડાનો ઉપયોગ થનાર છે જે તમામ લાકડું ચંદ્રપુરથી મોકલાશે.
Advertisement