દહેરાદૂન: સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડના હલદાનીમાં 50 હજાર લોકોને રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના તે આદેશ પર સ્ટે મુકી દીધો છે જેમાં રેલ્વેને સાત દિવસમાં અતિક્રમણ હટાવવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે 7 દિવસમાં અતિક્રમણ હટાવવાનો નિર્ણય યોગ્ય નથી. સુનાવણી દરમિયાન જસ્ટિસ સંજય કૌલે કહ્યુ કે આ ઘટનાને માનવીય નજરિયાથી જોવી જોઇએ. જસ્ટિસ કૌલે કહ્યુ કે આ મામલે સમાધાનની જરૂર છે.
Advertisement
Advertisement
હલદાની જમીન અતિક્રમણ મામલે સુપ્રીમ કોર્ટના જજે કહ્યુ, “અમે રેલ્વે અને રાજ્ય સરકારને નોટિસ આપી રહ્યા છીએ. ત્યા વધુ કબજા પર રોક લાગે. અમે હાઇકોર્ટના આદેશ પર રોક લગાવી રહ્યા છીએ.”
સુનાવણી કરતા જસ્ટિસ કૌલે પૂછ્યુ કે ઉત્તરાખંડ સરકારના વકીલ કોણ છે? કેટલી જમીન રેલ્વેની છે, કેટલી રાજ્યની છે? શું ત્યા રહેતા લોકોનો દાવો પેન્ડિંગ છે? જજે આગળ કહ્યુ, “તેમનો દાવો છે કે તે ત્યા વર્ષોથી રહે છે. આ બરાબર છે કે તે જગ્યાને વિકસિત કરવાની છે પરંતુ તેમનું પુનર્વાસ થવુ જોઇએ.”
શું છે હાઇકોર્ટનો આદેશ?
ગત વર્ષે 20 ડિસેમ્બરે નૈનીતાલ હાઇકોર્ટની બેંચે રેલ્વેના આદેશમાં કહ્યુ કે તે જમીનો ખાલી કરવા માટે એક અઠવાડિયાનો સમય આપ્યા બાદ ખોટી રીતે કબજો જમાવી રાખનારાઓને હટાવવા માટે કોઇ પણ હદ સુધી બળનો ઉપયોગ કરી શકે છે.
રેલ્વેની જમીન પર વસેલા છે 4 હજાર પરિવાર
હલદાનીમાં જે જમીનને લઇને વિવાદ થઇ રહ્યો છે તેની પર ચાર હજાર પરિવાર વસેલા છે. રેલ્વેનું કહેવુ છે કે તેમની પાસે જૂના નકશા અને રેવન્યૂ રેકોર્ડ છે, જે જમીન પર તેમનો દાવો સાબિત કરે છે. જોકે, વિરોધ કરી રહેલા લોકોનો દાવો છે કે તે અહી પેઢીઓથી રહે છે.
2.2 કિલોમીટરમાં ફેલાયો છે વિસ્તાર
ઉત્તરાખંડના હલદાનીમાં આ વિવાદિત વિસ્તાર 2.2 કિલોમીટરમાં ફેલાયેલો છે. આ વિસ્તારમાં ગફૂર વસ્તી, ઢોલક વસ્તી અને ઇન્દિરા નગર વસેલા છે. આ ત્રણેય વિસ્તાર હલદાનીના બનભૂલપુરા એરિયાનો ભાગ છે. અહી ત્રણ સરકારી સ્કૂલ, 11 પ્રાઇવેટ સ્કૂલ, 10 મસ્જિદ, 12 મદ્રસા, એક પબ્લિક હેલ્થ સેન્ટર અને એક મંદિર છે.
Advertisement