પટણા: બિહારના મુખ્યમંત્રી અને જનતા દળ યૂનાઈટેડના સર્વોચ્ચ નેતા નીતીશ કુમારે કહ્યું કે જો કેન્દ્રમાં સત્તા બદલાશે તો બિહાર સહિત બધા પછાત રાજ્યોને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે. પટણાના સંવાદ ભવનમાં મુખ્યમંત્રી ગ્રામીણ સોલર સ્ટ્રીટ લાઈટ યોજનાના શુભારંભ કાર્યક્રમમાં તેમણે કહ્યું કે તેઓ અને તેમની પાર્ટી હંમેશાથી બિહારને વિશેષ દરજ્જો આપવની માંગ કરતા રહ્યાં છે.
Advertisement
Advertisement
નીતિશ કુમારે કહ્યું કે જ્યારે વડાપ્રધાન પટણા આવ્યા હતા, ત્યારે પણ તેમને બિહારને વિશેષ દરજ્જો આપવાની માંગ કરી હતી પરંતુ પીએમે એવું કર્યું નહીં. મુખ્યમંત્રીએ કહ્યું કે, જો બિહારને વિશેષ દરજ્જો આપી દેવામાં આવ્યો હોત તો રાજ્યનો વધારે વિકાસ થયો હોત. નીતિશે કહ્યું કે તેમની સરકાર રાજ્યના વિકાસ માટે હંમેશા પ્રયત્નશીલ રહી છે. તેમને પીએમ મોદી પર કટાક્ષ કરતાં કહ્યું કે તેમની સરકાર કામ કરે છે, તેનો પ્રચાર નહીં.
આ પણ વાંચો- બીજેપીના સ્ટિંગની તપાસ કરે સીબીઆઈ, નહીં તો PM માંગે માફી- મનીષ સિસોદિયા
જ્યારે પત્રકારોએ તેમને પૂછ્યું કે શું કેન્દ્રમાં ત્રીજો મોરચો અથવા અલગ નવો ફ્રન્ટ, જેના માટે વિપક્ષી પાર્ટીઓ કોશિશ કરી રહી છે અને જો તેની સરકાર બને છે તો બિહાર સબિત અન્ય પછાત રાજ્યોને પણ સ્પેશ્યલ સ્ટેટનું સ્ટેટસ મળી શકે છે? તો આ પ્રશ્ન પણ તેમને સ્પષ્ટ રીતે કહ્યું કે, જો દિલ્હીમાં સરકાર બદલાય છે તો માત્ર બિહાર જ નહીં પરંતુ બધા જ પછાત રાજ્યોને વિશેષ દરજ્જો કેમ નહીં મળે?
Advertisement