અલ્હાબાદ હાઈકોર્ટે એક કેસમાં નિર્ણય સંભળાતા કહ્યું છે કે કોઈ મુસ્લિમ વ્યક્તિ જો પોતાની પ્રથમ પત્ની અને બાળકોનું વ્યવસ્થિત રીતે ખ્યાલ રાખી શકતો નથી તો તે બીજા લગ્ન કરી શકતો નથી.
Advertisement
Advertisement
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર જસ્ટિસ સૂર્ય પ્રકાશ કેસવાની અને જસ્ટિસ રાજેન્દ્ર કુમારની બેન્ચે પરિવાર ન્યાયાલય અધિનિયમ હેઠળ દાખલ કરેલી એક અપીલ પર આદેશ આપતી વખતે આ વાત કહી હતી.
હાઈકોર્ટે કહ્યું કે, જો કોઈ મુસલમાન પોતાની પત્ની અને બાળકોનું વ્યવસ્થિત ભરણપોષણ કરવામાં સક્ષમ નથી તો કુરાન અનુસાર તે બીજી મહિલા સાથે લગ્ન કરી શકતો નથી.
જોકે, કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, મુસ્લિમ વ્યક્તિને પ્રથમ પત્ની હોવા છતાં બીજા લગ્ન કરવાના કાનૂન અનુસાર અધિકાર છે.
કોર્ટે પોતાના નિર્ણયમાં તે પણ કહ્યું કે, એક મુસ્લિમ વ્યક્તિ જેને પોતાની પ્રથમ પત્નીની ઈચ્છા વિરૂદ્ધ બીજા લગ્ન કર્યા છે, તો પહેલી પત્નીને તેના સાથે રહેવા માટે મજબૂર કરી શકે નહીં અને તેના માટે સિવિલ કોર્ટ પાસે રાહતની માંગ કરી શકે નહીં.
બેન્ચ અનુસાર કુરાનની સૂરા 4 આયત 3નો ધાર્મિક આદેશ મુસ્લિમ પુરૂષો પર લાગુ થાય છે. તેમાં કહેવામાં આવ્યું છે કે એક મુસ્લિમ પુરૂષ પોતાની પસંદથી ચાર મહિલાઓ સાથે લગ્ન કરી શકે છે પરંતુ તેને ડર છે કે તે તેમના સાથે ન્યાય કરી શકશે નહીં તો માત્ર એક સાથે જ લગ્ન કરી શકે છે.
Advertisement