નવી દિલ્હી: I&B ministry Action: સૂચના અને પ્રસારણ મંત્રાલય (I&B ministry)એ ખોટા સમાચાર પ્રસારિત કરવાને લઇને કાર્યવાહી કરી છે. મહત્વપૂર્ણ છે કે કેન્દ્ર સરકારે 6 યૂ-ટ્યુબ ચેનલ પર પ્રતિબંધ મુકી દીધો છે, જે ચેનલ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, તેમની પર જૂઠ ફેલાવવાનો આરોપ છે. સરકારનું કહેવુ છે કે આ ચેનલોના લગભગ 20 લાખ સબ્સસ્ક્રાઇબર હતા અને તેમના વીડિયો પર 51 કરોડથી વધુ વ્યૂઝ હતા.
Advertisement
Advertisement
PIBએ ખોટા સમાચારનો પર્દાફાશ કર્યો હતો
પીઆઇબી ફેક્ટ ચેક ટીમ (PIB Fact Check)એ પણ બેન કરવામાં આવેલી યૂ-ટ્યુબ ચેનલને લઇને ખોટા સમાચારનો પર્દાફાશ કર્યો હતો. તે બાદ ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયે તેમણે બેન કરવાનું પગલુ ભર્યુ છે.
મહત્વપૂર્ણ છે કે પ્રતિબંધ થયેલી ચેનલના વીડિયોમાં લોકસભા, રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ (President Draupadi Murmu), ઇવીએમ (EVM), સુપ્રીમ કોર્ટ (Surpeme Court), અમિત શાહ- નરેન્દ્ર મોદી (Narendra Modi) અને રાજનાથ સિંહ (Rajnath Singh) સબંધિત ખોટા સમાચાર પ્રસારિત કર્યા હતા, જેનું ફેક્ટ ચેક કરતા આ ખોટા સમાચાર નીકળ્યા હતા. તે બાદ સૂચના અને પ્રસારણ મંત્રાલયે કાર્યવાહી કરતા તેમની પર પ્રતિબંધ મુક્યો છે.
કઇ ચેનલ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો
કેન્દ્ર સરકાર તરફથી જે ચેનલ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેમાં નેશન ટીવી (Nation TV), સંવાદ (Samvad), સરોકાર ભારત (Sarokar Bharat), નેશન 24, સ્વર્ણિમ ભારત, સંવાદ સમાચાર સામેલ છે. આ ચેનલના સબ્સસ્ક્રાઇબરની વાત કરીએ તો નેશન ટીવીના 5.57 લાખ, સંવાદ ટીવીના 10.9 લાખ, સંવાદ સમાચારના 3.48 લાખ, સરોકાર ભારતના 21.1 હજાર, નેશન 24ના 25.4 હજાર, સ્વર્ણિમ ભારતના 6.07 હજાર સબ્સક્રાઇબર હતા.
બીજી તરફ સંવાદ ટીવીને લઇને પીઆઇબી ફેક્ટ ચેકનું કહેવુ છે કે આ યૂ-ટ્યુબ ચેનલ પર ભારત સરકાર અને કેન્દ્ર સરકારના મંત્રીઓ વિરૂદ્ધ ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા હતા. મંત્રાલયનું કહેવુ છે, “ચેનલ ખોટા, ક્લિકબેટ અને ચોકાવનારા Thumbnail અને ટીવી ચેનલના એન્કરની તસવીરો લગાવીને ખોટા સમાચાર ફેલાવતી હતી.” મહત્વપૂર્ણ છે કે આ પહેલા મંત્રાલયે આ રીતની ત્રણ You Tube ચેનલ પર કાર્યવાહી કરી હતી અને ખોટા સમાચાર ફેલાવવાને લઇને તેમની પર પ્રતિબંધ મુક્યો હતો.
Advertisement