સુરેન્દ્રનગર: વડાપ્રધાન મોદીએ સુરેન્દ્ર નગરમાં રેલીને સંબોધતા કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ કોંગ્રેસ નેતા મધુસૂદન મિસ્ત્રીના ‘ઔકાત બતાવી દઇશુ’ નિવેદન પર પલટવાર કર્યો હતો. પીએમ મોદીએ તેને અહંકાર ગણાવતા કહ્યુ કે તે સામાન્ય પરિવારના છે અને સેવક છે તેમની કોઇ ઔકાત નથી. પીએમ મોદીએ એમ પણ કહ્યુ કે તેમણે પહેલા પણ મોતના સોદાગર અને ગંદી નાળીના કીડા કહેવામાં આવ્યા હતા.
Advertisement
Advertisement
પીએમ મોદીએ કહ્યુ, “આ કોંગ્રેસ વાળા કહે છે કે મોદીને ઔકાત બતાવી દઇશુ. અહંકાર છે ભાઇઓ અહંકાર, મોદીને ઔકાત બતાવી દેશે. અરે મા-બાપ તમે તો રાજ પરિવારના છો, હું તો એક સામાન્ય પરિવારનો સંતાન છું. મારી કોઇ ઔકાત નથી. તમે મને મારી ઔકાત ના બતાવો. હું તો સેવાદાર છુ, નોકર છુ, સેવાદારની કોઇ ઔકાત હોય છે. તમે મને નીચ કહ્યો, નીચી જાતિનો કહ્યો, તમે મને મોતનો સોદાગર કહ્યો, ગંદી નાળીનો કીડો કહ્યો. તમે ઔકાત બતાવવાની વાત કરો છો, અમારી કોઇ ઔકાત નથી. મહેરબાની કરીને વિકાસના મુદ્દાની ચર્ચા કરો, વિકસિત ગુજરાત બનાવવા માટે મેદાનમાં આવો, ઔકાત બનાવવાની રમત છોડી દો ભાઇ.”
પીએમ મોદીએ કહ્યુ કે તે અપમાનને ગળી જાય છે કારણ કે તેમણે દેશના 130 કરોડ લોકોની ભલાઇ કરવી છે, તેમણે ભારતને વિકસિત ભારત બનાવવુ છે, તેમણે કહ્યુ કે ગુજરાતના ઉજ્જવળ ભવિષ્યથી જનતાનું ભવિષ્ય જોડાયેલુ છે. પીએમ મોદીએ એમ પણ કહ્યુ કે તેમણે જેટલી મા-બહેનના આશીર્વાદ મળ્યા એટલા ભારતમાં કોઇ નેતાને મળ્યા નથી.
આ પણ વાંચો: કેજરીવાલ હાલોલમાં બોલ્યા; આજે અહીં મારા કેટલાક ભાઈઓ “મોદી મોદી” ના નારા લગાવી રહ્યા છે પરંતુ હું…
મહત્વપૂર્ણ છે કે આ પહેલા ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીનો મેનિફેસ્ટો જાહેર કરતા મધુસૂદન મિસ્ત્રીએ પીએમ મોદીને લઇને મર્યાદા લાંઘી હતી. મધુસૂદન મિસ્ત્રીએ કહ્યુ કે તે ગુજરાત ચૂંટણીમાં મોદીને તેમની ઔકાત બતાવશે. પીએમ મોદી આ પહેલા પણ કેટલીક ચૂંટણીમાં પોતાની વિરૂદ્ધ કોંગ્રેસના હુમલાને લઇને રાજકીય હથિયાર બનાવી ચુક્યા છે. 2017ની વિધાનસભા ચૂંટણી પહેલા મણિશંકર અય્યરે પણ પીએમ મોદીને નીચ કહ્યા હતા જેમણે પોતાની જાતિ સાથે જોડતા કોંગ્રેસને ઝટકો આપ્યો હતો.
Advertisement