દૂબઇ: ગલ્ફ ન્યૂઝ અનુસાર, UAE સહિષ્ણુતા અને સહઅસ્તિત્વ મંત્રી શેખ નાહયાન બિન મુબારક અલ નાહયાન અને UAEમાં ભારતીય રાજદૂત સંજય સુધીર મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ હશે. આ દરમિયાન કોમ્યુનિટી ડેવલપમેન્ટ ઓથોરિટી (સીડીએ)ના અધિકારીઓ પણ હાજર રહેશે.
Advertisement
Advertisement
આ મંદિર દુબઈના વરશિપ વિલેજમાં બનાવવામાં આવ્યું છે. અહીં પહેલાથી જ ઘણા ચર્ચ અને ગુરુ નાનક દરબાર ગુરુદ્વારા આવેલા છે.
સત્તાવાર ઉદ્ઘાટન પહેલા 1 સપ્ટેમ્બરે મંદિર આંશિક રીતે ખોલવામાં આવ્યું હતું. અત્યાર સુધી હજારો લોકો મંદિરના દર્શન કરી ચૂક્યા છે. અહીં તમામ ધર્મના લોકો જઈ શકે છે. નવ દિવસ સુધી અહીં વિશેષ પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
અત્યાર સુધી મંદિરમાં પ્રવેશવા માટે મંદિરની વેબસાઇટ પર QR કોડ દ્વારા એપોઇન્ટમેન્ટ બુક કરાવવી પડતી હતી.
હાલમાં મંગળવારે ઉદ્ઘાટન કાર્યક્રમ હોવાથી સામાન્ય લોકોને પ્રવેશ મળશે નહીં. પરંતુ બુધવારથી તે બધા માટે ખોલવામાં આવશે.
મંદિરમાં 16 ભગવાનની મૂર્તિઓ છે.
યુએઈમાં લગભગ 3.5 મિલિયન ભારતીયો રહે છે. જેમાં હિંદુ, મુસ્લિમ, શીખ અને ખ્રિસ્તીઓનો પણ સમાવેશ થાય છે.
Advertisement