નવી દિલ્હી: મોરબીમાં પુલ દૂર્ઘટનાને લઇને દાખલ અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી યોજાઇ હતી. કોર્ટે અરજી કરનારના વકીલ ગોપાલ શંકર નારાયણ અને એસજી તુષાર મહેતાની દલીલો સાંભળી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે અરજી કરનાર આ મામલે કોઇ પણ સ્ટેજ પર સુપ્રીમ કોર્ટમાં અરજી કરી શકે છે. મોરબી પુલ દૂર્ઘટના પર સુપ્રીમ કોર્ટે કહ્યુ કે સતત નજર દ્વારા આ સુનિશ્ચિત કરવુ જોઇએ કે આવી ઘટના ના બને. હાઇકોર્ટ આ મામલે સુનાવણીને ચાલુ રાખે.
Advertisement
Advertisement
ગુજરાત હાઇકોર્ટ આ મામલે સુનાવણી કરી રહ્યુ છે. હાઇકોર્ટે આદેશ પણ આપ્યા છે અને 24 નવેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે. હાઇકોર્ટ વિવિધ પાસા પર દર અઠવાડિયે નજર રાખી રહ્યુ છે. અરજી કરનારના વકીલે કહ્યુ કે એક નિર્ધારિત રકમ વળતર તરીકે પીડિત પક્ષને આપવી જોઇએ. કેટલાક અન્ય પહેલુઓ પણ રાખ્યા અને આ સ્પષ્ટ કર્યુ કે સ્વતંત્ર તપાસ થવી જોઇએ. અરજી કરનારે કહ્યુ કે નગરપાલિકાની જવાબદારી અને સમારકામ કરનારી કંપનીને લઇને પણ કાર્યવાહી થવી જોઇએ.
સ્વતંત્ર તપાસની ઉઠી હતી માંગ
સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યુ કે આ મામલે સરકારનો પક્ષ પણ સાંભળવો જોઇએ. CJIએ કહ્યુ કે આ મામલો હાઇકોર્ટમાં લંબિત છે. વકીલ ગોપાલ શંકર નારાયણે કહ્યુ કે ગુજરાત હાઇકોર્ટે સંજ્ઞાન લીધુ અને ત્રણ આદેશ આપ્યા છે, તેમણે રાજ્ય, રાજ્ય માનવ અધિકાર આયોગને પક્ષકાર બનાવ્યા છે. વકીલે કહ્યુ કે લોકોના મોત મામલે સ્વતંત્ર તપાસ કરાવવી જોઇએ. કારણ કે આ ઘટનામાં સરકાર અને અધિકારીઓને બચાવવામાં આવી રહ્યા છે. મોરબી ઘટના પર બે અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જેમાં એક વકીલ વિશાલ તિવારી અને બીજી બે મૃતકના સબંધીઓ દ્વારા દાખલ કરવામાં આવી હતી, જે પુલ પડવાની ઘટના મામલે સ્વતંત્ર તપાસ અને યોગ્ય વળતરની માંગ કરી રહ્યા હતા.
Advertisement