નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં ઘણા સમયથી ખાલી રહેલા જજના પદ શુક્રવારે પુરી રીતે ભરાઇ ગયા છે. કાયદા મંત્રી કિરન રિજિજૂએ ટ્વીટ કરીને કહ્યુ કે સુપ્રીમ કોર્ટમાં બે નવા જજની નિયુક્તિને મંજૂરી આપવામાં આવી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમાર અને ઇલાહાબાદ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાજેશ બિંદલ સામેલ છે. કૉલેજિયમે ગત મહિને તેમના નામની ભલામણ કરી હતી. સુપ્રીમ કોર્ટમાં જજની સંખ્યા હવે 34 થઇ ગઇ છે.
Advertisement
Advertisement
કેટલાક દિવસ પહેલા પાંચ જજની નિયુક્તિ થઇ હતી
કેન્દ્ર સરકારે કેટલાક દિવસ પહેલા કૉલેજિયમની ભલામણ પર પાંચ જજની નિયુક્તિને મંજૂરી આપી હતી. કોર્ટમાં 34 પદના મુકાબલે જજની કુલ સંખ્યા 32 થઇ ગઇ હતી. પહેલા માત્ર 27 પદ જ ભરાયા હતા, ત્યારે જેમની સુપ્રીમ કોર્ટ ટ્રાન્સફર કરવામાં આવી હતી તેમાં રાજસ્થાનથી જસ્ટિસ પંકજ મિથલ, પટણાથી જસ્ટિસ સંજય કરોલ, મણિપુરથી જસ્ટિસ પીવી સંજય કુમાર, પટણાથી જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને ઇલાહાબાદથી જસ્ટિસ મનોજ મિશ્ર સામેલ હતા.
કોણ છે અરવિંદ કુમાર?
ચીફ જસ્ટિસ અરવિંદ કુમારનો જન્મ 14 જુલાઇ 1962માં થયો હતો. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે અરવિંદ કુમારે 13 ઓક્ટોબર 2021ના રોજ ગુજરાત હાઇકોર્ટનો કાર્યભાર સંભાળ્યો હતો, તેની પહેલા તે કર્ણાટક હાઇકોર્ટના જજ રહી ચુક્યા હતા.
અરવિંદ કુમારે વર્ષ 1987માં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી હતી, તેમણે શરૂઆતમાં સિવિલ કોર્ટ, મેજિસ્ટ્રેટ કોર્ટ, અપીલ ટ્રિબ્યૂનલમાં લગભગ 4 વર્ષ સુધી પોતાની સેવા આપી હતી. તે પછી તેમણે હાઇકોર્ટમાં વકીલાત કરી હતી. વર્ષ 1999માં કર્ણાટક હાઇકોર્ટમાં કેન્દ્ર સરકારના વધારાના સ્થાયી સલાહકાર તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. 2002માં પ્રાદેશિક ડાયરેક્ટ ટેક્સ એડવાઇઝરી કમિટીના સભ્ય તરીકે નિયુક્ત થયા હતા. વર્ષ 2005માં ભારતના એડિશનલ સોલિસિટર જનરલ તરીકે પણ તેમણે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
2021માં બન્યા હતા ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ
2009માં જસ્ટિસ અરવિંદ કુમારને ગુજરાત હાઇકોર્ટમાં એડિશનલ જજ બનાવવામાં આવ્યા હતા. વર્ષ 2012 સુધીમાં તેમણે કાયમી જજ બનાવવામાં આવ્યા હતા. વર્ષ 2009થી 2021 સુધી તેમણે કર્ણાટક હાઇકોર્ટમાં સેવા આપી હતી. તે પછી વર્ષ 2021માં ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
Advertisement