ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટુંક સમયમાં યોજાઇ શકે છે. રાજ્યમાં આ વખતે ભાજપ અને કોંગ્રેસ પછી આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખીયો જંગ જોવા મળી શકે છે. રાજ્યમાં ભાજપના 27 વર્ષના શાસનનો અંત કરવા માટે આમ આદમી પાર્ટી પણ સક્રિય દેખાઇ રહી છે. આમ આદમી પાર્ટી 182 વિધાનસભા બેઠક પર ચૂંટણી લડશે. AAPએ ચૂંટણી જાહેર થયા પહેલા જ પોતાના 71 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આમ આદમી પાર્ટી સતત ભાજપ પર પ્રહાર કરી રહી છે. જોકે, કોંગ્રેસ નિષ્ક્રિય દેખાઇ રહી હોય તેવો ડોળ કરી રહી છે. કોંગ્રેસ ગ્રાઉન્ડ લેવલ પર કામ કરતી હોવાનું ખુદ પીએમ મોદીએ એક જનસભાને સંબોધિત કરતા સ્વીકાર્યુ હતુ. ગુજરાતમાં એમ તો દર વખતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ ટક્કર જોવા મળતી હોય છે પણ આ વખતે આમ આદમી પાર્ટીની સક્રિયતા જોતા ભાજપ અને કોંગ્રેસ બન્ને માટે મુશ્કેલી ઉભી થઇ શકે છે.
Advertisement
Advertisement
1995થી જ ભાજપની કોંગ્રેસ સાથે થાય છે ટક્કર
2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને ભાજપ કરતા લગભગ સાત ટકા મત ઓછા મળ્યા હતા. 182 વિધાનસભા બેઠકમાં સીટોનું અંતર પણ માત્ર 22નું હતુ. ગુજરાતમાં ભાજપ સાત વખતથી સતત જીતતી આવે છે. વચ્ચે એક-બે વર્ષને છોડી દઇએ તો રાજ્યની સત્તા માટે 1995થી જ ભાજપની મુખ્ય ટક્કર કોંગ્રેસ સાથે જ થઇ છે. ગત વખતે પણ બન્ને રાષ્ટ્રીય પક્ષ વચ્ચે કાંટાની ટક્કર હતી. 49.1 ટકા મત સાથે ભાજપને 99 બેઠક અને 41.4 ટકા મત સાથે કોંગ્રેસને 77 બેઠક મળી હતી. જોકે, બાદમાં પક્ષ પલટાને કારણે યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપની સીટ વધીને 111 અને કોંગ્રેસની 66 રહી ગઇ હતી.
દિલ્હી અને પંજાબમાં કોંગ્રેસને ભારે પડી ચુક્યા છે કેજરીવાલ
દિલ્હી અને પંજાબમાં કોંગ્રેસનો સફાયો કર્યા બાદ આમ આદમી પાર્ટીનો પ્રયાસ ગુજરાતમાં પગપેસારો કરવાનો છે. ગોવામાં પણ આવો જ પ્રયાસ થયો હતો પણ તેમણે સફળતા મળી નહતી. દિલ્હી-પંજાબની સફળતાને કોંગ્રેસના સંદર્ભમાં જોવાની સ્થિતિ સ્પષ્ટ થઇ જાય છે કે હજુ સુધી આપને આ રાજ્યમાં સફળતા મળી છે, જ્યા કોંગ્રેસની સરકાર હતી. ગોવામાં મુખ્ય મુકાબલો ભાજપ સાથે થવાને કારણે આમ આદમી પાર્ટીને સફળતા મળી નહતી. માત્ર બે બેઠક અને 6.77 ટકા મત સાથે કેજરીવાલે સંતોષ કરવો પડ્યો હતો.
આ પણ વાંચો: ગુજરાતમાં 25 ટકા નવા ચહેરા પર દાંવ રમશે ભાજપ, કેટલાક ધારાસભ્યોની ટિકિટ કપાશે!
કેજરીવાલના કોંગ્રેસની તુલનામાં ભાજપ પર વધુ પ્રહાર
આવી જ સ્થિતિનો સામનો આમ આદમી પાર્ટીએ ઉત્તરાખંડમાં પણ કરવો પડ્યો હતો જ્યા તેમણે ચાર ટકા મત પણ મળી શક્યા નહતા. જોકે, બન્ને રાજ્યમાં કેજરીવાલે કોંગ્રેસને નુકસાન પહોચાડીને મત મેળવ્યા હતા. ગુજરાતની સ્થિતિ ગોવા અને ઉત્તરાખંડથી થોડી અલગ છે, માટે કેજરીવાલને ત્યાથી વધારાની આશા પણ છે. સ્થિતિને તે સારી રીતે સમજી રહ્યા છે. આ કારણ છે કે કોંગ્રેસની તુલનામાં ભાજપ પર તે વધુ પ્રહાર કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી પોતાના મુખ્ય વિરોધી ભાજપને ગણાવી રહી છે. આ પ્રયાસમાં ભાજપ પર સતત પ્રહાર કરવામાં આવી રહ્યા છે જે કોંગ્રેસ માટે નુકસાનનું કારણ બની શકે છે પરંતુ ભાજપને નુકસાનના ખતરાને ઓછો અને ભાવનાત્મક રીતે ફાયદાની સંભાવના વધુ જોવા મળી રહી છે.
ખડગેની રણનીતિ શું હશે?
ભાજપ અને આપનો સંઘર્ષ પ્રત્યક્ષ રીતે જોવા મળી રહ્યો છે પરંતુ તેનો અર્થ એવો નથી કે કોંગ્રેસ ગાયબ છે. માનવામાં આવી રહ્યુ છે કે પરોક્ષ રીતે કોંગ્રેસ પણ પોતાની જમીનને વિસ્તારી રહી છે. નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની રણનીતિની રાહ જોવામાં આવી રહી છે. ચૂંટણીની જાહેરાત હજુ થવાની બાકી છે.
Advertisement