ગાંધીનગર: ભારતીય જનતા પાર્ટી ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા માટે દરેક સંભવ પ્રયાસ કરી રહી છે. પાર્ટી આ વખતે સમજી વિચારીને ઉમેદવારોને મેદાનમાં ઉતારવાની તૈયારીમાં છે. વર્તમાન ધારાસભ્યોના પ્રદર્શનને લઇને ભાજપ રાજ્યના સ્થાનિક પાર્ટી કાર્યકર્તાઓ પાસેથી ફીડલેક લેશે અને તેના આધાર પર ઉમેદવારોને ટિકિટ આપવાનો નિર્ણય થશે. પાર્ટીએ રાજ્યને ચાર વિસ્તાર અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં વહેચી દીધા છે. ભાજપે દરેક વિધાનસભા સીટ માટે સુપરવાઇઝર તૈનાત કર્યા છે, જે સ્થાનિક પાર્ટી કાર્યકર્તાઓ અને ભાજપ સમર્થક પ્રભાવશાળી લોકોને મળશે અને ધારાસભ્યોને લઇને ફીડબેક લેશે.
Advertisement
Advertisement
સુત્રો અનુસાર, ભાજપ આ વખતે 25 ટકા નવા ચહેરાને ટિકિટ આપશે. જેનો અર્થ આ છે કે વર્તમાન 25 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવશે. પાર્ટી સુત્રો અનુસાર સોમનાથ સહિત 30 વિધાનસભા બેઠકો પર ભાજપ આ વખતે નવા ઉમેદવાર ઉતારવાની તૈયારી કરી રહી છે. આ તે સીટો છે જેમની પર ગત ચૂંટણીમાં ભાજપનો 10 હજાર કરતા વધુ મતથી પરાજય થયો હતો.
આ પણ વાંચો: હવે હું રાહત અનુભવી રહી છું, મારા માથા પરથી ભાર ઉતરી ગયું છે- સોનિયા ગાંધી
ગુજરાતમાં ભાજપનું પ્રચાર મૉડલ અને ચૂંટણી મૉડલ અલગ
2017 વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 182માંથી 99 બેઠક જીતી હતી. બીજા રાજ્યની તુલના કરીએ તો ગુજરાતમાં ભાજપનું પ્રચાર મૉડલ અને ચૂંટણી મૉડલ બન્ને અલગ છે. પાર્ટી એક ચૂંટણી પ્રભારી નિયુક્ત નથી કરતી, તેની જગ્યાએ જિલ્લા અને વિધાનસભા પ્રભારી બનાવવામાં આવે છે. ટોચના સ્તર પર અમિત શાહ અને બીજા સીનિયર નેતા કેમ્પેઇન પર નજર રાખે છે.
અમિત શાહ 6 દિવસના ગુજરાતના પ્રવાસે છે. તે 27 ઓક્ટોબરે દિલ્હી પરત ફરશે અને સૂરજકુંડમાં તમામ રાજ્યના ગૃહમંત્રીઓની આંતરિક સુરક્ષા પર યોજાનારી એક મહત્વની બેઠકમાં સામેલ થશે. 31 ઓક્ટોબરે અમિત શાહ ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવશે અને પાર્ટીના ચૂંટણી પ્રચારને આગળ વધારશે.
Advertisement