ગાંધીનગર: ગુજરાતમાં આ વર્ષે ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે રાજકીય લડાઇ જોવા મળી રહી છે જે મતદારોને લુભાવવા માટે પોતાની તમામ તાકાત લગાવી રહી છે. 27 વર્ષથી સત્તા પર રહેલી ભારતીય જનતા પાર્ટી (BJP) માટે અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભા બેઠક મહત્વપૂર્ણ બની જાય છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ વર્ષ 2012માં ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા અને 2017માં ભૂપેન્દ્ર પટેલે આ બેઠક પર દાવો કર્યો અને ગુજરાતના મુખ્યમંત્રી બન્યા.
Advertisement
Advertisement
એવામાં આ સ્પષ્ટ રીતે કહી શકાય છે કે આ વિધાનસભા બેઠકે ગુજરાતને 2-2 મુખ્યમંત્રી આપ્યા છે. ગત બે વખતની વિધાનસભા ચૂંટણીમાં સતત આ બેઠક પર જીતેલા ઉમેદવાર જ મુખ્યમંત્રી બન્યા છે.
સરખેજ વિધાનસભાના પરિસીમન બાદ અલગ થઇ હતી ઘાટલોડિયા બેઠક
જ્યા આ નક્કી છે કે દરેક વિધાનસભા બેઠક પર ત્રિકોણીય મુકાબલો જોવા મળશે જ્યારે ઘાટલોડિયા વિધાનસભા વિસ્તાર ગૌરવની વાત હશે. ઘાટલોડિયા બેઠક 2012માં પરિસીમન બાદ સરખેજ વિધાનસભા વિસ્તારમાંથી અલગ થઇ હતી. ભાજપે 2012 અને 2017માં ઘાટલોડિયા વિધાનસભા બેઠક જીતી છે. મહત્વપૂર્ણ વાત આ છે કે બન્ને ચૂંટણીમાં આ ચૂંટણી ક્ષેત્રએ ગુજરાતને પોતાના મુખ્યમંત્રી આપ્યા છે. વર્તમાનમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.
2012માં આનંદીબેન પટેલે અહીથી ચૂંટણી લડી હતી
2012માં ભાજપ ઉમેદવાર આનંદીબેન પટેલ અહીથી મેદાનમાં ઉતર્યા હતા, જે 1.54 લાખ મતના અંતરથી વિજયી બન્યા હતા. બાદમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ભારતના વડાપ્રધાન બન્યા બાદ તેમણે રાજ્યના મુખ્યમંત્રીના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. જોકે, 2017માં આનંદીબેન પટેલની જગ્યાએ વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: કોંગ્રેસના ગઢમાં કમળ ઉગાડવાની હાર્દિક પટેલને સોપાઇ જવાબદારી
પાટીદાર અને રબારી સમાજનો દબદબો
ઘાટલોડિયા પાટીદાર અને રબારી સમાજની વસ્તી છે. 2017ના પાટીદાર આંદોલનની મોટી અસર અહી જોવા મળી હતી. ભાજપે આનંદીબેન પટેલના નજીકના ભૂપેન્દ્ર પટેલને ઘાટલોડિયાથી ટિકિટ આપી હતી. ભૂપેન્દ્ર પટેલે 1.75 લાખ મતના મોટા અંતરથી ભાજપ માટે આ બેઠક જીતી હતી અને તેમણે રાજ્યના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.
કોંગ્રેસ માટે ઘાટલોડિયાની બેઠક જીતવી આસાન નથી
કોંગ્રેસ માટે ઘાટલોડિયાની બેઠક જીતવી ક્યારેય આસાન રહી નથી. 2012માં જ્યારે કોંગ્રેસના ઉમેદવાર રમેશભાઇ પટેલે આનંદીબેન વિરૂદ્ધ લડાઇ લડી તો ગ્રેન્ડ ઓલ્ડ પાર્ટી માત્ર 44 હજાર મત મેળવવામાં સફળ રહી હતી. 2017માં તેને 57,902 મત જ મળ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફરીથી આ બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસે આ વખતે ઘાટલોડિયા બેઠક પરથી રાજ્યસભા સાંસદ અમી યાજ્ઞિકને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીએ વિજય પટેલને ટિકિટ આપી છે.
Advertisement