સૈફઇ: ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના પૂર્વ પ્રમુખ મુલાયમ સિંહ યાદવનું ઇટાવા જિલ્લામાં આવેલા પૈતૃક ગામ સૈફઇમાં રાજકીય રીતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અખિલેશ યાદવે પોતાના પિતા મુલાયમ સિંહ યાદવને મુખાગ્નિ આપી હતી, તેમના પાર્થિવ શરીરને સવારે 10 વાગ્યાથી અંતિમ દર્શન માટે સૈફઇ મેલા ગ્રાઉન્ડના પંડાલમાં રાખવામાં આવ્યા હતા. મુલાયમ સિંહ યાદવનું સોમવારે નિધન થયુ હતુ. 82 વર્ષની ઉંમરમાં તેમણે ગુરૂગ્રામની મેદાંતા હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
Advertisement
Advertisement
#WATCH | Last rites of Samajwadi Party (SP) supremo and former Uttar Pradesh CM Mulayam Singh Yadav being performed at his ancestral village, Saifai in Uttar Pradesh pic.twitter.com/nBUezhZqq1
— ANI (@ANI) October 11, 2022
આ પણ વાંચો: અખાડામાં જાણીતો હતો મુલાયમ યાદવનો ચરખા દાંવ, ગુપ્ત મતદાનથી બન્યા હતા મુખ્યમંત્રી
મુલાયમ સિંહ યાદવ પંચતત્વમાં વિલીન
-
મુલાયમ સિંહ યાદવ પંચતત્વમાં વિલીન થઇ ગયા છે. અખિલેશ યાદવે તેમણે મુખાગ્નિ આપી હતી. આ દરમિયાન લોકોએ ધરતી પુત્ર અમર રહેના નારા લગાવ્યા હતા. મુલાયમ સિંહ યાદવના અંતિમ સંસ્કાર તેમના પ્રથમ પત્ની માલતી દેવીના મેમોરિયલ પાસે બનેલા પ્લેટફોર્મ પર કરવામાં આવ્યા હતા.
-
મુલાયમ સિંહ યાદવના અંતિમ સંસ્કારમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત કેટલાક રાજ્યના મુખ્યમંત્રી સામેલ થયા હતા. કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ મુલાયમ સિંહ યાદવને શ્રદ્ધાંજલિ આપવા સૈફઇ પહોચ્યા હતા.
-
બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચન સાથે અભિષેક બચ્ચન અને જયા બચ્ચન પણ ઉત્તર પ્રદેશના સૈફઇમાં સપા સુપ્રીમો મુલાયમ સિંહ યાદવને શ્રદ્ધાંજલિ આપવા પહોચ્યા હતા. સાંસદ વરૂણ ગાંધીએ સૈફઇ જઇને મુલાયમ સિંહ યાદવને શ્રદ્ધાંજલિ આપી હતી, તેમણે અખિલેશ યાદવને મળીને સાંત્વના આપી હતી.
-
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને એનસીપી સુપ્રીમો શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે સાથે અંતિમ સંસ્કારમાં સામેલ થઇને મુલાયમ સિંહને શ્રદ્ધાંજલિ આપી હતી. આપ નેતા સંજય સિંહ પણ આ પ્રસંગે સૈફઇ પહોચ્યા હતા.
-
આ સિવાય રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, તેલંગાણાના સીએમ ચંદ્રશેખર રાવ, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન પણ સૈફઇ પહોચ્યા હતા અને મુલાયમ સિંહ યાદવને શ્રદ્ધાંજલિ આપી હતી.
-
મુલાયમ સિંહ યાદવના નિધન પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશમાં 3 દિવસના શોકની જાહેરાત કરી છે. સોમવારે બિહારમાં પણ એક દિવસનો રાજકીય શોક હતો. મેદાંતામાં સોમવારે સવારે 8.16 વાગ્યે નિધન બાદ જ્યારે નેતાજીના શબને સૈફઇ લાવવામાં આવ્યુ તો ઘરે હજારો કાર્યકર્તા ભેગા થઇ ગયા હતા. રાતથી લઇને સવાર સુધી નારા લાગતા રહ્યા-નેતાજી અમર રહો.
Advertisement