નાઇજીરિયામાં વિનાશકારી પૂરથી અત્યાર સુધી 600થી વધારે લોકો માર્યા ગયા છે અને લાખો લોકો વિસ્થાપિત થયા છે. નાઇજીરિયાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ મંત્રી અનુસાર, પશ્ચિમી આફ્રિકન રાષ્ટ્રમાં પૂરના કારણે તબાહી મચી છે. મંત્રીએ કહ્યુ કે દેશના મોટાભાગના રાજ્યો અનેક ચેતવણીઓ છતા સંપૂર્ણ રીતે તૈયાર નહતા.
Advertisement
Advertisement
નાઇજીરિયાના માનવીય મામલા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ મંત્રી સાદિયા ઉમર ફારૂકે એક પત્રકાર પરિષદ કરી હતી, તેમણે સ્થાનિક અધિકારીઓને સૌથી વધુ જોખમ ધરાવતા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત બહાર કાઢવા કહ્યુ છે.
બે લાખ ઘર પુરી રીતે નષ્ટ થયા
મહત્વપૂર્ણ છે કે નાઇજીરિયામાં છેલ્લા એક દાયકામાં આ સૌથી ભીષણ પુર છે. પૂરને કારણે 13 લાખ લોકો વિસ્થાપિત થયા છે જ્યારે બે લાખ કરતા વધારે ઘર પુરી રીતે નષ્ટ થઇ ગયા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નવેમ્બરના અંત સુધી પુર ચાલુ રહેવાની આશા છે. નાઇજીરિયા દર વર્ષે વરસાદમાં સામાન્ય પૂરનો અનુભવ કરે છે, આ વર્ષે આ ઘણુ ખરાબ રહ્યુ છે.
દેશમાં વિનાશકારી પૂરનું કારણ ભારે વરસાદ અને જળવાયુ પરિવર્તનને ગણવામાં આવી રહ્યુ છે. જોકે, જાણકારોનું માનીએ તો ખરાબ યોજના અને પાયાની સુવિધાએ નુકસાન વધારી દીધુ છે. ઘર સિવાય ખેતીને પણ મોટા પાયે નુકસાન થયુ છે. પૂરને કારણે નાઇજીરિયાના 36 રાજ્યમાંથી 27 પ્રભાવિત થયા છે.
નાઇજીરિયાના હવામાન વિજ્ઞાન એજન્સીએ ચેતવણી આપી છે કે દેશના દક્ષિણના કેટલાક રાજ્યમાં નવેમ્બરના અંત સુધી પૂર ચાલુ રહી શકે છે.
Advertisement