ઇસ્લામાબાદ: પાકિસ્તાન આર્થિક તંગીની ગંભીર સમસ્યા સામે ઝઝુમી રહ્યો છે. દેશના લોકોને ભોજન અને રોજબરોજની જરૂરતના સામાનની કમીની સાથે સાથે મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે. ખરાબ અર્થવ્યવસ્થાને કારણે પાકિસ્તાન સરકાર પર સતત વિદેશી દેવુ વધતુ જઇ રહ્યુ છે જેને કારણે દેશમાં આર્થિક તંગી થઇ ગઇ છે અને મોંઘવારીના દર પણ સતત વધી રહ્યા છે.
Advertisement
Advertisement
પાકિસ્તાનમાં મોંઘવારીની શું સ્થિતિ છે?
પાકિસ્તાનમાં ડુંગળીની કિંમત જાન્યુઆરી, 2022માં 36.7 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી 501 ટકા વધીને જાન્યુઆરી, 2023માં 220.4 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઇ ગઇ છે. ચોખા, દાળ અને ઘઉંની કિંમતમાં પણ એક વર્ષની અંદર આશરે 50 ટકાનો વધારો થયો છે, બીજી તરફ ડીઝલની કિંમતમાં 61 ટકા અને પેટ્રોલની કિંમતમાં 48 ટકાનો વધારો થયો છે. ખાદ્ય સામાનની કિંમતમાં સૌથી વધુ વધારો થયો છે.
કેમ વધી રહી છે મોંઘવારી?
પાકિસ્તાન આર્થિક સંકટ સામે ઝઝુમી રહ્યો છે, જેને કારણે તેની વિદેશી મુદ્રા ભંડાર માત્ર 4.3 અબજ ડૉલર રહી ગયુ છે. જેનાથી વસ્તુને આયાત કરવી મુશ્કેલ બની ગઇ છે અને કિંમત વધી રહી છે. પાકિસ્તાન દેવામાં પણ ડુબેલો છે, તેને આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF), વર્લ્ડ બેન્ક અને ચીન વગેરે પાસેથી દેવુ લીધેલુ છે, જે તેની GDPના 84 ટકા સુધી પહોચી ચુક્યુ છે. આ વર્ષના અંત સુધી આ દેવુ વધીને 140 અબજ ડૉલર થઇ જશે.
પૈસાની કમીને કારણે પોર્ટ પર અટકી ખાદ્ય સામગ્રી અને દવા
આર્થિક સંકટ વચ્ચે પાકિસ્તાનમાં આટા જેવી જરૂરી સામગ્રીની આયાત પણ થઇ શકતી નથી. દેશના પોર્ટ પર ખાદ્ય સામગ્રી અને દવા અટકી પડી છે કારણ કે પાકિસ્તાન તેની ચુકવણી કરી શકતુ નથી. તંગીથી બહાર નીકળવા માટે પાકિસ્તાને IMF પાસે છ અબજ ડૉલરની આર્થિક મદદ માંગી હતી, પરંતુ IMFએ પાકિસ્તાન સામે પેટ્રોલ-ડીઝલ સહિત ઇંધણની કિંમત વધારવા જેવી શરતો રાખી છે.
પાકિસ્તાનમાં પુરથી સ્થિતિ બગડી
ગત વર્ષે પાકિસ્તાનમાં ભારે પૂરે સંકટને વધારવાનું કામ કર્યુ છે. આ પૂરમાં દેશનો 80 ટકા પાક નષ્ટ થઇ ગયો હતો જેને કારણે ખાદ્ય પદાર્થોની કમી થઇ હતી અને તેની કિંમત વધી ગઇ હતી. આ સિવાય પાકિસ્તાન સરકારને લોકોને ફરીથી વસાવવા અને પાયાના ઢાંચાના વિકાસ માટે પણ મોટી રકમની જરૂર છે. સરકારે સંયુક્ત રાષ્ટ્ર (UN) પાસે મદદ માંગી છે પરંતુ આ નિષ્ફળ સાબિત થઇ શકે છે.
જનતાને રાહત માટે સરકારે શું કર્યુ?
પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની સરકારે યૂક્રેન યુદ્ધને કારણે દુનિયાભરમાં ઇંધણની કિંમતમાં વધારા વચ્ચે પાકિસ્તાનમાં કિંમતમાં સબસિડીની જાહેરાત કરી હતી જેથી જનતાને રાહત મળે. આર્થિક તંગી ઇમરાનની ખુરશી જવા પાછળનું મુખ્ય કારણ હતુ. વડાપ્રધાન શાહબાજ શરીફના નેતૃત્વ ધરાવતી વર્તમાન સરકાર પણ ઇંધણની કિંમત નહી વધારે કારણ કે પાકિસ્તાનમાં આ વર્ષે ચૂંટણી યોજાવાની છે. એવામાં તેને IMFથી રાહત પેકેજ મળવુ મુશ્કેલ છે.
આર્થિક મંદીને લઇને પાકિસ્તાનના વડાપ્રધાને શું કહ્યું?
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફે તાજેતરમાં કહ્યુ હતુ કે પાકિસ્તાન જેવી એક પરમાણુ તાકાત સંપન્ન દેશ માટે આ ઘણી શરમની વાત છે કે તેને આર્થિક મદદ માટે અન્ય દેશ પાસેથી ભીખ માંગવી પડી રહી છે, તેમણે કહ્યુ હતુ કે આર્થિક સંકટ સામે ઝઝુમતા દેશ માટે દેવુ કોઇ સ્થાયી સમાધાન નથી કારણ કે તેને દેવુ પણ પરત કરવુ પડશે. તાજેતરમાં સાઉદી અરબે પાકિસ્તાનની આર્થિક મદદની જાહેરાત કરી હતી.
પાકિસ્તાનમાં ઘણા સમયથી ચાલી રહી છે આર્થિક તંગી
મહત્વપૂર્ણ છે કે પાકિસ્તાને પ્રથમ વખત આર્થિક તંગીનો સામનો નથી કરવો પડી રહ્યો. ગત વર્ષે જૂનમાં આર્થિક સંકટ સામે ઘેરાયેલા પાકિસ્તાનમાં લોકોને ઓછી ચા પીવાની અપીલ કરવામાં આવી હતી. પાકિસ્તાનના યોજના અને વિકાસ મંત્રી ઇકબાલે કહ્યુ હતુ કે દેશમાં ચાની આયાત લોન લઇને કરવામાં આવી રહી છે, તેમણે વિજળી બચાવવા માટે ફેક્ટરી વગેરેને જલ્દી બંધ કરવાની અપીલ પણ કરી હતી.
Advertisement