મહારાષ્ટ્ર સરકારે મંગળવારે ખેડૂતોને સતત વીજળી પૂરી પાડવા માટે રાજ્યમાં સૌર ઊર્જાથી ચાલતી કૃષિને પ્રોત્સાહન આપવાનો નિર્ણય કર્યો. મુખ્યમંત્રી એકનાથ શિંદેની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે જે ખેડૂતો તેમની જમીન 30 વર્ષ માટે સરકારને સોલર પેનલ લગાવવા માટે લીઝ પર આપશે તેમને દર વર્ષે 1.25 લાખ રૂપિયા ભાડા તરીકે આપવામાં આવશે. ભાડાની રકમમાં દર વર્ષે ત્રણ ટકાનો વધારો થશે. જમીનની માલિકી હંમેશા ખેડૂતો પાસે રહેશે અને તે ત્રીસ વર્ષ પછી તેમને પરત કરવામાં આવશે.
Advertisement
Advertisement
ડેપ્યુટી સીએમએ કહ્યું, “કૃષિને સૌર ઉર્જા પર શિફ્ટ કરનાર મહારાષ્ટ્ર પ્રથમ રાજ્ય છે”
નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, “કૃષિને સૌર ઉર્જા પર શિફ્ટ કરનાર મહારાષ્ટ્ર પ્રથમ રાજ્ય છે. આ જમીન ભાડાપટ્ટાનું મોડલ રજૂ કર્યું છે, જે ખેડૂતોને સતત પૈસા કમાવવા અને જમીનના માલિકી હક્કો જાળવી રાખવામાં મદદ કરશે. તેમણે કહ્યું કે કૃષિ ક્ષેત્રમાં સૌર ઉર્જા દાખલ થવાથી વીજ ઉત્પાદન ખર્ચમાં ધરખમ ઘટાડો થશે. ફડણવીસે કહ્યું, “હાલમાં પ્રતિ યુનિટ વીજળીનો દર 7 રૂપિયા છે. જ્યારે અમારી પાસે સૌર ઉર્જા હશે, ત્યારે તેની કિંમત પ્રતિ યુનિટ રૂ. 3.30 થશે.”
રાજ્ય સરકાર સોલાર પાવર માટે જરૂરી હોય ત્યાં કૃષિ ફીડરની 5 કિમીની અંદર ખાનગી જમીનનો દાવો કરશે. ફડણવીસે કહ્યું કે સરકારી જમીનના કિસ્સામાં તે કૃષિ ફીડરની આસપાસ 10 કિમી સુધીની હશે.
પાવર પોર્ટફોલિયો ધરાવતા નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, “અમારી સરકાર ખેડૂતોને 24×7 પાવર આપવા માટે પ્રતિબદ્ધ છે.” હાલમાં કૃષિ ક્ષેત્રને વીજ પુરવઠો કોલસા આધારિત છે. ગ્રામીણ વિસ્તારોમાં દિવસના સમયે વારંવાર વીજ કાપને કારણે કૃષિ પ્રવૃત્તિઓમાં અવરોધ ઊભો થાય છે. પરિણામે ખેડૂતોને રાત્રે કામ કરવા ખેતરમાં જવાની ફરજ પડે છે.
Advertisement