દિલ્હીઃ ભારતમાં મોટાભાગના લોકો હજુ પણ કૃષિ આધારિત આર્થિક પ્રવૃત્તિઓ પર આધારિત છે. તેવા સમયે મોટાપાયે કલ્યાણ માટે કૃષિ સુધારાઓની દિશામાં કામ કરવાની જરૂર છે. સરકાર સમયાંતરે ખેડૂતો માટે યોજનાઓ લાવે છે. ખેડૂતોને રાસાયણિક ખાતર પર સબસિડી અથવા ધિરાણ જેવી સુવિધાઓ મળતી રહે છે. તે છતાં આપણા ખેડૂતો આત્મહત્યા કરવા માટે લાચાર બને છે. તેમણે ઉત્પાદન પાછળ જે ખર્ચ કર્યો હોય તેને અનુરૂપ ઉત્પાદન હોતું નથી. તેની પાછળ કયા કારણો હોઈ શકે ?
Advertisement
Advertisement
કૃષિ અધિકારીઓ ખેડૂતોના સહાયક તરીકે ખેતરોમાં હાજર રહેતા હોય તેવું ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. ભારતીય ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના આડેધડ ઉપયોગથી માત્ર જમીનને નુક્સાન થઈ રહ્યું હોય તેવું નથી. તેને લીધે તો ખેડૂતોના ખિસ્સા પર પણ ભારણ વધે છે. લોકોના સ્વાસ્થ્ય પર પણ તેની જીવલેણ અસર પડે છે તે વાત પણ હવે તો સૌ જાણે છે.
ખેડૂતોના માર્ગદર્શન માટે જવાબદાર કૃષિ અધિકારીની સાથે આધુનિક ઈનપુટ્સનો પણ ખૂબ વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવો જોઈએ.
ખેડૂતોનું કમનસીબ કહીએ કે સરકારોની સંવેદનહીનતા, તેનું નુક્સાન તો બધાં ખેડૂતોએ જ ભોગવવું પડી રહ્યું છે. જમીનના ધોવાણ અને ખેડૂતો પર વધતા બોજને ઘટાડવો હોય તો કૃષિ અધિકારીઓને પોતાની જવાબદારીઓ પ્રત્યે વધુ જાગૃત અને નિષ્ઠાવાન બનવા માટે હજુ પણ સમય છે. બની શકે કે તેના કારણે ભારતીય ખેડૂતોના ચહેરા પર સ્મિત આવે અને ભારતીય ખેતીનું સમગ્ર ચિત્ર બદલાઈ જાય.
Advertisement