નવી દિલ્હી: એક વખત ફરી તમામ ખેડૂત સંગઠન ન્યૂનતમ સમર્થન મૂલ્ય (MSP)ને લઇને કેન્દ્ર સરકાર પર દબાણ બનાવવાની તૈયારીમાં છે. 200 ખેડૂત સંગઠનના નેતા 7,8 અને 9 ઓક્ટોબરે દિલ્હીમાં બેઠક કરશે. આ મોરચો વીએમ સિંહના નેતૃત્વમાં ખોલવામાં આવી રહ્યો છે જે સંયુક્ત કિસાન મોર્ચાથઈ અલગ છે. આ ત્રણ દિવસમાં આઉટર દિલ્હીના એક ગામ પંજાબ ખોડમાં ખેડૂત આ હલ્લા બોલ કરશે.
Advertisement
Advertisement
આ દરમિયાન ખેડૂતોનો પ્રયાસ રહેશે કે દેશભરના અલગ અલગ સંગઠનોને એક મંચ પર લાવવામાં આવે, તેને ખેડૂતોનું શક્તિપ્રદર્શન માનવામાં આવી રહ્યુ છે. આ દરમિયાન 28 રાજ્યના 3000 કરતા વધુ ખેડૂતોનો જમાવડો આઉટર દિલ્હીના ગામમાં વગર લોકોને પરેશાન કર્યા વગર સરકાર વિરૂદ્ધ અવાજ ઉઠાવશે. જોકે, જરૂરત પડવા પર તે આગામી પગલુ પણ ભરી શકે છે, જે વિરોધ દરમિયાન બતાવવામાં આવશે.
સંયુક્ત કિસાન મોર્ચાએ કર્યો હતો કમિટીનો વિરોધ
મહત્વપૂર્ણ છે કે આ પહેલા સરકારે કહ્યુ હતુ કે કમિટી બનાવવામાં આવશે પરંતુ અત્યાર સુધી કોઇ કમિટી બની શકી નથી, તેને લઇને સંયુક્ત કિસાન મોર્ચાએ વિરોધ કર્યો હતો, તેમનું કહેવુ હતુ કે જે લોકોએ નવા કૃષિ કાયદા બનાવ્યા હતા તેમણે જ કમિટીમાં જગ્યા આપવામાં આવી છે. હવે તેને લઇને અન્ય ખેડૂત સંગઠન પણ સરકાર વિરૂદ્ધ વિરોધમાં ઉતરી ગયા છે.
આ પણ વાંચો: ગાંધી, આંબેડકર અને મહિલાઓ પર સંઘ પ્રમુખ ભાગવતે શું કહ્યું?
સંયુક્ત કિસાન મોર્ચાએ જંતર-મંતર પર કર્યો હતો વિરોધ
આ પહેલા ગત મહિને સંયુક્ત કિસાન મોર્ચાએ જંતર-મંતર પર કિસાન મહાપંચાયત બોલાવી હતી. ભારે સુરક્ષા વચ્ચે અહી અલગ અલગ રાજ્યના ખેડૂત પહોચ્યા હતા. એમએસપી અને લખીમપુર ખીરી કેસ વિરૂદ્ધ આ વિરોધ કરવામાં આવ્યો હતો, તેમની માંગ હતી કે દેશના તમામ ખેડૂતોનું દેવુ માફ કરવામાં આવે, સાથે જ શેરડીની સમર્થન કિંમત વધારવામાં આવે.
Advertisement