નવી દિલ્હી: દિલ્હીની નવી દારૂ નીતિ કેસની તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) આજે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની પૂછપરછ કરી રહી છે. રાજધાનીના એલજી વિનય કુમાર સક્સેનાએ દારૂની નીતિમાં થયેલી ગેરરીતિઓની સીબીઆઈ તપાસની ભલામણ કરી છે.
Advertisement
Advertisement
પૂછપરછના વિરોધમાં AAP કાર્યકર્તાઓએ CBI હેડક્વાર્ટર પાસે વિરોધ પ્રદર્શન કર્યું અને આ દરમિયાન તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા. મળતી માહિતી મુજબ, AAPના લગભગ 100 નેતાઓ/કાર્યકરોને CBI ઓફિસની બહારથી અટકાયતમાં લેવામાં આવ્યા છે. દિલ્હી પોલીસના અધિકારીના જણાવ્યા અનુસાર, અટકાયત કરાયેલ AAP નેતાઓને લોધી કોલોની પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. તેઓને થોડીવારમાં મુક્ત કરવામાં આવશે.
અસલમાં એક્સાઇઝ કૌભાંડ કેસમાં સીબીઆઈએ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને પૂછપરછ માટે બોલાવ્યા હતા. મનીષ સિસોદિયાએ સમન્સ મળ્યા બાદ ટ્વિટ કર્યું હતું. તેણે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે 14 કલાક સુધી તેમના ઘરે સીબીઆઈના દરોડા પાડવામાં આવ્યા, પરંતુ કંઈ બહાર આવ્યું નહીં. તેમણે કહ્યું કે તેમના લોકરની તલાશી લેવામાં આવી અને તેમાં કંઈ બહાર આવ્યું નહીં. તેઓને (CBI) તેમના ગામમાં પણ કશું મળ્યું નથી.
મનીષ સિસોદિયાના ઘરે કાર્યકર્તાઓ એકઠા થવાની આશંકાને કારણે કલમ 144 લાગુ કરવાની સાથે દિલ્હી પોલીસ અને અર્ધલશ્કરી દળની પણ ભારે તૈનાત કરવામાં આવી છે.
સીબીઆઈ દ્વારા સમન જારી કરવા પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે કેન્દ્ર વિરૂદ્ધ પોતાની સરકારની લડાઇને બીજું સ્વતંત્ર સંઘર્ષ ગણાવ્યું અને આમ આદમી પાર્ટી (આપ) ના નેતા મનીષ સિસોદિયા તથા સત્યેન્દ્ર જેનની સરખામણીમાં શહીદ ભગત સિંહ સાથે કરી.
આપે દાવો કર્યો હતો કે સિસોદિયાની સોમવારે ધરપકડ કરવામાં આવશે અને આરોપ લગાવ્યો હતા કે આ પગલું આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીથી પહેલા ભરવામાં આવશે. આપે દાવો કર્યો કે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપા) સાથે તેનો સીધો મુકાબલો છે. તે પ્રતિક્રિયા દારૂ નીતિ બનાવવા અને તેને ક્રિયાન્વયનમાં કથિત ભ્રષ્ટાચારના સિલસિલામાં સીબીઆઈ દ્વારા ઉપમુખ્યમંત્રી સિસોદિયાને સોમવારે પૂછપરછ માટે બોલાવ્યા પછી આવી છે.
એક ટ્વિટમાં કેજરીવાલે કહ્યું કે, “જેલના સળિયા અને ફાંસીનો ફંદો ભગત સિંહના ઉંચા ઈરાદાઓને ડગાવી શક્યા નહતા. આઝાદીની આ બીજી લડાઈ છે. મનીષ (સિસોદિયા) અને સત્યેન્દ્ર (જૈન) આજના ભગતસિંહ છે. 75 વર્ષ પછી દેશને એવો શિક્ષણ મંત્રી મળ્યો જેણે ગરીબોને સારું શિક્ષણ આપ્યું અને ઉજ્જવળ ભવિષ્યની આશા આપી. કરોડો ગરીબોની પ્રાર્થના તેમની સાથે છે.
Advertisement