આજે દસ વર્ષ પછી અભિનેત્રી જીયા ખાનના ઘૂંટાતા મોંતનો ચૂકાદો આવ્યો હતો. જેમાં આરોપી સૂરજ પંચોલીને કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે. જાણીતી અભિનેત્રીએ આત્મહત્યા કરી લીધી હોવાનું તથ્ય બહાર આવતાં આદિત્ય પંચોલીના પુત્ર સૂરજ પંચોલ પર શંકા કરતાં જીયા ખાનના પરિવારજનોએ જીયા ખાનની આત્મહત્યા પાછળ સૂરજ પંચોલી હોવાની શંકા વ્યક્ત કરી હતી અને આખો કેસ મુંબઈની વિશેષ સીબીઆઈ દ્વારા તપાસવામાં આવ્યો હતો. જો કે પુરાવાના અભાવે સૂરજને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે અને કોર્ટે કહ્યું હતું કે આમાં સૂરજનો કોઈ દોષ હોય તેવું દેખાતું નથી. જીયાની માતા રાબિયા આ નિર્ણયથી ખૂબ નાખૂશ હતા.
Advertisement
Advertisement
આજે જ્યારે સીબીઆઈની વિશેષ કોર્ટ જ્યારે ચૂકાદો આપવાની હતી ત્યારે કોર્ટમાં સૂરજ પંચોલી, સૂરજની માતા ઝરીના વહાબ, જીયા ખાનની માતા રાબિયા હાજર રહ્યા હતા. દસ વર્ષ બાદ આ ચૂકાદો આવ્યો હતો. 3જી જુનના રોજ 2013ના રોજ જીયા ખાનનું મૃત્ય થયું હતું. જિયા ખાન તેની કારકિર્દીની ટોચ પર હતી ત્યારે જ તેણે અંતિમવાદી પગલું ભરીને પોતાના જીવનનો અંત આણ્યો હતો. તે વખતે તેની ઉંમર 25 વર્ષની હતી અને તેના અને સૂરજ પંચોલીના સંબંધો વિકસ્યા હતા. આ દરમિયાન તેનું અપમૃત્યુ થતાં સૂરજ પંચોલીના દબાણવશ તેણે અંતિમ પગલું ભર્યું હોવાની જીયાની માતાએ ફરીયાદ કરી હતી. જીઆ ખાન ઇન્ડસ્ટ્રીઝની એક નસીબદાર અદાકારા ગણાતી હતી.
અનેક વર્ષોની મહેનત કર્યા પછી જેમની સાથે ઊભા રહેવા નથી મળતું એવા અમિતાભ બચ્ચન સાથે જીયાએ તેની કારકિર્દીની શરુઆતમાં જ ફિલ્મ કરી હતી. એ પછી તેણે ગજની જેવી ફિલ્મમાં અમીરખાન જેવા સતત સફળ થતાં પ્રોડ્યૂસર કમ એક્ટર સાથે કામ કર્યું હતું. જો કે કમનસીબે તે તણાવનો ભોગ બનતાં તેણે તેની જીવનલીલા સમેટી લીધી હતી.
જો કે આ ઘટનાથી સૂરજ પંચોલીની કરિયર પણ પર અસર પહોંચી હતી. આ ઘટના પછી તેની એકેય ફિલ્મ સફળ થઈ નથી. આદિત્ય પંચોલીએ પણ દીકરા સૂરજને છોડાવવાના અથાગ પ્રયત્નો કર્યા હતા પરંતુ આ ઘટના પછી સૂરજ એકેય સફળ ફિલ્મ આપી શક્યો નથી.
Advertisement