ઇસ્તંબુલ: તુર્કી અને સીરિયામાં ભૂકંપને કારણે મૃતકોનો આંકડો 4,300ની પાર થઇ ગયો છે. આ સાથે જ ઇજાગ્રસ્તોની સંખ્યા 12 હજાર કરતા વધારે કહેવામાં આવી રહી છે. સોમવારે તુર્કી અને સીરિયા સહિત 4 દેશમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા, જેને કારણે વિનાશ સર્જાયો હતો. રાહત અને બચાવ કાર્ય દરમિયાન શબ મળી રહ્યા છે. અનુમાન છે કે મૃતકોની સંખ્યા 20,000 સુધી જઇ શકે છે.
Advertisement
Advertisement
ભૂકંપથી લગભગ 5,600થી વધુ બિલ્ડિંગ ધરાશાયી
દક્ષિણ તુર્કીમાં સીરિયન સીમા પાસે સોમવાર સવારે આવેલા ભૂકંપની તીવ્રતા 7.8 માપવામાં આવી છે અને તે બાદ કેટલાક ઝટકા અનુભવાયા હતા, જેનાથી રાહત અને બચાવ કાર્યમાં મુશ્કેલીઓ આવી રહી છે.
તુર્કી-સીરિયામાં કેટલા લોકોના મોત થયા?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તુર્કીમાં ભૂકંપને કારણે અત્યાર સુધી 2,921 લોકોના મોત થયા છે જ્યારે 14,483 લોકો ઘાયલ થયા છે. અહી સૌથી વધુ નુકસાન અંકારા, ગાજિએનટેપ અને કહરામનમારશ જેવા શહેરોમાં થયુ છે.
બીજી તરફ સીરિયામાં 1,444 લોકોના મોતની સૂચના છે. જ્યારે ઘાયલોની સંખ્યા હજારોમાં કહેવામાં આવી રહી છે. અહી અલેપ્પો, લતાકિયા, હમા અને ટાર્ટસ પ્રાંતમાં કેટલીક બિલ્ડિંગ કાટમાળમાં બદલાઇ ગઇ છે.
ભારત સહિત કેટલાક દેશોએ મદદ માટે હાથ લંબાવ્યો
ભૂકંપ આવ્યા પછી ભારત સહિત કેટલાક દેશોએ તુર્કીની મદદ માટે હાથ લંબાવ્યો છે જેથી રાહત અને બચાવ કાર્યમાં ઝડપ આવી શકાય. જોકે, આંતરરાષ્ટ્રીય પ્રતિબંધ ઝેલી રહેલા સીરિયામાં મદદ પહોચાડવામાં મોડુ થઇ રહ્યુ છે.
ભારત સરકારે NDRFની બે ટીમને તુર્કી મોકલવાની જાહેરાત કરી છે. સાથે જ તુર્કીને ભારત તરફથી અન્ય રાહત સામગ્રી અને દવા પણ આપવામાં આવશે.
Advertisement