ગુજરાત એક્સક્લૂઝિવ: દિલ્હી સરકારના સમાજ કલ્યાણ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ બૌદ્ધ મહાસભા કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં બૌદ્ધ ધર્મને માનવાના શપથ લેવડાવવામાં આવ્યા તો બીજી તરફ કૃષ્ણ-રામને ભગવાન ના માનવાને લઇને પણ શપથ લેવામાં આવ્યા હતા. આ બાબતને લઇને ગુજરાત બીજેપીએ અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કરીને એક વખત ફરીથી ધર્મને ચૂંટણીમાં લઇ આવી છે. બીજેપી ગમે તેમ કરીને હિન્દુ-મુસ્લિમ ઉભો કરવા માંગતી હોય તેવું લાગી રહ્યું છે, તેથી બૌદ્ધ ધર્મના કાર્યક્રમમાં ગયા હોવા છતાં પણ અરવિંદ કેજરીવાલના ટોપીવાળા પોસ્ટર અમદાવાદમાં લગાવી દીધા છે.
Advertisement
Advertisement
બૌદ્ધ કાર્યક્રમમાં જનારા તેમના મંત્રીની લિંક ડાયરેક મુસ્લિમો સાથે જોડીને ગુજરાતમાં આગામી ચૂંટણી ધર્મ ઉપર લડવા માટેનો એક પાયો તૈયાર કરી રહી છે. સ્પષ્ટ છે કે, અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસથી બીજેપીમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ચૂંટણી કાર્યક્રમ ગણતરીના દિવસોમાં જાહેર થવાની સ્પષ્ટ શક્યતાઓ સેવાઇ રહી છે, તેવા સમયે બીજેપીને ગ્રાઉન્ડ ઉપર આપ ટક્કર આપી રહી છે.
આ કડીમાં હવે આપને કેવી રીતે ટક્કર આપવી તેનો વિચાર બીજેપી કરી જ રહી હતી કે, તેને બૌદ્ધ કાર્યક્રમમાં ગયેલા રાજેન્દ્ર પાલનો મુદ્ધો મળી ગયો. જોકે, આ મુદ્દાને દર્શાવવા માટે બીજેપીએ અરવિંદ કેજરીવાલને મુસ્લિમના પહેરવેશમાં રજૂ કરી દીધા છે. ઉલ્લેખનિય છે કે, ત્રણ દશકાથી સત્તામાં રહેલી બીજેપીએ મુસ્લિમો પ્રત્યે અન્ય ધર્મના લોકોમાં ખુબ જ નફરત ભરી દીધી છે. બીજેપીના સહાયક સંગઠનો મુસ્લિમોને રીતસરના વિલન તરીકે ચિતરવાનું કામ ખુબ જ સારી રીતે કરતા આવ્યા છે. નવરાત્રી દરમિયાન પણ લવ-જેહાદના મુદ્દા હેઠળ મુસ્લિમ યુવકો સાથે મારપીટ કરીને આગામી ચૂંટણીમાં ફાયદો ઉઠાવવા માટે નફરત ફેલાવવામાં આવી હતી.
આ બધી ઘટનાઓથી સ્પષ્ટ રીતે મુસ્લિમ સમાજને લઇને એક નકારાત્મક મેસેજ આપવામાં આવી રહ્યો છે. તેનાથી અન્ય ધર્મના લોકોમાં તેમના પ્રત્યે ધૃણા ઉત્પન્ન થાય તે સ્વભાવિક છે. જે લોકો ગુજરાતના રાજકારણને સમજી શકે છે, તેઓ ચોક્કસ રીતે મુસ્લિમ લોકો પ્રત્યે નફરત કરતાં નથી. ગુજરાતમાં વર્ષોથી રાજકારણમાં ફાયદો મેળવવા માટે નફરત ફેલાવવાનું કામ કરવામાં આવે છે અને તેનો સીધો ફાયદો અત્યાર સુધી તો બીજેપીને જ મળતો આવ્યો છે.
અમદાવાદમાં તો હિન્દૂ અને મુસ્લિમોને દૂર કરવા માટે એટલે કે રીતસરના ભાગલા પાડવા માટે જ અશાંતધારા લગાવવામાં આવ્યો હોય તેવું લાગવા લાગ્યું છે. ઉલ્લેખનિય છે કે, અશાંતધારા કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યો હતો પરંતુ અત્યાર સુધી બીજેપી તેને યથાવત રાખ્યું છે.
ગુજરાતમાં અરવિંદ કેજરીવાલ પણ હિન્દૂ ધર્મની નૈયા ઉપર બેસીને જ પોતાની નૈયાને પાર લગાવવાની કોશિશ કરતાં જોવા મળ્યા છે. તો બીજેપી અરવિંદ કેજરીવાલને હિન્દૂ વિરોધ સાબિત કરવામાં લાગી ગઇ છે. જે પોસ્ટર પરથી સ્પષ્ટ રીતે સાબિત થાય છે.
આ પણ વાંચો : #બેઠકપુરાણ માંડવી (કચ્છ): વાસ્કો દ ગામાને જળમાર્ગ બતાવનારું માંડવી પોતે આ વખતે રસ્તો બદલશે?
ગુજરાત પ્રવાસે આવનાર અરવિંદ કેજરીવાલ એકપણ વખત કોઇપણ મુસ્લિમ સમુદાયના ધર્મ સ્થળ પર ગયા નથી. તેઓ જાણે છે કે, મુસ્લિમ સમુદાયના ધર્મ સ્થળ પર જવું તેમના માટે ખતરનાક સાબિત થઇ શકે છે. બીજેપી તેનો ખુબ જ મોટો ફાયદો ઉઠાવી શકે છે. તેથી અરવિંદ કેજરીવાલ સોમનાર અને દ્વારકા મંદિરમાં માથું ટેકવ્યું હતું તો મનીષ સિસોદીયાએ અંબાજી અને બહુચરાજી મંદિરમાં દર્શન કર્યા હતા. આમ આદમી પાર્ટી પણ સમજી ગઇ છે કે ગુજરાતમાં પોતાની નૈયાને પાર લગાવવી છે તો વિકાસ એકલાથી કામ ચાલશે નહીં.
તો અત્યાર સુધી માત્ર વિકાસની બૂમરાણ કરતી બીજેપી એકવખત ફરીથી પોતાની જૂની અને જાણીતી લાઇન ઉપર આવી ગઇ છે. વિકાસને અભરાઇએ ચડાવીને ધર્મને મુખ્ય હથિયાર બનાવીને ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી લડવા માટે બીજેપી તૈયાર થઇ રહી છે. કોંગ્રેસ તો ગ્રાઉન્ડ ઉપર ક્યાંય દેખાઇ જ રહી નથી તેથી તેને બૌદ્ધ ધર્મના કાર્યક્રમને લઇને બૂમરાણ મચાવીને અરવિંદ કેજરીવાલને મુસ્લિમ દર્શાવીને હિન્દુ મતદાતાઓને પોતાની તરફેણમાં કરવાનું કામ શરૂ કરી દીધું છે.
વિશ્લેષકો ભાજપ અને AAPની પ્રચાર શૈલીમાં ઘણી સામ્યતા જુએ છે. જે રીતે ભાજપ સોશિયલ મીડિયા પર યુદ્ધની જેમ પ્રચાર કરે છે, તે જ રીતે આમ આદમી પાર્ટી પણ કરે છે.
12 સપ્ટેમ્બરના રોજ અરવિંદ કેજરીવાલ અમદાવાદમાં એક ઓટો રિક્ષા ચાલકના ઘરે જમવા ગયા હતા અને 6 સપ્ટેમ્બરના રોજ તેમણે ગુજરાતના ગાંધીનગરના એક દલિત પરિવારને દિલ્હીમાં મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને ભોજન માટે આમંત્રણ આપ્યું હતું. આ તમામ તામ-જામ બીજેપી પહેલા કરી ચૂકી છે.
તે દરમિયાન, આદમી પાર્ટીની સોશિયલ મીડિયા ટીમ તેના ટ્વિટર, ફેસબુક જેવા સોશિયલ હેન્ડલ્સ પર ક્ષણે ક્ષણે આ તમામ પ્રસંગોની તસવીરો જાહેર કરી રહી હતી. કેજરીવાલની સાથે AAPના હજારો કાર્યકરો પણ આ વાત શેર કરી રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરી ત્યારે કેજરીવાલે પણ ગુજરાતમાં એક સભામાં કહ્યું હતું કે ‘કોંગ્રેસ હવે ખતમ થઈ ગઈ છે. તો શું કેજરીવાલ અને મોદી એક જ હોડીમાં મુસાફરી કરી રહ્યા છે?
નોંધપાત્ર રીતે કેજરીવાલ ભાજપની ટીકા કરે છે પરંતુ આરએસએસ (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)ની ટીકા કરતા હોય તેવું લાગતું નથી.
આ વિશે વરિષ્ઠ પત્રકાર અને પૂર્વ સંપાદક શ્રવણ ગર્ગ કહે છે, “આમ આદમી પાર્ટી ભાજપની ‘બી’ ટીમ નથી પરંતુ RSSની ‘બી’ ટીમ છે. ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કેજરીવાલે કહ્યું હતું કે કોંગ્રેસ ખતમ થઈ જશે. તેઓ એવું નથી કહેતા. ભાજપ બરબાદ થઈ જશે અથવા નબળી પડી જશે. આમ આદમી પાર્ટીનો ઉદ્દેશ્ય કોંગ્રેસને ખતમ કરવાનો છે.”
તેઓ કહે છે, “આમ આદમી પાર્ટી વિપક્ષમાં હોય ત્યારે શા માટે વિપક્ષના એક ઘટકને ખતમ કરવા માંગે છે? તમારે એવું કરવું જોઈએ જેથી વિપક્ષ મજબૂત હોય પરંતુ તેઓ એવું નથી કરી રહ્યા.”
શ્રવણ કહે છે, “આમ આદમી પાર્ટીના પણ ખાસ ઉપયોગો છે. પ્રથમ, મોદીને નિયંત્રણમાં રાખવા. બીજું, જો તે મોદી અને ભાજપ સિવાય ત્રીજી પાર્ટી તરીકે કોંગ્રેસને તોડી પાડવામાં ફાળો આપે તો તે વધુ અસરકારક છે. ત્રીજું, જો કોંગ્રેસ છે. ભવિષ્યમાં મુખ્ય વિપક્ષ નહીં, તો તેની જગ્યાએ આમ આદમી પાર્ટી આવી શકે છે, તો ભાજપનો પોતાનો વિરોધ હશે.
શ્રવણ કહે છે, આમ આદમી પાર્ટીના ખાસ ટાર્ગેટ પણ છે. પ્રથમ, મોદીને નિયંત્રણમાં રાખવા, બીજું, જો તેઓ મોદી અને બીજેપી ઉપરાંત એક ત્રીજી પાર્ટીના રૂપમાં કોંગદ્રેસને ખત્મ કરવામાં યોગદાન આપે છે તો તે ખુબ જ પ્રભાવી થશે. ત્રીજું, ભવિષ્યમાં જો કોંગ્રેસ મુખ્ય વિપક્ષ રહેશે નહીં તો આમ આદમી પાર્ટી તેની જગ્યાએ આવી શકે છે, તો બીજેપીનો પોતાનો વિપક્ષ હશે.
સોફ્ટ હિંદુત્વ
ગુજરાતના સામાન્ય માણસના પ્રવક્તા યોગેશ જાદવાણી ભાજપ, આરએસએસ અને AAPની નીતિઓ વચ્ચે સમાનતા હોવાનો ઇનકાર કરે છે.
તેમને મીડિયાને અગાઉ જણાવ્યું હતું કે, “આમ આદમી પાર્ટી કોઈ ધર્મ નથી, પરંતુ માનવતાને સમર્પિત પાર્ટી છે. અમે માનવતાવાદી વિચારધારામાં માનીએ છીએ. માનવતા તમામ ધર્મોમાં ટોચ પર છે. તેથી જ AAP આરએસએસની ‘B’ ટીમ હોવાની વાત પાયાવિહોણી છે.”
તે જણાવે છે કે, કેજરીવાલ કહે છે કે હું હિન્દૂ છું અને હિન્દૂ ધર્મમાં આસ્થા રાખું છું. તે સત્ય છે તેથી તેઓ કહે છે. લોકોને પોતાની તરફ આકર્ષિત કરવા માટે એવું કરી રહ્યાં નથી. હિન્દૂ મુસ્લિમનો મુદ્દો ઉઠાવીને લોકપ્રિયતા મેળવવાની વાતો કરનાર આરએસએસ જેવી અમારી રાજનીતિ નથી. લોકોને ક્વોલિટી લાઇફ મળે તે જ અમારી રાજનીતિની પ્રાથમિકતા છે.
સંઘ અને આપની રાજનીતિ પર ગુજરાતના વરિષ્ઠ પત્રકાર અને પૂર્વ સંપાદક દિલીપ ગોહિત કહે છે કે, એક વાત તો સ્પષ્ટ છે કે અન્ના હજારેનો જે આંદોલન હતો તેને આગળ વધારવામાં આરએસએસે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ગામડાઓમાં પણ અન્ના કાર્યક્રમ થવા લાગ્યા હતા કેમ કે સંઘ પરિવાર સાથે જોડાયેલા લોકો તેમાં સામેલ હતા. તે આંદોલનનો સૌથી મોટો ફાયદો બીજેપીને થયો અને નુકશાન કોંગ્રેસને. આ આંદોલનથી જ આમ આદમી પાર્ટીનું જન્મ થયું તો તેના પર સંઘ પરિવારની નિકટતાનો વ્યાંગાત્મક આરોપ લાગશે તે સ્વભાવિક છે.
2021માં ગોવા ચૂંટણી પહેલા કેજરીવાલે અહીંના હિન્દુઓને ફ્રિમાં અયોધ્યા, મુસ્લિમોને અજમેર શરીફ અને ઈસાઇઓને મુફ્તમાં તમિલનાડૂના વેલંકન્ની ચર્ચ લઇ જવાની વાત કરી હતી. ગોમાં હિન્દી આબાદી 66 ટકા, ઈસાઈ 25 અને મુસ્લિમ 8.33 ટકા છે.
કેજરીવાલના સાથી રહેલા વરિષ્ઠ પ્રશાંત ભૂષણે પોતાના એક ઇન્ટરવ્યુંમાં જણાવ્યું હતુ કે, અરવિંજ કેજરીવાલની કોઈ ખાસ વિચારધારા નથી અને તેમને લાગે છે કે જે ચીજ વોટ અપાવશે તે કરવી જોઈએ. કેજરીવાલનો થોડો એવો વૈચારિક ઝૂકાવ સોફ્ટ હિન્દુત્વ તરફ હોઇ શકે છે.
શું અરવિંદ કેજરીવાલ સત્તા ઉપર આવશે તો નફરતની રાજનીતિ કરશે?
ભલે અરવિંદ કેજરીવાલ ભાજપની બી ટીમ હોય કે આરએસએસની બી ટીમ હોય, પરંતુ સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન તે છે કે, તેઓ ગુજરાતમાં સત્તા ઉપર કદાચ આવે છે તો તેઓ શું કોઈ એક ધર્મને પોતાની તરફ આકર્ષવા માટે અન્ય ધર્મના લોકોને વિલન બનાવવા અને તેમના પ્રત્યે અન્ય ધર્મના લોકોમાં નફરત ફેલાય તેવી રાજનીતિ કરશે ખરી?
અત્યાર સુધી દિલ્હી અને પંજાબમાં તેમની સત્તા હેઠળ એવા કોઈ જ કાર્ય કરવામાં આવ્યા નથી કે તેનાથી કોઇ એક ધર્મ પ્રત્યે નફરત ફેલાઇ હોય. કોંગ્રેસ પર મુસ્લિમોનું તૃષ્ટિકરણ કરવાનો તો બીજેપી પોતાને એકમાત્ર હિન્દુઓની પાર્ટી કહે છે. જોકે, આપ દિલ્હી અને પંજાબમાં કોઈ એક ધર્મના લોકોની પાર્ટી બનીને રહી નથી. આપે દિલ્હીમાં માત્રને માત્ર વિકાસના કાર્યો જ કર્યા છે.
જો દેશના તમામ નાગરિકોને સમાન ગણીને વિકાસ જ કરવાની દિલની મુરાદ હોય તો તે પાર્ટી ચૂંટણી જીતવા સોફ્ટ હિન્દુત્વનો ઉપયોગ કરે તો વાંધો નથી. જોકે ચૂંટણી જીત્યા પછી કોઈ એક ધર્મના ખોળામાં જઇને બેસી જોય તો દેશમાં ભાગલા પડ્યા વગર રહેતા નથી. આવી સ્થિતિમાં દેશની પ્રગતિ શક્ય નથી.
Advertisement