નવી દિલ્હી: કોંગ્રેસના સીનિયર નેતા દિગ્વિજય સિંહે પુલવામા હુમલાને લઇને કેન્દ્ર સરકાર પર સવાલ ઉભા કર્યા છે. ભારત જોડો યાત્રા દરમિયાન દિગ્વિજય સિંહે સર્જિકલ સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવ્યા છે, તેમણે કહ્યુ કે અમારા CRPFના 40 જવાન પુલવામામાં શહીદ થયા હતા. CRPFના અધિકારીઓએ પીએમ મોદીને અનુરોધ કર્યો હતો કે તે તમામ જવાનોને એરલિફ્ટ કરવામાં આવશે પરંતુ પીએમ મોદી ના માન્યા અને આવી ચુક કેવી રીતે થઇ?
Advertisement
Advertisement
દિગ્વિજય સિંહના નિવેદન પર ભાજપે કહ્યુ કે આ સેનાનું અપમાન છે અને તેને સહન નહી કરી શકાય.
સંસદમાં રિપોર્ટ રજૂ નથી થયો
કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે ભારત જોડો યાત્રા દરમિયાન એક સ્ટેજ પરથી કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવતા કહ્યુ કે કેન્દ્ર સરકારે આજ સુધી સંસદ સામે 2016ની સર્જિકલ સ્ટ્રાઇક અથવા 2019 પુલવામા આતંકી હુમલા પર રિપોર્ટ રજૂ કર્યો નથી.
સરકાર સતત ખોટુ બોલતી રહી છે, તેમણે કહ્યુ કે સરકારે અત્યાર સુધી સર્જિકલ સ્ટ્રાઇકને લઇને કોઇ પુરાવા નથી બતાવ્યા.
#WATCH | J&K: They (Centre) talk about surgical strikes and that they have killed so many of them but there is no proof: Congress leader Digvijaya Singh pic.twitter.com/3ovyecOpT9
— ANI (@ANI) January 23, 2023
ભાજપનો પલટવાર
ભાજપે દિગ્વિજય સિંહના નિવેદન પર પલટવાર કરતા કહ્યુ કે કોંગ્રેસ નેતાનું નિવેદન આપત્તિજનક છે અને ભારત જોડો યાત્રાનો અર્થ દેશને ખંડિત કરવાનો છે. ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યુ કે કોંગ્રેસ સેનાનું અપમાન કરે છે, તેને સહન નહી કરી શકાય.
Advertisement