નવી દિલ્હી: દેશમાં છેલ્લા કેટલાક દિવસથી ફ્લાઇટમાં યૂરીનેટની ઘટના ચર્ચામાં છે. આ વચ્ચે ગો ફર્સ્ટ એરલાઇન્સની ભૂલ સામે આવી છે. ગો ફર્સ્ટ એરલાઇનની ફ્લાઇટ 50થી વધુ મુસાફરોને છોડીને જતી રહી હતી. આ ઘટનામાં વિમાન ક્ષેત્રની નિયામક સંસ્થા DGCAએ ગો ફર્સ્ટ એરલાઇન્સ પાસે રિપોર્ટ માંગ્યો છે.
Advertisement
Advertisement
ગો ફર્સ્ટ એરલાઇનના અધિકારીઓને કારણ જણાવો નોટિસ જાહેર કરતા ડીજીસીએએ કહ્યુ, “તેમની નિયમનકારી જવાબદારીઓના ભંગ બદલ તેમની સામે અમલીકરણ પગલાં કેમ ન લેવામાં આવે?” DGCAએ GoFirstને તેનો જવાબ દાખલ કરવા માટે બે અઠવાડિયાનો સમય આપ્યો છે.
DGCAએ નારાજગી વ્યક્ત કરી
DGCAના એક સીનિયર અધિકારીએ જણાવ્યુ, “એક રિપોર્ટ માંગવામાં આવ્યો છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. રિપોર્ટ્સથી સંકેત મળે છે કે એર લાઇનને પોતાની ભૂલનો અહેસાસ થયા બાદ ભુલેલા મુસાફરો માટે એક અલગ વિમાનની વ્યવસ્થા કરવામાં આવી હતી.” નિયમાકે કહ્યુ કે તે આ ઘટનાને જોઇ રહ્યા છે. જ્યારે ટ્વિટર પર કેટલાક લોકોએ સૌથી ભયાનક અનુભવ માટે એરલાઇનની ટિકા કરી છે.
9 જાન્યુઆરીએ બની હતી ઘટના
મહત્વપૂર્ણ છે કે એરલાઇનની ઉડાન 9 જાન્યુઆરીએ બેંગલુરૂ એરપોર્ટ પર 50થી વધુ મુસાફરોને લેવાનું ભૂલી ગઇ હતી. બેંગલુરૂ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આ ઘટના સોમવાર સવારે 5.45 વાગ્યે બની હતી. આ સમયે Go Firstની ફ્લાઇટ G8 116ને બેંગલુરૂથી મુસાફરોને લઇને દિલ્હી જવાનું હતું. બેંગલુરૂ એરપોર્ટ પર ફ્લાઇટ 50થી વધુ મુસાફરોને સવાર કરવાનું ભૂલી ગઇ હતી.
મુસાફરોએ સોશિયલ મીડિયા પર ભડાસ કાઢી
55માંથી 53 મુસાફરોને દિલ્હી માટે બીજી ફ્લાઇટમાં મોકલવામાં આવ્યા હતા જ્યારે 2 મુસાફરોએ રિફંડ માંગ્યુ હતુ, જેની એરલાઇને ચુકવણી કરી દીધી હતી. કેટલાક મુસાફરોએ સોશિયલ મીડિયા પર આરોપ લગાવ્યો કે વિમાનમાં ચઢવા માટે શટલ બસની રાહ જોવાને કારણે તેમણે પાછળ છોડી મુકવામાં આવ્યા હતા.
Advertisement