ગોધરાકાંડ બાદ વર્ષ 2002ના રમખાણોમાં નરોડા ગામ હત્યાકાંડ મામલે સુપ્રિમ કોર્ટ રચિત ખાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા કોર્ટમાં કેસની અંતિમ દલીલો પૂર્ણ થઈ ચૂકી છે.
Advertisement
Advertisement
આજે સવારથી જ મિરઝાપુર ખાતે સવારથી જ ભીડ જોવા મળી રહી છે. પાસ સિવાય કોઈને એન્ટ્રી આપવામાં આવી રહી નથી.
2002માં થયેલા નરોડા ગામ હત્યાકાંડમાં નરોડા પોલીસ સ્ટેશનમાં 98/2002ની નંબરની ફરિયાદ FIR નોંધાઈ હતી. આ ફરિયાદમાં પોલીસે 28 જેટલા આરોપીઓને પકડીને તેમના પર IPC કલમ 307, 436, 435, 153 (A), 436, 149 અને 302 હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ કેસમાં પૂર્વ મંત્રી માયા કોડનાની, બજરંગદળ નેતા બાબુ બજરંગી સહિત 86ની સામે કેસ કરવામાં આવ્યો હતો જેમાંથી 18 જણાંની મૃત્યુ થઈ હતી.
નરોડા હત્યાકાંડની આ તપાસ પાછળથી ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી અને તેમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 50 આરોપીઓ સહિત કુલ 70 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. માયા કોડનાનીને નીચલી કોર્ટે 28 વર્ષની સંભળાવી હતી તે પછી ઉચ્ચ ન્યાયાલયમાંથી તેમને નિર્દોષ કરાર કરવામાં આવ્યા હતા
ગોધરા કાંડ બાદ 2002ના રમખાણોમાં નરોડા ગામ હત્યાકાંડ મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા ખાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા કોર્ટમાં કેસની અંતિમ દલીલો પૂર્ણ પૂર્ણ થઈ ચૂકી છે. નરોડા ગામ હત્યાકાંડ કેસમાં પોલીસે જે તે સમયે 86 થી વધુ લોકોની ધરપકડ કરી છે જેમાં પૂર્વ મંત્રી માયા કોડનાની સહિત 69 આરોપી સામે સ્પેશિયલ કોર્ટ આજે ચુકાદો સંભળાવ્યો હતો.
Advertisement