પ્રયાગરાજઃ તાજેતરમાં જ પ્રયાગરાજમાં નકલી બ્લડ પ્લેટલેટ્સ વેચવાનો મામલો સામે આવ્યો હતો. જેમાં મોસંબીનો જ્યુસ ચઢાવવાથી એક દર્દીનું મોત થયું હતું. હવે આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવી છે. નવીનતમ માહિતી અનુસાર, ‘મૌસંબી જ્યૂસ’ વિવાદમાં સામેલ યુપીની હોસ્પિટલને ડિમોલિશનની નોટિસ મળી છે. પ્રયાગરાજમાં અધિકારીઓ દ્વારા ખાનગી હોસ્પિટલને નોટિસ આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ, મંજૂરી વિના બનાવવામાં આવેલી હોસ્પિટલની બિલ્ડીંગને શુક્રવાર સુધીમાં ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે. મૃતક ડેન્ગ્યુના દર્દીઓના સંબંધીઓએ આરોપ લગાવ્યો છે કે પ્લેટલેટ્સને બદલે મોસંબીનો જ્યુસ ચડાવવામાં આવ્યો છે.
Advertisement
Advertisement
ડેન્ગ્યુના દર્દીના મૃત્યુના એક દિવસ પછી પ્રયાગરાજ પોલીસે ‘નકલી પ્લેટલેટ્સ’ ગેંગ ચલાવતા 10 લોકોની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓ બ્લડ પ્લાઝમા પ્લેટલેટના રૂપમાં વેચતા હતા. પ્રયાગરાજની આ ખાનગી હોસ્પિટલને આરોગ્ય વિભાગે પ્રાથમિક તપાસ બાદ 20 ઓક્ટોબરે જ સીલ કરી દીધી હતી, જ્યારે પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટીએ હવે હોસ્પિટલની ઇમારતને ગેરકાયદેસર ગણાવીને બુલડોઝર વડે તોડી પાડવાની નોટિસ ફટકારી છે. ડેવલપમેન્ટ ઓથોરિટીએ હોસ્પિટલ બિલ્ડીંગ પર અલ્ટીમેટમ નોટિસ પણ ચોંટાડી દીધી છે.
નોટિસમાં કહેવામાં આવ્યું છે કે 3 સપ્ટેમ્બર 2021ના રોજ તમને કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી હતી કે જે બિલ્ડિંગમાં હોસ્પિટલ ચાલી રહી છે તે ગેરકાયદેસર છે, તેનો નકશો પાસ નથી. તેથી, આનો જવાબ 17 સપ્ટેમ્બર 2021 અને 6 ઓક્ટોબર 2021 ના રોજ રાખવામાં આવ્યો હતો. પરંતુ તમારી તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો અને કોઈ નકશો રજૂ કરવામાં આવ્યો ન હતો. તેથી, 11 જાન્યુઆરી 2022 ના રોજ તેને તોડી પાડવાની નોટિસ જારી કરવામાં આવી હતી. હવે 28 ઓક્ટોબર 2022 સુધીમાં આ બિલ્ડિંગમાંથી સંચાલિત નર્સિંગ હોમ ખાલી કરો જેથી આગળની કાર્યવાહી થઈ શકે.
Advertisement