ગુજરાત એક્સક્લૂઝિવ: ઈરાનમાં હિજાબ (Iran Hijab Protest) મોટો હોબાળો મચેલો છે. મોટી સંખ્યામાં મહિલાઓ રોડ-રસ્તાઓ ઉપર ઉતરી આવી છે, હિજાબ સળગાવી રહી છે અને વાળ કાપી રહી છે. અત્યાર સુધી 30થી વધારે પ્રદર્શનકારીઓના મોતના સમાચાર છે. તમને યાદ હશે કે કેટલાક સમય પહેલા ભારતના અનેક હિસ્સાઓમાં પણ હિજાબને લઈને હોબાળો થયો હતો. આપણા દેશમાં પણ અનેક કોલેજોમાં છોકરીઓ હિજાબને લઈને પ્રદર્શન કરી રહી હતી. હવે આ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટ ચાલી રહી છે પરંતુ હાલમાં અનેક છોકરીઓનું ભણતર વચ્ચે જ છૂટી ગયું છે.
Advertisement
Advertisement
ઈરાન અને ભારત બંને દેશોમાં મહિલાઓ હિજાબને લઈને પ્રદર્શન કરી રહી છે. પરંતુ તેમાં એક ફરક છે… ઈરાનની મહિલાઓ હિજાબ ના પહેરવા માટે રસ્તાઓ પર ઉતરી છે અને ભારતની મહિલાઓ હિજાબ પહેરવા માટે શિક્ષણને પણ છોડવા માટે તૈયાર છે.
આનાથી પહેલા પિતૃસત્તાત્મક સમાજની વિચારસરણી તમારા મગજમાં આવે તે પહેલા થોડૂ વિચારો અને સમજો કે બંને દેશની લડાઇ અલગ નથી.
ઈરાનમાં હિજાબ પર શું વિવાદ છે?
લગભગ બે સપ્તાહ પહેલા મહસા અમીની જેને તેમના ઘરવાળા પ્રેમથી જીના નામથી બોલાવતા હતા, પોતાના પરિવાર સાથે કુર્દિસ્તાનથી તહેરાન આવી હતી. ઈરાન પોલીસે હિજાબ લો તોડવાના આરોપમાં તેની ધરપકડ કરી લીધી. આ લગભગ બે અઠવાડિયા પહેલાની વાત છે.
22 વર્ષની મહસા અમીનીને કસ્ટડીમાં લેવામાં આવી તેના ત્રણ દિવસ પછી પોલીસ કસ્ટડીમાં તેનું મોત થઈ ગયું. જે પછી ઈરાન પોલીસે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, અમીનીનું મોત એક હાર્ટ એટેકના કારણે થયું છે જે હિજાબની ટ્રેનિંગ લેતી વખતે મોરાલિટી પોલીસની કસ્ટડીમાં લાવવામાં આવી હતી. પરંતુ મહસા અમીનીના પરિવારે તે વાતને ફગાવી દીધી અને કહ્યું કે તેને બળજબરીપૂર્વક કસ્ટડીમાં લેવામાં આવી હતી અને તે એકદમ ફિટ હતી.
તે પછી મહસા અમીનીનું મોત ઈરાનમાં નેશનલ મુદ્દો બની ગઈ અને તે લોકોને બહાર રસ્તા ઉપર લાવીને ઉભા કરી દીધા જે લાંબા સમયથી કડક ઈસ્લામિક કાયદાઓનો વિરોધ કરી રહ્યાં હતા. ધીમે-ધીમે ઈરાનના અનેક શહેરોમાં પ્રદર્શન આગની જેમ ફેલાઈ ગયું અને હિજાબનો વિરોધ થવા લાગ્યો. અનેક મહિલાઓએ પોતાના હિજાબ ઉતારીને સળગાવી દીધા અને વિરોધમાં વાળ પણ કપાવી નાંખ્યા.
મહિલાઓ માંગ કરવા લાગી કે તે સરકારી ઈસ્લામિક કાયદાઓને ખત્મ કરવામાં આવે જે જનતાને બંધનમાં નાખે છે કે કેવા કપડા પહેરવા, કેવી રીતે લોકોને મળવુ, શું ખાવું છે અને શું પીવું છે? હાલમાં ઈરાનમાં અનેક જગ્યાએ ઈન્ટરનેટ બંધ છે, લોકો રસ્તાઓ પર છે અને આયતુલ્લાહ ખામેનઈની સરકાર કડક પગલા ભરી રહી છે.
ભારતમાં હિજાબ પર શું વિવાદ છે?
ભારતમાં હિજાબ પર વિવાદ 31 ડિસેમ્બર 2021માં શરૂ થયો, જ્યારે કર્ણાટકની એક શાળામાં હિજાબ પહેરીને આવેલી 6 શાળાઓને ક્લાસમાં જવાથી રોકી દેવામાં આવી હતી. ત્યાર બાદ તે છોકરીઓએ પ્રદર્શન શરૂ કરી દીધું. તે પછી ધીમે-ધીમે આ વિવાદ આખા દેશમાં ફેલાઈ ગયો. કર્ણાટક સરકારે તેના પાછળ તર્ક આપ્યો કે રાજ્યમાં છોકરીઓ માટે એક ડ્રેસ કોડ છે, જે પહેરીને જ શાળા-કોલેજમાં આવી શકાય છે. જ્યારે પ્રદર્શનકારી છોકરીઓનું કહેવું છે કે, તેઓ પહેલાથી જ હિજાબ પહેરીને આવી રહી છે તો હવે કેમ રોકવામાં આવી રહ્યાં છે. સાથે તેમનો એક તર્ક તે પણ હતો કે બંધારણમાં ધર્મને માનવાની અને તેમના હિસાબથી રહેવાની સ્વતંત્રતા આપવામાં આવી છે તો પછી તેમને હિજાબ પહેરાવાથી કેમ રોકવામાં આવી રહી છે?
તે પછી દેશમાં ચર્ચાએ જોર પકડ્યો કે હિજાબ પહેરવું જોઈએ કે નહીં, છોકરીઓ હિજાબ જ કેમ પહેરવા માંગે છે. જો કે હાલમાં કેસ સુપ્રીમ કોર્ટમાં છે અને અદાલતે મેરાથોન સુનાવણી કરીને નિર્ણય સુરક્ષિત કરી લીધો છે.
સર્વોચ્ચ અદાલત જે પણ નિર્ણય આપશે, તે બધાને માન્ય હશે. વિશ્વના સૌથી મોટા લોકતંત્રની જરૂરત છે. અને આ વધુ સારી રીત પણ છે.
પરંતુ ઈરાન અને ભારતના પ્રદર્શનોમાં હિજાબ ઉપરાંત પણ કેટલીક બાબતો કોમન છે અને તે છે મહિલાઓના અધિકાર. એક તરફ મહિલાઓને કહેવામાં આવી રહ્યું છે કે તમને શું પહેરવું જોઈએ. તો બીજી તરફ સમજાવવામાં આવી રહી છે કે તમારે શું પહેરવું જોઈએ નહીં. રીત, ભાષા અને કાયદા અલગ હોઈ શકે છે પરંતુ તે પ્રશ્ન એક જ છે કે… જેને હિજાબ પહેરવું છે તેમના અધિકાર શું છે? તે અન્ય કોઈ કેમ નક્કી કરે કે એક છોકરી શું પહેરશે અને શું નહીં.
પુરૂષોને પણ વિચારવું જોઈએ કે શું પોતાની મરજી ચલાવનાર છોકરીઓથી તેમને ચીડ થાય છે? જો થાય છે તો પછી ઈરાન હોય કે ભારત, આપણે બધા એક જ માનસિકતાવાળા… પિતૃસત્તાત્મક સમાજના રંગ બદલનારા કાચંડા સમાન છીએ.
Advertisement