નવી દિલ્હી: સોશિયલ મીડિયાના નુકસાન ઓછા નથી પણ તેનાથી શું ફાયદો થાય છે, તે આ વ્યક્તિને પૂછી જુવો જેનો જીવ સોશિયલ મીડિયાને કારણે બચી ગયો હતો. સોશિયલ મીડિયા કંપની મેટાના એક એલર્ટ અને એક SHOને તત્પરતાએ ગાઝિયાબાદમાં એક યુવકનો જીવ બચાવ્યો હતો. પોલીસ અનુસાર, ગાઝિયાબાદ જિલ્લાના વિજયનગરમાં 23 વર્ષીય એક યુવક ફેસબુક લાઇવ પર આત્મહત્યાનો પ્રયાસ કરી રહ્યો હતો, જેની જાણકારી જેવી જ ફેસબુકના કેલિફોર્નિયામાં બેઠેલા મેટા અધિકારીઓને થઇ તેમણે યુપી પોલીસના લખનઉં કાર્યાલયને જાણ કરી હતી.
Advertisement
Advertisement
કહેવામાં આવે છે કે તે બાદ કાર્યાલયમાંથી ગાઝિયાબાદ પોલીસને ફોન કરીને એલર્ટ કરવામાં આવી હતી, જેની જાણ થતા જ વિજયનગર પોલીસ સ્ટેશનના એસએચઓ અનીતા ચૌહાણે તુરંત કાર્યવાહી કરતા યુવકનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો અને તેમાં સફળતા મળી હતી.
ફેસબુક લાઇવ પર કરતો હતો આત્મહત્યા
પોલીસ અનુસાર, આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવક કન્નોજથી BSC કરી ચુક્યો છે, તેને બિઝનેસમાં નુકસાન થયુ હતુ અને તેને 90 હજાર રૂપિયા ગુમાવી દીધા હતા. આ પૈસા તેના પરિવારે તેની બહેનના લગ્ન માટે રાખ્યા હતા. પોલીસે કહ્યુ કે યુવકે 31 જાન્યુઆરીની રાત્રે 10 વાગ્યે એક ફેસબુક લાઇવ વીડિયો શરૂ કર્યો હતો, જેમાં તે કહેતો હતો કે તેની પાસે ખુદને મારવા સિવાય કોઇ વિકલ્પ નથી, તેને જણાવ્યુ કે તેના ખોટા નિર્ણયની સજા તેના પરિવારે ભોગવવી પડશે.
કેલિફોર્નિયામાં મેટા અધિકારીઓએ એલર્ટ કર્યુ
અમેરિકાના કેલિફોર્નિયામાં કેટલાક મેટા અધિકારીઓએ આ લાઇવ વીડિયો જોયો હતો. જે બાદ તેમણે તુરંત લખનઉં કાર્યાલયમાં તે યુવકના સોશિયલ મીડિયા એકાઉન્ટ, તેનો ફોન નંબર અને જગ્યાની જાણકારી યુપી પોલીસને મોકલી હતી. સાઇબર ટીમે વિજયનગરમાં પ્રતાપ વિહારમાં વ્યક્તિના આઇપી એડ્રેસને શોધ્યો હતો અને ગાઝિયાબાદમાં પોલીસને જાણકારી આપી હતી. વિજયનગર પોલીસ સ્ટેશનના મહિલા એસએચઓ અનીતા ચૌહાણ રૂટીન રાઉન્ડથી પોલીસ સ્ટેશને પરત ફરતા હતા ત્યારે તેમણે પોલીસ અધિકારી નિપુણ અગ્રવાલનો એક વ્યક્તિના આત્મહત્યાના પ્રયાસ અંગે એલર્ટ મળ્યુ હતુ.
યુવકનું ઘર શોધવુ પડકાર
ડીસીપીના કૉલ પર ચાર મિનિટ વાત કર્યા બાદ અનિતા ચૌહાણના ફોન પર તે વ્યક્તિનો ફોન નંબર અને સામાન્ય સ્થળ ફ્લેશ થયુ હતુ. SHOએ પરેશાન યુવકને શોધવા માટે એક મિશન શરૂ કર્યુ હતુ. SHO અનીતા ચૌહાણના નેતૃત્વમાં એક પોલીસ ટીમ પ્રતાપ વિહારમાં તે વ્યક્તિના ઘર માટે રવાના થઇ હતી પરંતુ રાત્રે ઘરની ઓળખ કરવી એક મોટો પડકાર હતો. અનિતા ચૌહાણ જાણતા હતા કે તે સમયે તે વ્યક્તિના ઘરને શોધી નહી શકે કારણ કે વિસ્તારમાં લગભગ 500 ઘર હતા. બીજી તરફ લાઉડસ્પીકરના ઉપયોગથી વિસ્તારમાં રહેતા રહેવાસીઓમાં અફરા તફરીનો માહોલ સર્જાઇ શકે છે.
આઠમા પ્રયાસમાં કૉલ ઉઠાવ્યો
અનિતા ચૌહાણે સૂજબૂઝનો પરિચય આપતા યુવકના મોબાઇલ પર સતત કૉલ કર્યો હતો. જોકે, શરૂઆતના કેટલાક કૉલ યુવકે ઉઠાવ્યા નહતા. અંતે આઠમી વખત તેને ફોન ઉઠાવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અનિતા ચૌહાણે યુવકને પોતાનો પરિચય આપ્યો હતો અને આશ્વાસન આપ્યુ કે પોલીસ તેના વિરૂદ્ધ કોઇ કાર્યવાહી નહી કરે. તે બાદ અનિતા ચૌહાણે તેને આત્મહત્યા કરવાના કારણને સમજવા માટે સવાલ પૂછ્યા હતા. જ્યારે અનિતા ચૌહાણે તેના પરિવાર અંગે પૂછ્યુ તો તે રડવા લાગ્યો હતો અને જણાવ્યુ કે તેને 90,000 રૂપિયા ગુમાવી દીધા છે જે તેની માતાએ પોતાની બહેનના લગ્ન માટે ભેગા કર્યા હતા.
મોબાઇલ ફોન વેચવાના વેપારમાં નુકસાન થયુ
ગાઝિયાબાદના સહાયક પોલીસ કમિશનર અંશુ જૈને કહ્યુ કે યુવકે સેકન્ડ હેન્ડ મોબાઇલ ફોન વેચવાનો પોતાનો વેપાર શરૂ કરવા માટે માર્ચ 2022માં ગુડગાંવની એક કંપનીમાં નોકરી છોડી દીધી હતી. છ મહિના પહેલા તેને પોતાની માતા પાસેથી પૈસા લઇને વેપાર શરૂ કર્યો હતો, તેને પોતાની માતાને દાવો કર્યો હતો કે તે આ વર્ષે પૈસા પરત કરી દેશે પરંતુ તે વેપારમાં બધુ ગુમાવી બેઠો હતો. SHO અને તેની ટીમ દ્વારા બે કલાક યુવકનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યુ હતુ જ્યાર સુધી તેના પરિવારના લોકો ના આવ્યા.
Advertisement