દમોહઃ મધ્યપ્રદેશના દમોહ જિલ્લામાં એક દલિત પરિવારના 3 સભ્યોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. એક ઘાયલને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ફાયરિંગનો આરોપ ગામના પ્રભાવશાળી પટેલો પર છે. દમોહના દેવરણ ગામમાં એક મહિલાની કથિત રીતે છેડતી થયા બાદ બંને પરિવારો વચ્ચે વિવાદ થયો હતો.
Advertisement
Advertisement
વિવાદ એટલો વધી ગયો કે મંગળવારે સવારે આરોપીઓએ 60 વર્ષીય માણક અહિરવાર, તેની પત્ની રાજપ્યારી અને 30 વર્ષના પુત્ર માનક અહિરવારની ગોળી મારીને હત્યા કરી નાખી.
માણકના ભાઈને પણ ગોળી વાગી છે, જેને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં 6 આરોપીઓ ફરાર છે. દમોહના પોલીસ અધિક્ષક ડી.આર. ટેનિવરે આ બાબતની પુષ્ટિ કરી છે.
Advertisement