નવી દિલ્હી: સ્વાસ્થ્ય અને પરિવાર મામલાના મંત્રાલય (Ministry of Health and Family Affairs)એ જણાવ્યુ કે ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડના 2,582 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 222 લોકો સ્વસ્થ થયા છે. છેલ્લા 24 કલાકમાં 1300 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. મહત્વપૂર્ણ છે કે 1 જાન્યુઆરીએ 173 કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,51,186 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
Advertisement
Advertisement
રિકવરી રેટ 98.8 ટકા
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 45,769 વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે અને રિકવરી દર વર્તમાનમાં 98.8 ટકા છે. હજુ સુધી રોજના પૉઝિટિવીટી રેટ 0.09 ટકા અને અઠવાડિક પૉઝિટિવીટી રેટ 0.13 ટકા છે.
સ્વાસ્થ્ય અને પરિવાર મામલાના મંત્રાલય અનુસાર અત્યાર સુધી કુલ 91.12 કરોડ કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે જ્યારે તેનાથી સ્વસ્થ થનારા (recoveries from Covid)ની કુલ સંખ્યા 4,41,45,667 થઇ ગઇ છે. 12-14 વર્ષ વયના વર્ગ માટે COVID-19 રસીકરણ 16 માર્ચ 2022માં શરૂ કરવામાં આવ્યુ હતુ. અત્યાર સુધી 4.12 કરોડ (4,12,35,971)થી વધુ એડલ્ટ્સને COVID-19 વેક્સીનનો પ્રથમ ડોઝ આપવામાં આવી ચુક્યો છે. આ રીતે 18-59 વર્ષના વર્ગ માટે COVID-19 બૂસ્ટર ડોઝ 10 એપ્રિલ 2022થી શરૂ થયુ હતુ.
આ ધ્યાન રાખવુ જરૂરી છે કે દેશમાં સ્વાસ્થ્ય સબંધી ચિંતાઓ વધી ગઇ છે કારણ કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (World Health Organization)ના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથન (Soumya Swaminathan) કહ્યુ કે 300થી વધુ કોરોનાના sub varriants હતા સાથે જ XBB એક ઘટક વેરિએન્ટ છે.
દુનિયામાં કોરોનાએ કેર વરસાવ્યો
મહત્વપૂર્ણ છે કે ચીન સહિત કેટલાક દેશમાં કોરોના ફરીથી પગ પેસારો કરી ચુક્યુ છે, જેને જોતા ભારતામં ફરી એક વખત કોરોનાથી બચવાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ચીનમાં સ્થિતિ ઘણી ખરાબ છે. આ વચ્ચે ચીનમાં તબાહી મચાવનારા ઓમીક્રૉનના સબ-વેરિએન્ટ BF.7 ઓમીક્રૉનના આ નવા વેરિએન્ટે ભારતમા પણ એન્ટ્રી કરી લીધી છે.
ગત અઠવાડિયે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાની સીનિયર સ્વાસ્થ્ય અધિકારીઓ સાથે ઓમીક્રૉનના નવા સબ-વેરિએન્ટ મામલે એક ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી. આ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો કે દેશભરમાં માસ્ક પહેરવુ ફરજિયાત રહેશે.
Advertisement