ઉદયપુરઃ રાજસ્થાનના ઉદયપુરમાં G-20 સમિટ પહેલા એક મોટું ષડયંત્ર નિષ્ફળ ગયું. અસલમાં અહીં રેલવે ટ્રેકને બ્લાસ્ટ કરીને ઉડાવી દેવાનો મામલો સામે આવ્યો છે. ધડાકાનો અવાજ સાંભળતા જ ગ્રામજનોએ ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. જે બાદ આ ષડયંત્રને નિષ્ફળ બનાવાયું હતું. રેલવે ટ્રેક પરથી ઘણા નટ-બોલ્ટ પણ ગાયબ થઇ ગયા હોવાનું સામે આવ્યું છે. ગ્રામજનોની સમજને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
Advertisement
Advertisement
રેલવે ટ્રેક ક્ષતિગ્રસ્ત થવાની ઘટના ઉદયપુર સલુમ્બર મેઘા હાઇવે પર ઓડા પુલ પાસે બની હતી. પાટા પરથી નટ-બોલ્ટ પણ ગાયબ થઇ ગયા છે. ટ્રેકની વચ્ચે લોખંડની પ્લેટ પણ ફાટેલી મળી આવી હતી. નજીકમાં રહેતા ગ્રામજનોના જણાવ્યા અનુસાર મોડી રાત્રે પુલ પર બ્લાસ્ટનો અવાજ પણ સાંભળ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે બ્લાસ્ટના લગભગ 4 કલાક પહેલા અહીંથી એક ટ્રેન પસાર થઈ હતી.
સવારે ગ્રામજનોની સૂચના પર રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ સાથે ઉદયપુરના ડિવિઝનલ કમિશનર રાજેન્દ્ર ભટ્ટ, જિલ્લા કલેક્ટર તારાચંદ મીના અને એસપી વિકાસ કુમાર શર્મા પણ ઘટનાસ્થળનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. દરમિયાન અમદાવાદથી ઉદેપુર જતી ટ્રેનને ડુંગરપુર ખાતે રોકી દેવામાં આવી છે. રેલવે મેનેજરે આ લાઇન પર દોડતી બંને ટ્રેનોને હાલ પુરતી અટકાવી દીધી છે. સ્થાનિક લોકોએ રેલવે ટ્રેક સાથે ચેડાં થયાની વાત પોલીસને કરી હતી. તેમની સતર્કતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ટ્રેક સાથે આ છેડછાડ શનિવાર રાતે કરવામાં આવી હતી.
આ ઘટના શનિવારની મોડી રાત્રે સલુમ્બર રોડ પર કેવડે કી નાલમાં આઢો રેલ્વે બ્રિજ પર બની હતી. અહીં સ્થાનિક ગ્રામજનોએ બ્લાસ્ટનો અવાજ સાંભળ્યો હતો. જે બાદ સ્થાનિક પોલીસ અને અન્ય લોકોને તેની જાણ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે ઉદયપુર અમદાવાદ ટ્રેનને પીએમ નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબર 2022ના રોજ અસારવા સ્ટેશનથી લીલી ઝંડી બતાવી હતી. આ ટ્રેક માટે 16 વર્ષ રાહ જોવી પડી હતી.
Advertisement