નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીમાં કેટલીક અટકળો, રાજસ્થાનમાં વિદ્રોહ અને કેટલાક નામ સામે આવ્યા બાદ હવે અંતે સ્પષ્ટ થઇ ગયુ છે કે આ પદ માટે મુખ્ય મુકાબલો શશિ થરૂર અને મલ્લિકાર્જૂન ખડગે વચ્ચે થશે. એવામાં જાણીયે કે આ બન્નેમાંથી કોનું પલડુ ભારે રહેશે.
Advertisement
Advertisement
દિગ્વિજય સિંહ બાદ થઇ ખડગેની એન્ટ્રી
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતના ચૂંટણી લડવાના ઇનકાર બાદ મધ્ય પ્રદેશના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહનું નામ સામે આવ્યુ હતુ પરંતુ બાદમાં ખડગેના ચૂંટણી લડવાની પૃષ્ટી થઇ ગઇ હતી, તે બાદ દિગ્વિજય સિંહે ચૂંટણી ના લડવાનો નિર્ણય કરવાની સાથે ખડગેનું સમર્થન કરવાની જાહેરાત કરી હતી, તેમણે કહ્યુ હતુ કે ખડગે તેમના સીનિયર નેતા છે અને તે તેમના વિરૂદ્ધ ચૂંટણી લડવા વિશે વિચારી પણ શકતા નથી.
કેવુ રહ્યુ થરૂર અને ખડગેનું શરૂઆતનું જીવન?
શશિ થરૂરનો જન્મ 9 માર્ચ, 1956માં લંડનમાં થયો હતો પરંતુ બાદમાં તેમનો પરિવાર ભારત આવી ગયો હતો, તેમણે મુંબઇ અને કોલકાતામાં સ્કૂલનો અભ્યાસ કર્યો અને દિલ્હી યૂનિવર્સિટીની સેન્ટ સ્ટીફન કૉલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યુ. તે ત્રણ દાયકા સુધી સંયુક્ત રાષ્ટ્ર સાથે જોડાયેલા રહ્યા હતા.
આ રીતે મલ્લિકાર્જૂન ખડગેનો જન્મ 21 જુલાઇ, 1942માં કર્ણાટકના બીદરમાં થયો હતો, તેમનો સ્કૂલનો અભ્યાસ ગુલબર્ગાની નૂતન સ્કૂલમાં થયો અને સરકારી કોલેજમાંથી કાયદાની ડિગ્રી લીધી હતી.
થરૂર અને ખડગેનો રાજકીય અનુભવ
થરૂર 2009માં રાજનીતિમાં આવ્યા હતા. 2009માં તે પ્રથમ વખત તિરૂવનંતપુરમથી લોકસભાની ચૂંટણી લડ્યા અને જીત મેળવી હતી. તે અહીથી સતત ત્રણ વખતના સાંસદ છે. તે ITની સંસદીય સમિતીના અધ્યક્ષ પણ છે.
આ રીતે ખડગે કોલેજમાં મજૂર આંદોલન સાથે જોડાયા અને વિદ્યાર્થી સંઘના મહાસચિવ બન્યા હતા. તે 1969માં કોંગ્રેસમાં આવીને ગુલબર્ગા કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષ બન્યા હતા. 1972માં પ્રથમ વખત ચૂંટણી લડી. તે નવ વખતના ધારાસભ્ય અને બે વખત લોકસભા સાંસદ રહ્યા છે.
સંપત્તિમાં ખડગેથી આગળ થરૂર
2019ની લોકસભા ચૂંટણીમાં આપવામાં આવેલા શપથ પત્ર અનુસાર, ખડગે પાસે 15.77 કરોડની સંપત્તિ છે અને તેમની પર એક ગુનાહિત કેસ દાખલ છે. આ રીતે થરૂર પાસે 35 કરોડની સંપત્તિ છે અને બે ગુનાહિત કેસ છે.
ચૂંટણીમાં શું છે થરૂરની તાકાત?
66 વર્ષીય થરૂર તમામ મુદ્દા પર બોલવામાં માહેર છે અને ટ્વિટર પર તેમણે પસંદ કરવામાં આવે છે. તે બે વખત કેન્દ્રીય મંત્રી પણ રહી ચુક્યા છે, એવામાં તેમની પાસે પ્રાશસનિક અનુભવ પણ છે. જો તે અધ્યક્ષ બને છે તો નવા વિચારથી પાર્ટીને ફરી જીવંત કરી શકે છે.
આ રીતે સારા સોશિયલ મીડિયા હાજરી અને સારા ભાષણ કૌશલને કારણે ભાજપ અને આમ આદમી પાર્ટી (AAP)ને દરેક મુદ્દા પર જડબાતોડ જવાબ આપી શકે છે.
શું છે થરૂરની નબળાઇ?
રાજકીય જાણકારો અનુસાર, સંગઠનાત્મક અનુભવની કમી થરૂરની સૌથી મોટી નબળાઇ છે. આ રીતે 2009માં તેમની કેટલ ક્લાસની સાથે યાત્રા કરવાની ટિપ્પણી અને 2014માં પત્ની સુનંદા પુષ્કરને આત્મહત્યા માટે ઉકસાવવા સહિત અન્ય આરોપ તેમની મુશ્કેલી છે. જોકે, સુનંદા પુષ્કર કેસમાં તેમણે 2021માં છોડી મુકવામાં આવ્યા હતા. આ રીતે તેમનું સ્પષ્ટવાદી હોવુ અને ગત દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરવી પણ તેમના વિરૂદ્ધ જાય છે.
થરૂરને ગાંધી પરિવારના વફાદાર માનવામાં આવતા નથી
થરૂરના પાછળ રહેવાનું સૌથી મોટુ કારણ તેમના ગાંધી પરિવાર પ્રત્યે વફાદાર ના હોવુ છે. તે કોંગ્રેસના તે G-23 ગ્રુપનો ભાગ છે, જેમણે બળવાના રૂપમાં સોનિયા ગાંધીને પત્ર લખીને સંગઠનાત્મક ઢાંચામાં સુધારની માંગ કરી હતી.
આ પણ વાંચો: #બેઠકપુરાણ તાલાળા (ગીર): ભાજપના વાવાઝોડાંમાં કોંગ્રેસના પડી ગયેલા આંબા ફરી ઊભા થશે ખરાં?
શું છે ખડગેની મજબૂતી?
ખડગેની સૌથી મોટી મજબૂતિ રાજનીતિમાં તેમનો 45 વર્ષનો અનુભવ છે. આ સિવાય તે એક દલિત નેતાના રૂપમાં શાંત અને સારા સ્વભાવ માટે જાણીતા છે, તેમની સાથે કોઇ પણ રાજકીય વિવાદ જોડાયેલો નથી. ખડગેએ કેટલાક વર્ષમાં ગાંધી પરિવારનો વિશ્વાસ મેળવ્યો છે અને તેમણે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે ઘનિષ્ઠ સબંધ છે. તે મિશન સાઉથની સાથે રાહુલ ગાંધીની પણ મદદ કરી રહ્યા છે.
ખડગેને દિગ્ગજ નેતાઓનું સમર્થન
કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ખડગેના નોમિનેશનની ખબર પડતા જ તમામ દિગ્ગજ નેતાઓનું સમર્થન છે. જેમાં અશોક ગહેલોત, દિગ્વિજય સિંહ, પ્રમોદ તિવારી, આનંદ શર્મા, બીએસ હૂડા અને મનીષ તિવારી, પીએલ પુનિયા, એકે એન્ટની, પવન કુમાર બંસલ અને મુકુલ વાસનિક વગેરેનું નામ સામેલ છે. જેમાં આનંદ શર્મા, બીએસ હૂડા અને મનીષ તિવારી G23 ગ્રુપના સભ્ય છે. એવામાં તેમના ખડગેનું સમર્થન કરવા થરૂરને પછાડવાના સૌથી મોટા સંકેત છે.
આ તમામ વસ્તુ પર પણ થરૂર પર ભારે છે ખડગે
ખડગેના વિપક્ષના નેતાઓ સાથે પણ સારા સબંધ છે, તેમના NCP પ્રમુખ શરદ પવાર, CPM મહાસચિવ સીતારામ યેચુરી, TMC પ્રમુખ મમતા બેનરજી સાથે ઘણા સારા સબંધ છે. આ રીતે તેમની કર્ણાટક સાથે મહારાષ્ટ્રમાં પણ સારી પકડ છે. એવામાં તે બન્ને રાજ્યમાં કોંગ્રેસને ફાયદો અપાવી શકે છે. તે મજૂરો વચ્ચે ઘણો લોકપ્રિય રહ્યો છે અને લાંબા સમય સુધી મજૂરોના હક માટે લડ્યા છે, તેમણે તેનો ફાયદો મળી શકે છે.
Advertisement