કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણી (Congress President Election)એ કોંગ્રેસ શાસિત સૌથી મોટો રાજ્ય-રાજસ્થાનમાં રાજકિય સંકટ ઉભું કરી દીધું છે. તે બુધવાર, 21 સપ્ટેમ્બરની ઘટનાક્રમથી સ્પષ્ટ થાય છે.
Advertisement
Advertisement
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે તેમના 10 જનપથ સ્થિત આવાસ પર લબભગ બે કલાક સુધીની મુલાકાત કરી હતી. કથિત રીતે બેઠકમાં કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલ અને કોષાધ્યક્ષ પવન કુમાર બંસલ પણ હાજર હતા.
બીજી તરફ આ વચ્ચે રાજસ્થાનના પૂર્વ ડિપ્ટી સીએમ અને રાજ્યની રાજનીતિમાં તેમના વર્તમાન પ્રતિદ્વંદ્વી સચિનપાયલોટ, કેરલના એર્નાકુલમ જિલ્લામાં ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી સાથે હાજર હતા.
અશોક ગહેલોત અને સચિનપાયલોટ બંને જ ગુરૂવારે, 22 સપ્ટેમ્બરે ભારત જોડો યાત્રામાં એક સાથે હાજરી આપશે. પ્રશ્ન તે છે કે શું આનો મતલબ તે નિકાળવામાં આવે કા રાજસ્થાનની ડીલ ફાઈનલ થઈ ગઈ છે?
કોંગ્રેસ માટે રાજસ્થાનમાં રાજકીય સંકટનું કારણ એ છે કે અશોક ગેહલોત રાજસ્થાનમાં પોતાનો ઉત્તરાધિકાર સચિનપાયલોટને સોંપવાના પક્ષમાં નથી.
અગાઉ અશોક ગેહલોતે કહ્યું હતું કે તેઓ રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ પદ સંભાળવા માટે મનાવવા માટે વધુ એક પ્રયાસ કરશે. પાર્ટીના અનેક રાજ્ય અને પ્રાદેશિક એકમોએ પહેલાથી જ રાહુલ ગાંધીને ફરી એકવાર પાર્ટીના વડા બનવા માટે ઠરાવ પસાર કર્યા છે. તે ઉપરાંત અશોક ગહેલોતે એવા પણ સંકેત આપ્યા હતા કે તેઓ પાર્ટીના અધ્યક્ષ પદ સાથે સીએમની જવાબદારી પણ સારી રીતે નિભાવી શકે છે.
કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીની રેસમાં ગેહલોતના સંભવિત હરીફ અને તિરુવનંતપુરમથી ત્રણ વખતના સાંસદ શશિ થરૂરે પણ કહ્યું છે કે જો રાહુલ ગાંધી અધ્યક્ષ પદ સ્વીકારવા તૈયાર છે તો તેઓ ચૂંટણીમાં ભાગ લેશે નહીં.
જોકે, આ પછી પણ રાહુલ ગાંધી સહમત ન થાય તો અશોક ગેહલોતે ઉમેદવારી નોંધાવવી પડશે, જેના કારણે આ ગેહલોત અને થરૂર વચ્ચે ચૂંટણી જંગ બની ગયું છે. ગેહલોતને ગાંધી પરિવાર અને પાર્ટીના એક મોટા વર્ગનું સમર્થન છે, આ સ્થિતિમાં તેમની જીત ઓછામાં ઓછી નિશ્ચિત છે. જેના કારણે રાજસ્થાનમાં તેમના અનુગામીનો પ્રશ્ન પાર્ટી માટે મોટો મુદ્દો બનાવી દીધો છે.
શું છે ગેહલોત જૂથની માંગ?
મંગળવારે મોડી રાત્રે ગેહલોતે રાજસ્થાનના તમામ કોંગ્રેસના ધારાસભ્યો સાથે બેઠક કરી અને તેમને કહ્યું કે તેઓ ફરી એકવાર રાહુલ ગાંધીને મનાવવાનો પ્રયાસ કરશે, પરંતુ જો તેમ ન થયું તો તેઓ અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવશે.
અશોક ગેહલોતે ઉમેદવારી પત્ર ભરવાની સ્થિતિમાં ધારાસભ્યોને દિલ્હી આવવાનું આમંત્રણ પણ આપ્યું છે.
ધારાસભ્યો સાથે બેઠક અને દિલ્હીમાં તેમને આમંત્રણ બંને ગેહલોતનો શક્તિ પ્રદર્શન છે. આ પાર્ટી નેતૃત્વને કહેવાની રીત છે કે તેમને રાજ્યના મોટાભાગના ધારાસભ્યોનું સમર્થન છે.
આ જ મહત્વપૂર્ણ ફેક્ટર છે જેને 2018માં કોંગ્રેસને ચૂંટણી જીતવા અને 2022માંપાયલોટના કથિત બળાવા દરમિયાન પણ પાયલોટના પડકારને દૂર કરવામાં તેમની મદદ કરી હતી.
રાજસ્થાન સરકારમાં ગહેલોતના સમર્થકોના સાથે-સાથે ધારાસભ્યોનું કહેવું છે કે તેઓપાયલોટના હાથ નીચે કામ કરવા ઈચ્છતા નથી. તેમાંથી કેટલાકના તર્ક છે કે તેમને એવા વ્યક્તિના નેતૃત્વને સ્વીકાર કરવો નથી જેને કથિત રીતે પાર્ટીના વિરૂદ્ધ વિદ્રોહ કર્યો હતો.
રાજસ્થાન સરકારમાં મંત્રી અશોક ચંદના દ્વારાપાયલોટ પર હાલમાં કરવામાં આવેલા શાબ્દિક હુમલો પણ દર્શાવે છે કે તેમનું સમર્થન ઓછું છે. જ્યારે ગહેલોતના વફાદાર અશોક ચંદનપાયલોટની જેમ જ ગુર્જર જાતિમાંથી આવે છે.
ગહેલોતે પોતાની તરફથી સ્પષ્ટ કર્યું છે કે તે ગુજરાત ચૂંટણી થવા સુધી રાજસ્થાનમાં પાવર (સત્તા) ટ્રાન્સફર કરવા ઈચ્છતા નથી, પછી ભલે તે સચિનપાયલોટ હોય અથવા અન્ય કોઈ ઉમેદવાર જેના નામ પણ બધાની સામાન્ય સહમતિ હોય. અશોક ગહેલોત ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસના વરિષ્ઠ સીનિયર ઓબ્ઝર્વર છે.
જોકે, ગહેલોત જૂથે નિમ્ન પ્રસ્તાવોને આલાકમાન સામે રાખવાની કોશિશ કરી રહ્યાં છે
ગહેલોતને પાર્ટી અધ્યક્ષ બન્યા પછી પણ કેટલાક સમય માટે CM પદ ઉપર રાખવામાં આવે.
ગહેલોતની પસંદના વ્યક્તિને CM બનાવવામાં આવે. જે નામ સૂચવ્યું છે તે વિધાનસભા અધ્યક્ષ સીપી જોશીનું છે.
રાજસ્થાનના સીએમ બનેલા રહેતા ગહેલોતને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવશે.
એક વચ્ચેના ફોર્મૂલા ઉપર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે જે અનુસાર સીપી જોશી અથવા ગહેલોતને સ્વીકાર્ય કોઈ અન્ય નેતા CM બને અનેપાયલોટને ડિપ્ટી CM બનાવવામાં આવે અને તેમને ગૃહ મંત્રાલયનો પ્રભાર આપવામાં આવે.
સીપી જોશી વિશેની આ અટકળો રસપ્રદ છે કારણ કે તેમને 2008માં રાહુલ ગાંધીનું સમર્થન પ્રાપ્ત હતું, પરંતુ તેઓ 1 વોટથી પોતાની સીટ હારી જતાં તેઓ સીએમ બની શક્યા ન હતા. જયપુરની સિવિલ લાઈન્સ સ્થિત સીપી જોશીના બંગલા નંબર 49માં છેલ્લા એક સપ્તાહમાં ગતિવિધિ વધી છે અને ત્યાં ઘણી બેઠકો થઈ રહી છે.
વધુ એક નામ જેના પર ચર્ચાઓ ચાલી રહી છે તે નામ રઘુ શર્માનું છે.
ગેહલોત અને તેમના સમર્થકો સારી રીતે જાણે છે કે જો પાયલોટ સિવાય અન્ય કોઈ અત્યારે સીએમ બનશે તો ગેહલોતને 2028માં ફરી એકવાર સીએમ બનવાની તક મળશે. ત્યાં સુધીમાં કોંગ્રેસ અધ્યક્ષ તરીકેનો તેમનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ જશે.
પરંતુ જો હાલમાં પાયલોટ મુખ્યમંત્રી બને છે તો બીજી વખત સીએમ બનવામાં ગહેલોતને મુશ્કેલી આવી શકે છે, કારણ કેપાયલોટ રાજ્યમાં પાર્ટીનો મુખ્ય ચહેરો બની શકે છે.
મીડિયા સાથે વાત કરતા પાયલોટે કહ્યું છે કે પાર્ટીમાં એક વ્યક્તિ બે હોદ્દા પર રહી શકે નહીં. મતલબ કે તેઓ સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે કે જો ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષ બનવા ઈચ્છે છે તો તેમણે રાજસ્થાનના મુખ્યમંત્રી પદ છોડવું પડશે.
ગેહલોત, પાયલોટ અને ગાંધી પરિવાર બધા જ કેમ એક મૂંઝવણમાં છે?
કોંગ્રેસના આ રાજસ્થાન સંકટમાં એક રસપ્રદ પાસું તે છે કે આમાં સામેલ બધા લોકો કોઈને કોઈ રીતની મૂંઝવણમાં છે. ગહેલોત ભલે પાર્ટી અધ્યક્ષ બની જાય, પરંતુ તેઓ રાજસ્થાનની સત્તામાં બનેલા રહેવા ઈચ્છે છે, પછી ભલે તેઓ સીએમ બનેલા રહે અથવા કોઈ એવો ચહેરો સીએમ બને તે તેમને સ્વીકાર્ય હોય.
જો એવું થાય છે તો કોંગ્રેસ અધ્યક્ષના રૂપમાં ગહેલોત માટે પ્રથમ પડકાર સચિન પાયલટના વિદ્રોહને પહોંચીવળવાનું હશે. જો પાયલોટ કોંગ્રેસ છોડે છે તો તેઓ ગહેલોત માટે તેમના અધ્યક્ષીય કાર્યકાળની શરૂઆતમાં જ મુશ્કેલી ઉભી કરશે.
બીજી સ્થિતિમાં જો પાયલોટ સીએમ બની પણ જાય છે તો પણ બંનેમાંથી કોઈને માટે પણ તે સરળ રહેશે નહીં. એક તરફ પાયલોટને પાર્ટી પ્રમુખના રૂપમાં ગહેલોત અને રાજસ્થાનના તેમના વફાદાર ધારાસભ્યોના વિરોધનો સામનો કરવો પડશે. બીજી તરફ ગહેલોત પણ મુશ્કેલ સ્થિતિમાં હશે કેમ કે ત્યારે પાર્ટી અધ્યક્ષ જ પોતાના એક સીએમ વિરૂદ્ધ વિદ્રોહનું નેતૃત્વ કરી રહ્યો હશે.
કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી માટે આ એક સરળ વિકલ્પ નથી. પહેલા જ ગહેલોતને પાર્ટી અધ્યક્ષ બનવા મનાવવા માટે સોનિયા ગાંધીએ ખુબ જ મહેનત કરી છે. ગહેલોતે પોતાની અનિચ્છા હોવા છતાં સોનિયા ગાંધીની માંગ માની લીધી છે. તે જ કારણ છે કે સોનિયા ગાંધી પર દબાણ હશે કે ઓછામાં ઓછી ઉત્તરાધિકારી માટે તેમની પસંદને સ્વીકાર કરે.
બીજી તરફ તેવું પણ કહેવામાં આવે છે કે રાહુલ ગાંધીએ 2018ની ચૂંટણીઓથી પહેલા પાયલોટને CMની ખુરશી આપવાનો વાયદો કર્યો છે. પરંતુ તે છતાં જ્યારે ગહેલોતની પસંદગી થઈ તો કથિત રીતે રાહુલ ગાંધીએ પાયલોટને પોતાનો વાયદો યથાવત રાખ્યો હતો અને તેમને ધીરજ રાખવાનું કહ્યું હતું.
એટલે હવે સમય છે કે રાહુલ ગાંધી પોતાના વાયદાને પૂરો કરે. જોકે તેઓ ગહેલોતાના વિરૂદ્ધ જવાથી પહેલા વિચારશે કેમ કે ગહેલોતે કોંગ્રેસ અધ્યક્ષ બનવા માટે સહમતિ આપીને તેમને અધ્યક્ષ બનવાના દબાણથી બચાવી લીધા છે.
સચિન પાયલોચ પાસે પણ વધારે વિકલ્પ નથી. તેમની પાસે એટલા ધારાસભ્યોનો સમર્થન નથી કે તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવે નહીં તો તેઓ રાજસ્થાનની સરકાર તોડી પાડી શકે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ આવું જ કામ મધ્ય પ્રદેશમાં કર્યું અને પછી બીજેપીએ તેમને કેન્દ્રીય મંત્રી પદનું પુરસ્કાર આપ્યું.
જોકે, પાયલોટ માટે તેવી જ કોઈ શક્યતાઓ નથી કે તેમને પણ બીજેપી તરફથી આવી કોઈ ડીલ મળશે. તે વાતનો કોઈ પુરાવો પણ નથી કે પાયલોટ વર્તમાનમાં બીજેપી સાથે કંઈ વાતચીત કરી રહ્યાં છે.
પરંતુ તેઓ બીજેપીમાં સામેલ થઈ જાય છે તો તેમને મુખ્યમંત્રી બનવાની શક્યતા નથી, કેમ કે હજું પણ વસુંધરા રાજે પ્રભાવશાળી છે અને ગજેન્દ્ર સિંહ શેખાવત પણ તકની રાહ જોઈને બેસ્યા છે.
તે પછી પાયલોટ પાસે પોતાની પાર્ટી બનવાનો કોઈ વિકલ્પ બચ્યો છે, જે સરળ કામ નથી. કેમ કે રાજસ્થાનની પારંપારિક રૂપથી કોંગ્રેસ અથવા બીજેપીને જ વોટ આપ્યા છે, જે પછી નાની પાર્ટીઓ હાંશિયા પર જ રહી છે. નાની પાર્ટીઓમાં પણ હનુમાન બેનીવાલની RLP અને ભારતીય ટ્રાઈબલ પાર્ટી પહેલા જ ઝઝૂમી રહી છે.
ગહેલોત અને પાયલોટ બંને જ જાણે છે કે રાજસ્થાનના મતદાતાઓ દર પાંચ વર્ષે બીજેપીને હટાવીને કોંગ્રેસ અને કોંગ્રેસને હટાવીને બીજેપીને લાવે છે. આદર્શ રૂપથી બંનેમાંથી (ગહેલોત-સચિન) કોઈપણ 2023માં સંભવિત હારનું કારણ બનવા માંગતુ નથી.
જ્યારે ગહેલોત એક મોટા પદ તરફ વધી રહ્યાં છે, તે પાયલટ માટે સૌથી સારી તક ગણાશે. જોકે પંજાબમાં નવજોત સિંહ સિદ્ધૂ અને ચરણજીત ચન્નીનું ઉદાહરણ પાયલોટ માટે એક શિખામણ છે કે ભવિષ્યમાં સારા ભવિષ્યમાં સારા અવસરની પ્રતીક્ષા કરવી અથવા ઘણા લાંબા સમયથી ખુરશી મળવી બંને જ ખરાબ વિકલ્પ છે.
ડૂબતી કોંગ્રેસ એક તરફ ભારત જોડો યાત્રા કરી રહી છે, તો બીજી તરફ પોતાની અંદરોદર જ અનેક ગણી સમસ્યાથી પીડાઈ રહી છે. પોતાની તમામ મતભેદ અને સમસ્યાઓને ઉકેલ્યા વગર કોંગ્રેસ ભારત જોડો યાત્રા કરીને પોતાની નવી ઈનિંગ શરૂ કરવાની ઈચ્છા રાખી રહી છે, પરંતુ તે કેટલી સફળ રહેશે તે અંગે વિશ્વાસપૂર્વક કંઇ જ કહી શકાય નહીં.
એક વાત ચોક્કસ છે કે જ્યારે કોંગ્રેસમાં નવા ઉત્સાહી અને હોશિયાર ચહેરાઓ જોડાશે ત્યારે કોંગ્રેસનું પુન:જન્મ થશે. કોંગ્રેસને મુસ્લિમોની પાર્ટી તરીકે ચિતરીને બીજેપીએ તેને મરણશૈયા ઉપર સુવડાવી દીધી છે. તેથી જ આમ આદમી પાર્ટીનો વિસ્તાર ધીમે-ધીમે દેશભરમાં થઈ રહ્યો છે. જ્યાં કોંગ્રેસની સરકાર છે, તે બધી જ જગ્યાએ આમ આદમી પાર્ટી પેઠ બનાવી રહી છે. તેથી બીજેપીને તો તેનાથી કોઈ નુકશાન નથી પરંતુ કોંગ્રેસનો સફાયો ચોક્કસ રીતે થઈ જશે.
શું કોંગ્રેસની સ્થિતિ ગુજરાતમાં બગડશે?
ગુજરાતની વાત કરીએ તો 2022ની વિધાનસભાની ચૂંટણીમાં તો અસદુદ્દિન ઔવેસીની પાર્ટી ચૂંટણી લડવા આવી રહી છે, તે સ્થિતિમાં કોંગ્રેસ વિપક્ષમાંથી પણ બહાર થઈ શકે છે. આગામી દિવસોમાં કદાચ આમ આદમી પાર્ટી ગુજરાતમાં વિપક્ષમાં બેસી હોઈ શકે છે, પરંતુ ક્યારે? જ્યારે ગુજરાત કોંગ્રેસના સુવાળા નેતાઓ ગ્રાઉન્ડ ઉપર ઉતરશે નહીં ત્યારે. કેમ કે આમ આદમી પાર્ટી અને બીજેપીના નેતાઓ ગ્રાઉન્ડ ઉપર રહીને કામ કરવાનું શરૂ કરી ચૂક્યા છે. પરંતુ કોંગ્રેસના નવાબના ગુણ ધરાવતા નેતાઓનો પબ્લિકમાં જવાથી જીવ કચવાતું હોય તેવું લાગી રહ્યું છે.
કોંગ્રેસ રાજ્યવાર પોતાની સ્થિતિને મજબૂત કરવાનું કામ કરવાની જગ્યાએ ખોટી દિશામાં કામ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે જે રાજ્યોમાં કોંગ્રેસની સરકાર છે અથવા તે વિપક્ષમાં છે, ત્યાં પોતાની સ્થિતિને મજબૂત કરવા માટે અત્યારથી જ મોટા પાયે પગલા ભરવામાં આવશે તો જ આગામી દિવસોમાં તેનું પરિણામ મળશે. પરંતુ વર્તમાનમાં કોંગ્રેસ અધ્યક્ષ પદ અને અંદરોદરની સમસ્યાઓને જ પહોંચીવળવામાં સક્ષમ દેખાઈ રહી નથી, તેવામાં તે દેશભરમાં પોતાની સ્થિતિને કેવી રીતે મજબૂત કરી શકશે? તે એક મોટો યક્ષ પ્રશ્ન છે.
Advertisement