નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના ‘નમક’ ધરાવતા નિવેદન પર કોંગ્રેસના નેતા ઉદિત રાજના ટ્વીટથી વિવાદ થયો છે. ભાજપે ઉદિત રાજની ટિપ્પણીને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે અને તેમની પર અને કોંગ્રેસ પર નિશાન સાધ્યુ છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યુ કે આ પ્રથમ વખત નથી જ્યારે ઉદિત રાજે આ રીતના શબ્દોનો ઉપયોગ કર્યો હોય, આ તેમની આદિવાસી વિરોધી માનસિકતાને દર્શાવે છે.
Advertisement
Advertisement
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ તાજેતરમાં બે દિવસના ગુજરાતના પ્રવાસે હતા. આ દરમિયાન તેમણે સાબરમતી આશ્રમ પહોચીને મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ આપી હતી. તે બાદ તેમણે એક કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યુ હતુ કે ગુજરાતમાં દેશનું 76 ટકા નમક બનાવવામાં આવે છે. એમ કહી શકાય કે તમામ દેશવાસી ગુજરાતનું નમક ખાય છે.
ઉદિત રાજે શું કહ્યું?
કોંગ્રેસના નેતા ઉદિત રાજે ટ્વીટ કરીને કહ્યુ હતુ કે દ્રૌપદી મુર્મૂજી જેવો રાષ્ટ્રપતિ કોઇ દેશને ના મળે. ચમચાગિરીની પણ હદ છે. કહે છે 70% લોકો ગુજરાતનું નમક ખાય છે. ખુદ નમક ખાઇને જીવન જીવે તો ખબર પડશે. તે પછી ઉદિત રાજે વધુ એક ટ્વીટ કર્યુ હતુ, તેમણે કહ્યુ કે મારૂ નિવેદન દ્રૌપદી મુર્મૂજી માટે અંગત છે, કોંગ્રેસ પાર્ટીનું નથી. દ્રૌપદી મુર્મૂને ઉમેદવાર બનાવ્યા અને આદિવાસી નામથી વોટ માંગ્યા. રાષ્ટ્રપતિ બનવાથી શું તે આદિવાસી નથી રહ્યા? દેશના રાષ્ટ્રપતિ છે તો આદિવાસીના પ્રતિનિધિ પણ. રડવુ આવે છે જ્યારે એસસી/એસટીના નામથી પદ પર આવે છે અને પછી ચુપ થઇ જાય છે.
આ પણ વાંચો: ગુજરાતમાં દેશનું 76 ટકા નમક બને છે, તમામ દેશવાસી ખાય છે ગુજરાતી નમક- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ
ભાજપે નિશાન સાધ્યુ
સંબિત પાત્રાએ કહ્યુ કે કોંગ્રેસના નેતા ઉદિત રાજ દ્વારા રાષ્ટ્રપતિ મુર્મૂ માટે ઉપયોગ કરવામાં આવેલા શબ્દ ચિંતાજનક, દૂર્ભાગ્યપૂર્ણ છે. આ પ્રથમ વખત નથી જ્યારે તેમણે આ રીતના શબ્દોનો ઉપયોગ કર્યો છે. આ પહેલા કોંગ્રેસના અધીર રંજન ચૌધરીએ પણ આવુ જ કર્યુ હતુ. આ તેમની આદિવાસી વિરોધી માનસિકતાને દર્શાવે છે.
Advertisement