નવી દિલ્હીઃ તાજેતરમાં જ પોતાના નિવેદનો અને કહેવાતા ચમત્કારો બતાવવાના દાવાઓથી ચર્ચામાં રહેલા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ પર નિવેદન આપીને હંગામો મચાવ્યો હતો. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે નેતાજીનું સૂત્ર હતું, ‘તમે મને લોહી આપો, હું તમને આઝાદી અપાવીશ’, હવે મારું એ જ સૂત્ર છે, ‘તમે અમને સાથ આપો, અમે હિંદુ રાષ્ટ્ર બનાવીશું’, તેમના આ નિવેદન પછી રાજકારણ ગરમાયુ છે.
Advertisement
Advertisement
આ દરમિયાન બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે સંઘ પરિવારની હિન્દુ રાષ્ટ્રની વિચારધારા પર આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ વિચારધારા મહાત્મા ગાંધીના વિચારોની વિરુદ્ધ છે. નોંધનીય છે કે સમાજવાદી નેતા નીતીશ કુમારે ગયા વર્ષે ભાજપ સાથેનું તેમનું લાંબુ ગઠબંધન તોડી નાખ્યું હતું. જ્યારે નીતિશ કુમારને હિંદુ રાષ્ટ્ર વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે ખુદ મહાત્મા ગાંધી પણ હિંદુ રાષ્ટ્રની વિરુદ્ધ હતા.
થોડા દિવસો પહેલા જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભારતના હિન્દુ રાષ્ટ્રની કલ્પનાને ખુલ્લેઆમ સમર્થન આપ્યું હતું.
નીતીશ કુમારે વધુમાં કહ્યું કે આપણે મહાત્મા ગાંધી વિરુદ્ધ કંઈ સાંભળવું જોઈએ નહીં. આ દેશમાં તમામ ધર્મના લોકો સાથે રહે છે. તે એકતાના સમર્થક હતા અને તેથી જ તેમની હત્યા કરવામાં આવી હતી.
નીતિશ કુમારે 1990ના દાયકામાં ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું અને અટલ બિહારી વાજપેયી સરકારમાં મહત્વપૂર્ણ પદો પર રહી ચૂક્યા છે. નીતિશ કુમાર સૌથી લાંબા સમય સુધી બિહારના મુખ્યમંત્રી રહ્યા છે. ગયા વર્ષે નીતીશ કુમાર ફરી એકવાર NDAથી અલગ થઈ ગયા અને હવે મહાગઠબંધન સાથે બિહારમાં સરકાર ચલાવી રહ્યા છે.
Advertisement