નવી દિલ્હી: કોઇમ્બતૂર કાર બ્લાસ્ટ કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એક્ટિવ છે. NIAની ટીમ તમિલનાડુ, કર્ણાટક અને કેરળમાં કેટલાક સ્થળો પર રેડ ચાલી રહી છે. જાણકારી અનુસાર NIA અધિકારીઓએ 60 સ્થળની તપાસ કરી છે. કહેવામાં આવે છે કે પ્રતિબંધિત આતંકી સંગઠન ISIS સાથે સબંધ રાખનારા શંકાસ્પદોને પકડવા માટે આ રેડ કરવામાં આવી છે.
Advertisement
Advertisement
શું છે કોઇમ્બતૂર કાર બ્લાસ્ટ કેસ?
મહત્વપૂર્ણ છે કે ગત વર્ષે દીવાળીના એક દિવસ પહેલા કોઇમ્બતૂરના સંગમેશ્વર મંદિર સામે કારમાં સિલેન્ડર બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટમાં 25 વર્ષીય જમેશા મુબીનનું મોત થયુ હતુ. તપાસમાં ખબર પડી કે જમેશા પોતાના અન્ય સાથીઓ સાથે દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારમાં બોમ્બ વિસ્ફોટનું ષડયંત્ર રચી રહ્યા હતા.
ભારે સંખ્યામાં વિસ્ફોટક જપ્ત
પોલીસને તેના ઘરમાંથી ભારે માત્રામાં વિસ્ફોટક મળ્યા હતા. તપાસ દરમિયાન કોઇમ્બતૂર રેલ્વે સ્ટેશનનો નકશો, સિટી પોલીસ કમિશનર ઓફિસ, કોઇમ્બતૂર કલેક્ટરેટ, રેસ કોર્સ અને વિક્ટોરિયા હોલના રોડમેપ મળ્યા હતા. પોલીસનું એમ પણ કહેવુ હતુ કે જમેશા ISISના સંપર્કમાં હતો.
મેંગલુરૂમાં ઓટો રિક્ષામાં પ્રેશર કુકર બોમ્બ વિસ્ફોટ
કર્ણાટકના મેંગલુરૂમાં ગત વર્ષે ઓક્ટોબરમાં એક ઓટો રિક્ષામાં પ્રેશર કુકર બોમ્બ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં આરોપી મોહમ્મદ શારિક પણ ઘાયલ થયો હતો. કેટલાક કેસમાં આરોપી શારિક લાંબા સમયથી ફરાર હતો. તપાસમાં ખબર પડી કે શારિક RSS સાથે જોડાયેલા સંગઠનો દ્વારા આયોજિત કાર્યક્રમમાં વિસ્ફોટ કરવાની ફિરાકમાં હતો.
Advertisement