નવી દિલ્હી: કોંગ્રેસ તરફથી ભારત જોડો યાત્રા દિલ્હીથી હવે ઉત્તર પ્રદેશ તરફ આગળ વધી ગઇ છે. અયોધ્યાના રામ મંદિરના મુખ્ય પુજારીએ પોતાની શુભકામનાઓ રાહુલ ગાંધીને મોકલી છે. આચાર્ય સત્યેન્દ્ર દાસ મહારાજે પત્રના માધ્યમથી રાહુલ ગાંધીને તેમના લક્ષ્યમાં સફળ થવા માટે આશીર્વાદ આપ્યા છે અને લખ્યુ કે તે આશા કરે છે કે તે જે પણ લક્ષ્ય લઇને ચાલી રહ્યા છે, તેમાં તેમણે સફળતા મળશે.
Advertisement
Advertisement
સ્વાસ્થના કારણોથી યાત્રામાં સામેલ ના થઇ શક્યા આચાર્ય-કોંગ્રેસ
આચાર્યએ પત્રમાં લખ્યુ, “તમારી ભારત જોડો યાત્રા મંગળમય હોય. તમે જે દેશ જોડવાના લક્ષ્યને લઇને ચાલી રહ્યા છો તેમાં તમને સફળતા મળે, તમે દીર્ઘાયુ અને સ્વસ્થ રહો. તમે જે દેશહિતમાં કામ કરી રહ્યા છે, તે વસ્તુ સર્વજન સુખાય સર્વજન હિતાય છે.” અયોધ્યા કોંગ્રેસના પ્રવક્તા સુનીલ કૃષ્ણ ગૌતમે કહ્યુ કે આચાર્ય પણ ભારત જોડો યાત્રામાં સામેલ થવા માંગતા હતા પરંતુ સ્વાસ્થ્યને જોતા તે અસમર્થ છે, માટે તેમણે પત્ર લખીને પોતાનું સમર્થન આપ્યુ છે.
મહત્વપૂર્ણ છે કે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ઉત્તર પ્રદેશમાં પ્રવેશ કરી ગઇ છે. ભારત જોડો યાત્રા 30 જાન્યુઆરીએ જમ્મુ કાશ્મીરમાં પૂર્ણ થશે. રાહુલ ગાંધી શ્રીનગરમાં તિરંગો લહેરાવશે અને અહી યાત્રાનું સમાપન થશે.
Advertisement