નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવતા કેન્દ્ર સરકારના 2016માં 500 રૂપિયા અને 1000 રૂપિયાની નોટને બંધ કરવાનો નિર્ણય યથાવત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે મોદી સરકારની નોટબંધીને પડકાર આપનારી 58 અરજીની સુનાવણી કરતા આ નિર્ણય સંભળાવ્યો છે. જસ્ટિસ અબ્દુલ નજીરની અધ્યક્ષતા ધરાવતી 5 જજની બંધારણીય બેંચે કહ્યુ કે આર્થિક નિર્ણયને બદલી શકાતા નથી.
Advertisement
Advertisement
આ પહેલા જસ્ટિસ અબ્દુલ નજીરની અધ્યક્ષતા ધરાવતી 5 જજની બંધારણીય બેન્ચે પાંચ દિવસની ચર્ચા બાદ 7 ડિસેમ્બરે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો. નિર્ણય સંભળાવનારી બેંચમાં જસ્ટિસ અબ્દુલ નજીર, જસ્ટિસ બીઆર ગવઇ, જસ્ટિસ એ.એસ.બોપન્ના, જસ્ટિસ વી.રામાસુબ્રમણ્યન અને જસ્ટિસ બી.વી. નાગરત્ના સામેલ રહ્યા હતા.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના 2016માં 500 રૂપિયા અને 1000 રૂપિયાની નોટને બંધ કરવાનો નિર્ણય યથાવત રાખ્યો છે.
જસ્ટિસ બીવી નાગરત્નાએ કહ્યુ- RBI ભારતીય અર્થવ્યવસ્થાની દીવાલ
જસ્ટિસ બીવી નાગરત્નાએ કહ્યુ કે હું સાથી જજો સાથે સહમત છું પરંતુ મારૂ તર્ક અલગ છે. મે તમામ 6 સવાલના અલગ અલગ જવાબ આપ્યા છે. મે RBIના મહત્વ અને તેમના અધિનિયમ અને દેશની આર્થિક નીતિઓનો ઉલ્લેખ કર્યો છે, તેમણે કહ્યુ કે, ભારતીય રિઝર્વ બેન્ક ભારતીય અર્થવ્યવસ્થાની દીવાલ છે. મે દુનિયાભરમાં આ રીતના વિમુદ્રીકરણ કવાયતના ઇતિહાસનો હવાલો આપ્યો છે, તેમણે કહ્યુ કે આપણે આર્થિક કે નાણાકીય નિર્ણયના ગુણ દોષ કાઢવાના નથી.
નોટબંધીની પ્રકિયામાં કોઇ કમી નહતી- સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે કહ્યુ કે નોટબંધી પહેલા કેન્દ્ર અને RBI વચ્ચે સલાહ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે માન્યુ કે નોટબંધીનો નિર્ણય લેતા સમયે અપનાવવામાં આવેલી પ્રક્રિયામાં કોઇ કમી નહતી. માટે આ નોટિફિકેશનને રદ કરવાની કોઇ જરૂર નથી.
RBIએ શું કહ્યું?
કેન્દ્ર સરકારને ભલામણ કરવા માટે આરબીઆઇ અધિનિયમ હેઠળ પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું છે. આરબીઆઇની કેન્દ્રીય બોર્ડની બેઠકમાં નિર્ધારિત કોરમ પૂરૂ કરવામાં આવ્યુ હતુ, જેને ભલામણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. લોકોને કેટલીક તક આપવામાં આવી, પૈસાને બદલવા માટે મોટા સ્તર પર વ્યવસ્થા કરવામાં આવી હતી.
Advertisement