- પ્રજાપતિ અને રબારી સમાજના લોકોને રાજકીય ભાગીદારી ના આપતા બીજેપીથી નારાજ
- ઉમેદવાર જાહેર થયા પછી બીજેપીમાં ઉભો થયો વિરોધનો વંટોળ
- ટિકિટ માટે અંદરોદર જ પૂર્વ નેતાઓએ પોકાર્યો બળવો
- દિગ્ગજ નેતાઓને સાઈડલાઈન કરાતા પક્ષ પ્રત્યે નારાજગી વધી
ગુજરાત એક્સક્લૂઝિવ: ગુજરાત વિધાનસભા 2022 ચૂંટણીને લઇને ગુજરાતમાં પ્રતિદિવસ નવા સમીકરણ સામે આવી રહ્યાં છે, તેમાંય જ્યારથી બીજેપી દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે, ત્યારથી બીજેપીમાં અનેક ભડકાઓ થઇ રહ્યાં છે. જેમની ટિકિટ કપાઈ છે તેવા ધારાસભ્યોએ ભાજપ સામે મોરચા ખોલ્યા છે. આવા નારાજ થયેલા ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. જેઓ ટિકિટ કપાઈ જવાથી નારાજ થઈને બીજી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આ દિવસોમાં ગુજરાતમાં નારાજ નેતાઓ અને તેમના સમર્થકો બળવો કરી રહ્યા છે. 182માંથી ઓછામાં ઓછી 48 બેઠકો પર ભાજપમાં વિરોધ થયો છે.
Advertisement
Advertisement
આ બેઠકો હાલથી જ ભાજપના હાથમાંથી સરકી રહી હોવાનું દેખાઈ રહ્યું છે. તો અન્ય 22 બેઠકો એવી છે, જ્યાં અત્યાર સુધી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી, તે સીટો પણ એવી છે, જ્યાં બીજેપીને યોગ્ય ઉમેદવાર શોધવા અઘરા બની ગયા છે. તેવામાં તે સીટો પણ બીજેપી માટે જીતવી મુશ્કેલ બની રહી શકે છે. કુલ 70થી વધારે એવી સીટો છે, જે અત્યારથી જ બીજેપીના હાથમાંથી સરકતી દેખાઇ રહી છે.
બીજેપી 22 બેઠકો જાહેર કરી શકી નથી. વળી જે જાહેર થઈ છે તેમાં 23 બેઠકો પર ભાજપમાં આંતરિક ડખા છે. જેમાં 8 નેતાઓની સામે વિરોધ હોવાથી તેઓ ચૂંટણી જીતી શકે તેમ ન હોવાથી તેમને કથિત રીતે કહેવું પડ્યું હતું કે તમે સ્વૈચ્છાએ જાહેર કરો કે તેઓ ચૂંટણી લડવા માંગતા નથી. અમદાવાદની 22 બેઠકો માંથી 20 બેઠકોના ઉમેદવારો જીતે તેમ ન હોવાથી તેમની સામે વિરોધ જોઈને બદલવા પડ્યા છે.
મોદીએ દરમિયાનગારી કરી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેના ઉમેદવારો નક્કી કરવા મળેલી ભાજપ કેન્દ્રિય ચૂંટણી સમિતિની બેઠકમાં ભારે તડાફડી થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરમિયાનગીરી કરીને નેતાઓને શાંત પાડી ઘટનાક્રમથી અત્યંત નારાજ થયા હતા. ગુજરાત ભાજપમાં ભારે આંતરિક જૂથબંધી છે. જૂથના નેતાઓએ પોતપોતાના માણસોને ટિકિટો અપાવવા માટે ઉગ્ર રજૂઆતો કરતાં બેઠકમાં ભારે ગરમી થઈ ગઈ હતી. મોદીએ નેતાઓને ટપાર્યા હતા. મોદીએ નેતાઓને આકરા શબ્દો કહી કામે લાગવા પણ સૂચના આપી હતી.
અમદાવાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલના વિસ્તાર અમદાવાદમાં 22 બેઠકોમાંથી 20 બેઠક પરના ઉમેદવારો બદલવા પડ્યા છે. 6 બેઠકો પર ભારે વિરોધ છે.
અમદાવાદ શહેરમાં માત્ર ભૂપેન્દ્ર પટેલ અને જગદિશ પંચાલ સિવાય કોઈને રીપિટ કર્યા નથી. અમદાવાદની તમામ બેઠકો પર ઉમેદવારો બદલી નાંખ્યા છે. અમદાવાદમાં ભાજપને હારની બીક હતી. તેથી બેને બાદ કરતાં તમામને બદલી કાઢ્યા છે.
પાટીલનું સુરત
ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના સુરતમાં 16 બેઠકો પર આંતરિક વિરોધ છે. પાટીલ પણ તમામ ઉમેદવારોને અમદાવાદની જેમ બદલવા માંગતા હતા. પણ બલદી શક્યા નથી. વિરોધ થયો તેથી તે ન ઈચ્છતા એવા અનેક ઉમેદવારોને ટિકિટ આપવી પડી છે. જેમાં કુમાર કાનાણી મુખ્ય છે.
આ પણ વાંચો: Gujarat election 2022: ભાજપે જાહેર કરી સ્ટાર પ્રચારકોની યાદી, નીતિન પટેલ-વિજય રૂપાણી સહિત 40 નેતા ગજવશે ગુજરાત
લિંબાયત સુરત
પક્ષ પ્રમુખ સી આર પાટીલના વિસ્તારમાં અને પાટીલના ખાસ એવા સંગીતા પાટીલ સામે ભારે વિરોધ છે. લિંબાયત વિસ્તારમાં વર્તમાન ધારાસભ્ય બદલવાની માંગ કરતાં બેનરો ઘણા સમયથી રસ્તાઓ પર લગાવવામાં આવી રહ્યાં છે. લિંબાયત વિસ્તારના ધારાસભ્ય સંગીતાબેનના વિરોધમાં પોસ્ટરો લાગ્યા છે. પોસ્ટરમાં તેમનું અને ભાજપના ચિન્હ સાથે સંગીતા પાટીલ હટાવો લીંબાયત બચાવોના નારા લાગ્યા છે. સુરતમાં ભાજપનું ગઢ માનવામાં આવતું લિંબાયત ત્યાંના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ છે. સંગીતાબેન પાટીલના કામો ઉપર ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે.
શંકર ચૌધરી
સેન્સ પ્રક્રિયામાં ભાજપના શંકર ચૌધરીનો વિરોધ ભાજપના કાર્યકરોએ વાવ બેઠક પર કર્યો હતો. વાવ વિધાનસભા બેઠક પરથી શંકર ચૌધરીને ટિકિટ ન આપવા અંગે રજૂઆત કરવા સ્થાનિકો પહોંચ્યા હતા. આયાતી ઉમેદવાર આવશે તો ભાજપની હારશે એવું ભાજપના સ્થાનિક નેતાઓએ જાહેર કર્યું હતું. વાવના સ્થાનિકોએ બનાસડેરી ચેરમેન શંકરભાઇ ચૌધરીનો વિરોધ કર્યો હતો.
વરિષ્ઠ નેતાઓની નારાજગી
ભાજપે આ વખતે સિનિયર ધારાસભ્યોને ઘેર બેસાડી દીધા છે. ભાજપે મંત્રી- ઘણાં ધારાસભ્યોના પત્તા કાપી નાંખ્યા છે. તેઓ વિરોધ નહીં કરે તો પણ નિષ્ક્રિય થઈ શકે છે. નવા અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા નેતાઓની રાજકીય સફરને નવી શરૂઆત મળી છે. મધુ શ્રીવાસ્તવ સિવાયના તમામ ભાજપના દબંગની છાપ ધરાવતા નેતાઓએ પોતાની ટીકીટ મેળવવામાં સફળ રહ્યા છે. વજુભાઈ વાળા,વિજય રૂપાણી, નરેશ પટેલ પોતાના સંતાનો માટે નહીં પણ પોતાના માનીતાઓ માટે ટિકીટ માંગી રહ્યા છે. નેતાઓ ટિકીટ માટે લોબીંગ કરી રહ્યા હોવાથી પાર્ટીમાં ભારે ધમાસાણ જામ્યું છે.
22 વિસ્તારોમાં વિવાદ
ભાજપે 160 બેઠકોના ઉમેદવારો જાહેર કર્યા, પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 6 બેઠકો પર કોકડું ગૂંચવાયું હતુ. હજુ 22 સીટો પર ઉમેદવારો નક્કી નથી. જ્યાં વિવાદ છે ત્યાં, આ બેઠકો પર છેલ્લા દિવસે જ સીધા ઉમેદવારને ફોન કરીને ઉમેદવારી પત્ર ભરવા મોકલી દેવાય તો પણ નવાઈ નહીં. 22 બેઠકોમાં મોટાભાગની ઉત્તર અને મધ્ય ગુજરાતની છે. જ્યાં હજુ ઉમેદવારો નક્કી કરી શકાયા નથી. એ જ બતાવે છે કે ભાજપમાં આંતરિક ખેંચતાણ વચ્ચે બધુ સમુસુતરું નથી. 22 બેઠકોમાં ધોરાજી, ખંભાળિયા, કુતિયાણા, ભાવનગર- ઈસ્ટ, દેડિયાપાડા, ચોર્યાસી, રાધનપુર, પાટણ, ખેરાલુ, હિંમતનગર, ગાંધીનગર સાઉથ, ગાંધીનર નોર્થ, માણસા, કલોલ, વટવા, પેટલાદ, મહેદાવાદ, ઝાલોદ, ગરબાડા, પાવી જેતપુર, સયાજીગંજ, માંજલપુર,
60 ટકાને ટિકિટ નહીં
160 ઉમેદવારો જાહેર કરેલા છે. જેમાં 76 ધારાસભ્યોને ફરીથી ઉમેદવાર જાહેર કર્યા છે. હાલના 38 ધારાસભ્યોની ટિકિટ કપાઈ છે. ગયા વખતે 2017માં જેમટે ટિકિટ આપી હતી એવા 84 ઉમેદવારો કે ધારાસભ્યોને કાપી કઢાયા છે. જે 60 ટકા થાય છે. ઉત્તર મધ્ય ગુજરાતની સીટો પર ઉમેદવાર પસંદગીમાં વિલંબ જોવા મળ્યો છે. દબંગ ધારાસભ્યોને ફરીથી ટિકિટ આપવી પડી છે. 2017માં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડેલા 7 ઉમેદવારોને આ ચૂંટણીમાં ભાજપે ટિકિટ આપી છે. 19માંથી બીજા કપાયા છે. જેમાં ધવલ ઝાલા અને બ્રિજેશ મેરજા છે.
જયનારાયણ વ્યાસ
નરેન્દ્ર મોદીની સરકારના એક સમયના મંત્રી જયનારાયણ વ્યાસે પાટીલની નીતિ સામે વિરોધ કરીને રાજીનામું આપી દીધું હતું. તેઓ ભાજપની બહાર રહીને ચૂંટણી લડશે.
મધુશ્રીવાસ્તવ
ભાજપના બાહુબલી વડોદરા જિલ્લાની વાઘોડિયા વિધાનસભા બેઠક પરના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાયા બાદ ભાજપ સામે ઉમેદવારી કરવાની જાહેરાત કરી હતી. પહેલા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી. હવે તેમને ફેરવી કહ્યું હતું કે, મારી પત્ની મારી બાજુમાં ઉભી હતી તેથી તેને સારું લાગે તે માટે મેં કહ્યું હતું. હું ભાજપનો સેવક બનીને જ રહીશ. તેમના સ્થાને તેમના પત્ની ચૂંટણી લડે તેવી જાહેરાત કરી હતી. હવે તેમને જાહેરાત કરી છે કે તેઓ અપક્ષ ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે ભાજપે કીધા પછી મારી ટિકિટ કાપી છે તેથી કાર્યકરો નારાજ થયા છે માટે મારે અપક્ષ ચૂંટણી લડવી પડશે.
સોમા ગાંડા કોળી પટેલ
ભાજપના નેતા સોમા ગાંડા કોળી પટેલે અપક્ષ તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ સોમા પટેલ ચોટીલા બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડવા માટે ફોર્મ લીધું છે. જો કે સોમા પટેલ ખરેખર ચૂંટણી લડશે કે પછી સેટિંગમાં ખસી જશે એ તો સમય જ કહેશે. છેલ્લે 2020માં રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસમાંથી રાજીનામુ આપેલું હતું. ત્યારે એક વિડિયોણાં તેમણે કહ્યું હતું કે વિજય રૂપાણીએ તેમને પૈસા આપ્યા હતા. સોમાભાઇ પટેલ અત્યાર સુધીમાં 7 વખત લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે, 4 વખત જીત્યા છે. બે વખત ધારાસભ્યની ચૂંટણી પણ જીત્યા છે.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણી: ભાજપે વધુ 6 ઉમેદવાર જાહેર કર્યા, કુતિયાણાથી ઢેલીબેન ઓડેદરાને ટિકિટ
વજુ વાળા
પૂર્વ રાજ્યપાલ વજુ વાળા. હાલ OBCની રાજકોટમાં કોઈપણ બેઠક નથી, તેમજ જે જીતી શકતા હોય તેને જ પાર્ટી ટીકીટ આપશે. આ સાથે જ તેમણે કહ્યું કે, તેજસ ભટ્ટી મારો અંગત મદદનીશ નહીં ભાજપનો કાર્યકર છે, આથી તેણે પણ પોતાની દાવેદારી નોંધાવી હતી. જુનિયર ક્લાર્ક તરીકે રાજકોટ મહાનગરપાલિકામાં નોકરી કરી ચૂકેલા હાલ લોન સેવામાં વજુ વાળાના અંગત મદદનીશ તરીકે મુકાયેલા તેજસ ભટ્ટીએ ભાજપમાંથી રાજકોટ વિધાનસભા બેઠક 68 અને 69 માટે ટિકિટ મેળવવા માટે પોતાનો બાયોડેટા પક્ષમાં આપ્યો હતો.1985થી રાજકોટ 69 વેસ્ટ સીટ પર ભાજપ જીતે છે. વજુ વાળનું રાજીનામુ અપાવીને, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંથી જ પોતાના રાજકીય સફરની પહેલી ચૂંટણી લડ્યા હતા. વજુ વાળા પાંચ વખત આ બેઠક પરથી વધુ જીત્યા હતા. વાળાએ ભાજપની કેટલી બેઠકો ગુજરાતમાં આવશે તે અંગે પણ બોલવાનું ટાળ્યું હતું અને કહ્યું હતું કે, અમારા પ્રદેશ અધ્યક્ષે કહ્યું છે તેટલી બેઠકો મળશે તેવું જણાવ્યું હતું.
મનસુખ વસાવા
ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું હતું કે, ઝઘડિયા બેઠક પર જીત મેળવી શકે અને પ્રજાના કામ કરી શકે તેવો ઉમેદવાર પાર્ટીએ આપવો જોઈએ. તેમજ ભૂતકાળમાં યોગ્ય ઉમેદવાર ન મળવાના કારણે સીટ જીતી શક્યા ન હતા. સાંસદ મનસુખ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે ઝઘડિયા વિધાનસભા બેઠક પર સેન્સ પક્રિયા દરમિયાન જે નામો આપવામાં આવ્યા છે તેમાંથી જ ઉમેદવારની પસંગી કરવામાં આવે. બહારનો કોઈ ઉમેદવાર ન હોવો જોઈએ. પાર્ટી અમને આ વખતે નારાજ નહિ કરે તેમ જણાવ્યું હતું.
અલ્પેશ ઠાકોર
અલ્પેશ ઠાકોર સામે રાધનપુરમાં વિરોધ થતાં તેની બેઠક બદલવી પડી છે. તાજેતરમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે રાધનપુરની બેઠક પર ભાજપ દ્વારા અલ્પેશ ઠોકોરને ટિકિટ મળશે એવી જાહેરાત કરી હતી. તે ફેરવવી પડી છે. ઠાકોર સમાજમાં વિરોધ જાગ્યો છે. સ્થાનિક ભાજપમાં પણ બહારના વ્યક્તિને નહીં પણ સ્થાનિક વ્યક્તિને ટિકિટ આપવાની માગ ઊઠી હતી. રાધનપુરની બેઠક પરથી હારનાર અલ્પેશ ઠાકોરનો ભારે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે રાધનપુર વિધાનસભા બેઠક પર અલ્પેશ ઠાકોરનો વિરોધ ચરમસીમાએ પહોંચ્યો હતો. પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોરે અલ્પેશ ઠાકોરના વિરોધ કર્યો હતો. અલ્પેશ ઠાકોર ટિકિટ લઈને આવશે તો બીજી વાર હારશે. ભાજપ દ્વારા અલ્પેશ ઠાકોરને ટિકિટ અપાશે તો ભાજપ રાધનપુરની બેઠક ગુમાવશે તે નક્કી છે. તેથી વિસ્તાર બદલવો પડ્યો છે.
બોટાદમાં વિરોધ
ભાજપે બોટાદમાં નવા ઉમેદવાર ઊભો રાખતાં વિરોધ થયો છે. નવા ઉમેદવારની વાયુ વેગે ફેલાયેલી વાત બાદ ભાજપના કાર્યકરો ખફા થયા છે. હાલ ભાજપ બોટાદના ઉમેદવારને લઈને પણ વિરોધનો સામનો કરી રહ્યું છે. અહીં ભાજપે નવા ચહેરાને ઉતારતા જ વિરોધના સૂરો જોવા મળી રહ્યા છે. ભાજપે બોટાદમાં ઘનશ્યામ વિરાણી ટિકિટ આપી છે, તો આ બેઠક પરથી આમ આદમી પાર્ટીએ ઉમેશ મકવાણાને ટિકિટ આપી છે. બોટાદ વિધાનસભા બેઠક પર ભાજપમાં ભડકો થયો છે. ઉમેદવાર ઘનશાયમ વિરાણીનો સંગઠનમાં ઉગ્ર વિરોધ, કાર્યકરો નારાજ છે. બોટાદ માર્કેટીંગ યાર્ડમાં સંગઠનમાં મહત્વના હોદેદારો અને કાર્યકરો ગાંધીનગર જવા એકઠા થયા હતા. બોટાદ તાલુકા પ્રમુખ,પ્રદેશ સંગઠન ના હોદેદારો, માર્કેટીંગ યાર્ડના સભ્યો, જિલ્લા પંચાયતના સદસ્યો, શહેર સંગઠનના 100 જેટલા હોદ્દેદારો હાજર રહી સૌરભ પટેલને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરી હતી. ગાંધીનગર સી.આર.પાટીલને રજૂઆત કરી હતી. બોટાદમાં સુરેશ ગોધાણીને ટિકિટ આપવાની પણ માંગણી હતી.
શંભુપ્રસાદ ટુંડિયા – ગઢડા
બોટાદ જિલ્લાની106 બેઠક પર શંભુ પ્રસાદ ટુંડિયાના નામની જાહેરાત કરતા વિરોધ શરૂ થયો છે. બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે 2000થી વધુ કાર્યકરો અને આગેવાનો એકઠા થયા હતા. ઉમેદવાર બદલવામાં આવે જેમાં ગઢડા બેઠક પર આત્મારામ પરમારને ટીકીટ આપવામાં આવે તેવી રજુવાત કરવામાં આવી છે. સુરેશ ગોધાણીના સમર્થનમાં કાર્યકરોએ સુત્રોચાર કર્યો હતો. 500 કાર્યકરો અને આગેવાનો દ્વારા રાજીનામા અપાયા છે. આપેલ રાજીનામાને લઈ જિલ્લા ભાજપ પ્રમુખ અરવિંદ વનાળિયાએ રાજીનામાનો સ્વીકાર કર્યો છે. તેમજ કાર્યકરોની રજુઆત હાઈકમાન્ડ સુધી પહોંચડાવાની ખાત્રી આપી છે. તેમજ કાર્યકરો અને આગેવાનોના રાજીનામાને લઈ સીટ પર અસર પડશે તે વાતનો સ્વીકાર કર્યો છે.
વરાછા – કુમાર કાનાણી
ભાજપના નેતા મુકેશ કોઠિયાએ કહ્યું કે, વરાછામાં બહારના ઉમેદવારો કેમ લાવો છો. તેમની કામગીરી કેટલે અંશે વ્યાજબી છે એ તો ગામ જાણે છે, હું નથી કહેતો. કાનાણી પોતાનો મત પોતાને જ આપી શકતા નથી. તેમનું રેસિડેન્ટ અને કાર્ય ક્ષેત્ર ઉત્તર વિધાનસભા છે. તો વરાછામાં કેમ માગવા આવો છો. ઉમેદવાર બદલો, બદલવાની ખૂબ જરૂરિયાત છે. પાર્ટીને આંખ ખોલે. હું એમ નથી કહેતો કે, મને ટિકિટ મને જ ટિકિટ આપો, મને નહીં તો અન્ય કાર્યકર્તાને ટિકિટ આપો. ટિકિટ આપો એટલે કે સ્થાનિક લોકોને આપો.
કરજણ
કરજણ બેઠક પર અક્ષય પટેલને રિપિટ કરવામાં આવ્યા છે.
પાદરા
ભાજપની ટિકિટ વહેંચણીનો વિરોધ, બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ પાદરા બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. પાદરા બેઠક પરથી ભાજપ દ્વારા ચૈતન્યસિંહ પ્રતાપસિંહ ઝાલાને ટિકિટ આપવામાં આવી છે. ભાજપ દ્વારા ચૈતન્યસિંહને ટિકિટ અપાતાં અન્ય દાવેદારોમાં નારાજગી જોવા મળી રહી છે. જેમાંથી સૌથી મોટું નામ બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ ઉર્ફે દિનુ મામાનું છે. પાદરા બેઠક પર પણ કાર્યકરો નિરાશ થયા છે. પાદરા બેઠક અહીં 2017ની ચૂંટણીમાં પરથી ભાજપના ઉમેદવાર દિનેશ પટેલનો વિજય થયો હતો. જોકે આ ચૂંટણીમાં તેમને ટિકિટ ન અપાતા કાર્યકરોમાં નિરાશા જોવા મળી રહી છો. આ વખતે ભાજપે પાદરા બેઠક પરથી ચૈજન્યસિંહ ઝાલાને ટિકિટ આપી છે.
વિસનગર-ખેરાલુ
વિસનગરમાં ઋષિકેશ પટેલને રિપિટ કરાયા છે. જેની સામે ભાજપના નેતા વિપુલ ચૌધરી હવે AAPના ઉમેદવાર બની ચૂંટણી લડશે. આ ચૂંટણીમાં ઋષિકેશ પટેલ અને વિપુલ ચૌધરી વચ્ચે પણ સ્પર્ધા જોવા મળશે. તો ખેરાલુમાં મુકેશ દેસાઇને કોંગ્રેસ દ્વારા ટિકિટ આપતા તેમના સામે મજબૂત ઉમેદવાર શોધવામાં બીજેપીને મુશ્કેલી આવી રહી છે. ખેરાલુમાં મુકેશ દેસાઈ સામાન્ય લોકો માટે ગ્રાઉન્ડ પર રહીને કામ કરનારા વ્યક્તિ હોવાથી તેમને ભરત ડાભી પણ ટક્કર આપી શકે તેમ નથી. તો બીજી તરફ અજમલ ઠાકોર જે વર્તમાન ધારાસભ્ય છે, તેઓ ક્યારેય ગ્રાઉન્ડ લેવલે કામગીરી કરતાં લોકોએ ક્યારેય દેખ્યા પણ નથી.
મહેસાણા
ભાજપમાંથી વિજય રૂપાણી અને નીતિન પટેલની ટિકિટ કપાય એ પહેલાં પોતે જ ચૂંટણીમાંથી દાવેદારી પાછી ખેંચી છે, ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વિધાનસભા રેસમાંથી બહાર થઈ ગયાં હતા. મહેસાણામાં નિતીન પટેલ સામે વિરોધ હોવાથી તેઓ હારી જાય તેમ હોવાથી તેમને ટિકિટ આપવામાં આવી નથી. 2012 અને વર્ષ 2017થી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ મહેસાણા બેઠક પર વિજેતા બન્યા છે. આ વખતે ભાજપમાંથી અહીં મુકેશ પટેલ ચુંટણીમાં ઉભા રહ્યા છે.
આ પણ વાંચો: ગુજરાત ચૂંટણીમાં કોંગ્રેસનો સાથ, ભાજપ વિરૂદ્ધ પ્રચાર, જાણો શંકરસિંહ વાઘેલાનો શું છે પ્લાન?
8 સામે વિરોધ
ભાજપના 8 પૂર્વ પ્રધાનો, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સામે વિરોધ છે. તેથી તેઓ ચૂંટણી હારી જાય તેમ હોવાથી, આંતરિક વિરોધ થવાની સંભાવના વચ્ચે ભાજપે નવી રણનીતિ બનાવી છે. આ રણનીતિમાં ભાજપ હવે જે પૂર્વ મંત્રીઓની ટિકિટ કાપવાનું છે, તેમની પાસેથી જ તેમના લેટર પેડ પર જાહેરાત કરાવી રહ્યું છે કે તેઓ ચૂંટણીમાં ઉમેદવારી નહીં કરે. તેમાં વિજય રૂપાણી અને નીતિન પટેલે ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે.
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળ, પૂર્વ કૃષિ મંત્રી આર.સી.ફળદુ, પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમા, પ્રદીપ જાડેજા અને ભરત બોઘરાની સામે વિરોધ હોવાથી ટિકિટ આપી નથી.
કુંવરજી બાવળિયા
રાજકોટ જિલ્લાની જસદણ વીંછિયા વિધાનસભા બેઠક પર ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કરતાં પૂર્વે જ પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ પ્રચાર શરૂ કરી દીધો હતો. હવે ભાજપમાં તેમની સામે અંદરથી વિરોધ ચાલું થયો છે. કુંવરજીભાઇ બાવળિયા પાછલી 2017ની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી વિજેતા બની પક્ષપલટો કરી ભાજપમાં પ્રવેશ કરી ફરી ભાજપમાંથી પેટાચૂંટણીમાં વિજેતા બન્યા હતા.
હાર્દિક પટેલ
વિરમગામ બેઠક પર હાર્દિક પટેલ માટે ભાજપમાં જ આંતરિક વિરોધનો સૂર હોવા છતાં હાર્દિક પટેલને ટિકિટ અપાઇ છે.
માતર
ભાજપના ખેડા જિલ્લાના માતરના ધારાસભ્ય કેસરી સિંહનું નામ કાપી નાખતા કેસરી સિંહે નારાજગીના સૂર વ્યક્ત કર્યા છે. કેસરી સિંહે પોતાના ટ્વિટર એકાઉન્ટ ઉપર આમ આદમી પક્ષના નેતા ગોપાલ ઇટાલિયા સાથેનો ફોટો શેર કર્યો હતો.
મહુવા – ભાવનગર
ભાવનગરના મહુવા બેઠક પર શીવા ગોહિલનું નામ જાહેર થતા મહુવા ભાજપમાં ભડકો થયો હતો. ક્ષત્રિય સમાજે ભાજપ સામે ખુલ્લેઆમ વિરોધ નોંધાવ્યો. મહુવા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના તમામ સભ્યો, ભાજપના કાર્યકરો અને આગેવાનો સહિત 300થી વધુ સભ્યોએ સામુહિક રાજીનામા આપ્યા છે. આર.સી મકવાણાની ટિકિટ કાપી શીવા ગોહિલને ટિકિટ આપતા ભાજપના આગેવાનો અને રાજપૂત ક્ષત્રિય સમાજે વિરોધ નોંધાવ્યો હતો.
મહુવા શહેર ભાજપ સંગઠન, ગ્રામ્ય સંગઠન, શહેર યુવા મોરચો તેમજ નગરપાલિકાના કાઉન્સિલરો સહિતના ભાજપના કાર્યકરોએ નારાજગી વ્યક્ત કરી સામૂહિક રાજીનામાં આપ્યા છે. વર્તમાન ધારાસભ્ય આર.સી મકવાણાના સમર્થનમાં 400થી વધુ કાર્યકરોએ રાજીનામાં ધરી દીધા છે. મહુવામાં નવા ચહેરા તરીકે શીવાભાઈ ગોહિલનું નામ જાહેર થતા ભાજપમાં આંતરિક વિવાદ શરૂ થયો છે. ભાજપના યુવા કાર્યકરો તેમજ હોદ્દેદારોના રાજીનામાં ભાજપ જિલ્લા પ્રમુખ મુકેશ લંગાળીયાને આપ્યાં છે.
વણઝારા સામે વિરોધ
ભાજપને મદદ કરવા માટે જાણિતા એવા ગુજરાતમાં પૂર્વ IPS ડી.જી. વણઝારાએ રાજકીય પાર્ટીની જાહેરાત કરતાં જ વિરોધનો વંટોળ શરૂ થયો છે. વણઝારા સમાજના આગેવાનોએ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ડી.જી. વણઝારા સાથે સમસ્ત સમાજ નથી, અમે ભાજપ સાથે છીએ. ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠક પર ભાજપમાંથી વણઝારા સમાજ દ્વારા દાવેદારી થઈ શકે છે.
ગૌરવ યાત્રા
ગૌરવ યાત્રા સામે પ્રજામાંથી જ્યાં જ્યાં વિરોધ થયો છે. ત્યાં ભાજપને બેઠક જીતવી મુશ્કેલ છે. આવી 22 બેઠકો છે.
10 બેઠક
ગાંધીનગરમાં પ્રજાપતિ સમાજની બેઠક મળી તેમાં ભાજપમાંથી 10 ટિકિટો આપવામી માંગણી કરાઈ હતી. નહીં આપવામાં આવતાં વિરોધ થઈ રહ્યો છે. ગુજરાતમાં પ્રજાપતિ સમાજના 40 લાખ મતદારો છે. રાજ્યમાં 42 બેઠકો પ્રજાપતિ સમાજ પ્રભાવિત અને 30 બેઠકો પર સમાજ નિર્ણાયક ભૂમિકામાં છે.
મુખ્ય પ્રધાને 33 જ્ઞાતીઓના સંમેલનો બોલાવ્યા હતા.
આ ઉપરાંત અગાઉ પણ અનેક સમાજ દ્વારા પોતાના સમાજને ટિકિટ ફાળવવાની માંગ કરવામાં આવી હતી. જેથી આ વખતે ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થાય તો નવાઇ નહિ! અગાઉ રાજકોટમાં OBC સમાજ દ્વારા ટિકિટની માંગ કરવામાં આવી હતી. કોળી સમાજને પણ તક આપવા માંગ ઉઠી હતી.
વધુમાં જામનગર ગ્રામ્યમાં સતવારા સમાજે ટિકિટની માંગ ઉઠાવી હતી. આમ લગભગ મોટા ભાગની બેઠક પર અનેક સમાજ દ્વારા ટિકિટની માંગ કરાઇ હતી. પણ ભાજપે ન આપતાં વિરોધ થઈ રહ્યો છે.
નરોડા
અમદાવાદની નરોડા બેઠક ઉપર પાયલ કુકરાણીને ટિકિટ મળતા ભાજપમાં નારાજગી જોવા મળી રહી છે. તેમણે ઉમેદવાર સિંધી હોવા છતાં OBCમાં લગ્ન કર્યા હોવાથી કાર્યકર્તાઓમાં નારાજગી છે. પાયલ કુકરાણીએ લગ્ન થયા હોવા છતાં માહિતી છુપાવી છે. મોટા કાર્યકર્તાઓમાં મનદુઃખ છે. ભાજપના ધારાસભ્યએ જાહેર કર્યું હતું કે, હું સી.આર.પાટીલને પૂછીશ કે મારાથી શુ ભૂલ થઈ ગઈ.
પક્ષાંતર
ભાજપે 12 કલાક પહેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા નેતાને સીટ આપી દીધી છે. અર્થાત જે સીટો પર કોંગ્રેસ મજબૂત છે તેવી સીટો પરના કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં ટિકિટ આપી છે. જો ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદ ન કરે તો સરકાર બનાવી શકે તેમ નથી. તેથી મોદી અને અમિત શાહ આવું કરે છે.
પક્ષાંતર નડશે
કોંગ્રેસના નેતાઓને ભાજપમાં પક્ષાંતર કરાવીને પોતાનો ઘટી રહેલો જનાધાર છૂપાવે છે. 2017માં 99 ધારાસભ્યોમાંથી 22 ધારાસભ્યોનું ગોત્ર કોંગ્રેસ હતું. 2017 પછી બીજા 27 ધારાસભ્યોનું કોંગ્રેથી ભાજપે પક્ષપલટો કરાવ્યો હતો. 20 વર્ષમાં 65 ધારાસભ્યોનું – નેતાઓનું પક્ષાંતર કરાવીને વિરોધી વિચારો હોવા છતાં ભાજપે લીધા છે. આ માટે કરોડો રૂપિયાની લાંચ આપી હોવાના આરોપો ભાજપના નેતાઓ પર મૂકાયા હતા.
ચૂંટણી પહેલા પક્ષપલટુ
ભાજપ પાસે મજબૂત અને જીતી શકે તેવા ધારાસભ્યોનો અભાવ હોવાથી કોંગ્રેસના મજબૂત 300 જેટલાં નેતાઓને ભાજપમાં લેવામાં આવ્યા છે. ચૂંટણી ટાણે કોંગ્રેસ પાસેથી પક્ષપલટો કરવાની ભાજપની સરકાર રચવાની ચાલ રહી છે. જે પ્રજામાં હવે મુશ્કેલી ઊભી કરી શકે છે. મોદી અને શાહ ગુજરાતમાં સંગઠન અને સરકાર મજબૂત હોવાના દાવાઓ કરે છે, તો પછી ઉછીના ધારાસભ્યો કેમ લેવા પડે છે. ભાજપનો એમનો કોંગ્રેસ વિના ઉદ્ધાર નથી. ચૂંટણી પહેલાં કોંગ્રેસના નેતાઓને નિયમો નેવે મૂકી ભાજપમાં પગપેસારો કરે છે.
ઝાલોદના કોંગ્રેસના ધારાસભ્ય ભાવેશ કટારાને ભાજપમાં લાવી તુરંત ટિકિટ અપાઈ છે. ધારાસભ્ય મોહનભાઇ રાઠવા અને ભગવાન બારડને કોંગ્રેસથી આયાત કરીને તુરંત ટિકિટ આપી દેવામાં આવી છે.
કોંગ્રેસ કારણે ભાજપ
ભૂપેન્દ્ર પટેલ અને રૂપાણી સરકારને 5 વર્ષ મૂળ કોંગ્રેસીઓએ ટકાવી રાખી છે. રાજ્યમાં 92થી ઓછા ધારાસભ્યો હોય તો સરકાર અલ્પમતમાં આવી જાય પણ 2017માં 99 બેઠકો મળી હતી. ત્યારે વડોદરાના ધારાસભ્યોએ પક્ષ સામે બળવો કર્યો હતો. જેને દબાવી દેવામાં આવ્યો અને પછી કોંગ્રેસના 22 ધારાસભ્યોને ભાજપમાં ખરીદીને લાવવાનું આયોદન દિલ્હીથી કરાયું હતું. તે આ ચૂંટણીમાં કોંગ્રેસના ગોત્રના ભાજપમાં 22 ધારાસભ્યોને પડશે.
31 કોંગ્રેસનું ગોત્ર
આમ હાલમાં ભાજપમાં 31 ધારાસભ્યો માત્ર કોંગ્રેસના છે. એમાયે આજે દિલ્હીથી જે 160 ઉમેદવારો જાહેર થયા છે એમાં 12 કોંગ્રેસી મૂળના ધારાસભ્યોને 2022 માટે પણ ટિકિટ અપાઈ છે. આમ ભાજપ સરકાર અને સંગઠનની વાતો ભલે કરે પણ પાયાની સૂઝ અને ગ્રામીણ સ્તરે લોકોને આકર્ષી મતમાં કન્વર્ટ કરવાની તાકાત જે કોંગ્રેસ પાસે છે એટલી ભાજપ પાસે પણ નથી. છેલ્લા 27 વર્ષથી ભલે ભાજપની સરકાર હોય પણ આજે પણ મોદી અને શાહને કોંગ્રેસનો ડર લાગે છે એટલે જ ભાજપનું કોંગ્રેસીકરણ થઈ ગયા બાદ પણ કોંગ્રેસના નેતાઓને કેસરિયો પહેરાવામાં ભાજપ તલપાપડ રહે છે. કોંગ્રેસથી ભાજપમાં પક્ષાંતર કરે તો તેને તુરંત ટિકિટ આપી દેવામાં આવે છે.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણી: ભાજપે વધુ 6 ઉમેદવાર જાહેર કર્યા, કુતિયાણાથી ઢેલીબેન ઓડેદરાને ટિકિટ
ભાજપ બચાવો
ભાજપના જૂના કાર્યકરો ભાજપના કોંગ્રેસીકરણથી નારાજ છે. અહંકારમાં રાચતા સી.આર.પાટીલ અને અમિત શાહની જોડીએ એક જ નીતિ અપનાવી છે કે, કોંગ્રેસમાંથી ધારાસભ્યો લાવો. ભાજપ બચાવો. જે રીતે કોંગ્રેસના આયાતીઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે તે જોતાં લાગી રહ્યું છે કે, અમિત શાહ અને પાટીલે ગુજરાતને કોંગ્રેસમુક્ત કરવા ભાજપનું જ કોંગ્રેસીકરણ કરી નાખ્યું છે.
કોંગ્રેસના ધારાસભ્યોથી સરકાર
સામાન્ય મતદારોને એવો સવાલ થતો હોય કે ભાજપને એવી બધી શું જરૃર છે કે કોંગ્રેસના ગમે તે નેતાઓને પોતાના પક્ષમાં સ્થાન આપે છે. સામાન્ય મતદારો તો ઠીક ભાજપના કર્મઠ કાર્યકરોને પણ એ સમજાતુ નથી કે આવું શાને થાય છે. કોંગ્રેસના નેતોઆને પોતાનામાં ન સમાવે તો ભાજપની સરકાર બની જ ન શકે. ભાજપ કોંગ્રેસના નેતાઓને સમાવીને પોતાનો ઘટી રહેલો જનાધાર છૂપાવે છે.
વિચારધારા નહીં
ભાજપને બરાબર ખબર છે કે અત્યારે ભલે ધારાસભ્ય કોંગ્રેસમાંથી જીતી જાય પરંતુ પોતાની સ્થિતિ નબળી થાય ત્યારે એ ધારાસભ્યને કોંગ્રેસમાંથી સામ-દામ-દંડ-ભેદ-ભ્રષ્ટાચારના જોરે ખેંચી લાવે છે. વિચારધારાનો સૌથી વધારે ઢંઢેરો ભાજપ પીટે છે. ચૂંટણી વખતે ભાજપને વિચારધારા સાથે કંઈ લેવા-દેવા હોતું નથી. આજની તારીખે પણ હકીકત એ જ છે કે કોંગ્રેસની મદદ વગર ભાજપની સરકાર બની શકે એમ નથી.
Advertisement