પણજી: ગોવાના સીએમ પ્રમોદ સાવંતે કહ્યુ છે કે અભિનેત્રી અને ભાજપના નેતા સોનાલી ફોગાટની હત્યાનો કેસ CBIને સોપવામાં આવશે, તેમણે કહ્યુ કે અમે આ કેસને CBIને ટ્રાન્સફર કરી રહ્યા છીએ. રાજ્ય પોલીસને પુરો વિશ્વાસ છે પરંતુ સોનાલી ફોગાટના પરિવારની સતત માંગને કારણે આ કેસ CBIને સોપવામાં આવશે, જેની માટે હું ગૃહમંત્રીને પત્ર લખીશ. મહત્વપૂર્ણ છે કે સર્વ જાતીય ખાપ મહાપંચાયતે ભારતીય જનતા પાર્ટી (BJP)ની સરકારે પાર્ટીના નેતા સોનાલી ફોગાટના મોત મામલે 23 સપ્ટેમ્બર સુધી કેન્દ્રીય અન્વેષણ બ્યૂરો (CBI)ની તપાસની ભલામણ કરવાનું અલ્ટીમેટમ આપ્યુ હતુ. હિસારના જાટ ધર્મશાળામાં મહા પંચાયતનું આયોજ કરવામાં આવ્યુ હતુ. સોનાલી ફોગાટની દીકરી યશોધરા અને અન્ય સભ્યોએ પણ બેઠકમાં ભાગ લીધો હતો. સોનાલી ફોગાટ (43)ની ઓગસ્ટના અંતમાં ગોવા પહોચવાના કેટલાક કલાક બાદ મોત થયુ હતુ. શંકાસ્પદ પરિસ્થિતિમાં થયેલા મોતની તપાસ કરવામાં આવી રહી છે.
Advertisement
Advertisement
મહા પંચાયતમાં નિર્ણય થયો કે જો સરકાર કેસની સીબીઆઇ તપાસ કરાવવામાં નિષ્ફળ રહે છે તો 24 સપ્ટેમ્બરે આવી જ એક બેઠકનું આયોજન કરવામાં આવશે. આખા હરિયાણા અને અન્ય રાજ્યના ખાપ પ્રતિનિધિ 24 સપ્ટેમ્બરે બેઠકમાં ભાગ લેશે અને કડક નિર્ણય કરશે. મહા પંચાયતમાં 15 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી હતી જેમાં સોનાલી ફોગાટના પરિવારના પાંચ સભ્ય પણ સામેલ છે. યશોધરાએ કહ્યુ કે મારી માતાને ન્યાય અપાવવા માટે મારૂ સમર્થન કરો. બેઠકમાં યશોધરાએ સીબીઆઇ તપાસની માંગ કરી હતી.
સોનાલી ફોગાટના મોત કેસમાં ગોવા પોલીસ તપાસ કરી રહી છે, તેણે હિસાર, રોહતક અને ગુરૂગ્રામ સહિત હરિયાણામાં રેડ કરી હતી. ફોગાટના પરિવારના સભ્ય કેસમાં સીબીઆઇ તપાસની માંગ પર અડ્યા છે અને કહી રહ્યા છે કે તે ગોવા પોલીસની તપાસથી અસંતુષ્ટ છે. સોનાલી ફોગાટના પરિવારના કેટલાક સભ્યોએ પહેલા કહ્યુ હતુ કે જો ગોવા સરકાર મુખ્ય તપાસ એજન્સી પાસે તપાસની ભલામણ નથી કરતી તો તે કેસમાં સીબીઆઇ તપાસનો અનુરોધ કરતા એક કોર્ટ સમક્ષ અરજી દાખલ કરશે. સોનાલી ફોગાટ અને તેના સાથીઓએ 22 અને 23 ઓગસ્ટ દરમિયાન રાત્રે ગોવાની કર્લીઝ રેસ્ટોરન્ટમાં પાર્ટી કરી હતી.
મહત્વપૂર્ણ છે કે ટિકટૉકથી પ્રસિદ્ધિ મેળવનારી સોનાલી ફોગાટને ગોવા પહોચ્યાના એક દિવસ બાદ 23 ઓગસ્ટે ઉત્તરી ગોવા જિલ્લાના એક હૉસ્પિટલમાં મૃત અવસ્થામાં લાવવામાં આવી હતી. ગોવા પોલીસે હત્યા કેસમાં અત્યાર સુધી આરોપી સુધીર સાંગવાન, એક અન્ય સહયોગી સુખવિંદર સિંહ અને ત્રણ અન્યની ધરપકડ કરી છે. આ પહેલા સોનાલીના ભાઇ રિંકૂ ઢાકાએ કહ્યુ કે જો સરકારે CBI તપાસની ભલામણ કરવાનો નિર્ણય કર્યો હોત તો ખાપ મહાપંચાયત આયોજિત કરવાની કોઇ જરૂર ના થાત. રિંકૂ ઢાકાએ કહ્યુ કે તેનો પરિવાર ગોવા પોલીસની તપાસથી સંતૃષ્ટ નથી.
Advertisement