નવી દિલ્હીઃ રાહુલ ગાંધીની બ્રિટન મુલાકાત અગાઉથી જ વિવાદોમાં ઘેરાયેલી રહી છે. ભાજપા નેતાઓ ભારત સરકાર અને આરએસએસ અંગેના રાહુલ ગાંધીના નિવેદનોનો વિરોધ કરી રહ્યા છે. તેમના નિવેદનોની અસર સંસદના બજેટ સત્રમાં પણ જોવા મળી રહી છે. દરમિયાન, ભાજપા નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે રાહુલ ગાંધી વિરુદ્ધ દેશદ્રોહનો કેસ નોંધવાની માગણી કરી છે.
Advertisement
Advertisement
લોકસભા અધ્યક્ષને કાર્યવાહી કરવા અનુરોધ
ગિરિરાજ સિંહે કહ્યું કે રાહુલ ગાંધી વિદેશ જઈને સંસદ વિશે નિવેદનો આપે છે તેથી તેમની સામે દેશદ્રોહનો કેસ દાખલ કરવો જોઈએ. તેમણે લોકસભા અધ્યક્ષ સમક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ કાર્યવાહી હાધ ધરવાની માગણી કરી હતી.
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે વધુમાં કહ્યું કે જ્યારે દેશની બહાર કોઈ વ્યક્તિ પ્રધાનમંત્રીનું અપમાન કરે છે ત્યારે તે દેશનું અપમાન કરે છે. જે લોકો લોકસભામાં કલાકો સુધી વક્તવ્ય આપે અને વિદેશમાં જઈને કહે કે તેમને બોલવા દેવામાં આવતા નથી, તેના પર લોકસભા અધ્યક્ષે કાર્યવાહી કરવી જોઈએ. જે રીતે લોકશાહી અને દેશનું અપમાન કરે છે, તેઓ ટુકડા-ટુકડા ગેંગની ભાષા બોલે છે.
PM મોદી પણ કરી ચૂક્યા છે ટીકા
એક દિવસ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના હુબલીમાં એક જાહેરસભાને સંબોધતા લંડનમાં રાહુલ ગાંધીના નિવેદન પર નિશાન સાધ્યુ હતું. તેમણે કહ્યું કે ભારત માત્ર સૌથી મોટી લોકશાહી જ નહીં પરંતુ, લોકશાહીની જનેતા છે. થોડાં વર્ષ પહેલા મને લંડનમાં ભગવાન બસવેશ્વરની પ્રતિમાનું લોકાર્પણ કરવાની તક મળી તે મારું સદનસીબ છે… પરંતુ દુર્ભાગ્ય એ છે કે લંડનમાં જ ભારતની લોકશાહી પર સવાલ ઉઠાવવાનું કામ થયું, દુનિયાની કોઈ તાકાત ભારતની લોકશાહીની પરંપરાઓને નુક્સાન પહોંચાડી શકે તેમ નથી. તેમ છતાં કેટલાંક લોકો ભારતની લોકશાહી અંગે સતત પ્રશ્રો ઉઠાવી રહ્યા છે.
Advertisement