નવી દિલ્હી: બિલકિસ બાનો કેસમાં દોષીઓને સમય પહેલા છોડવા મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલા જસ્ટિસ બેલા ત્રિવેદીએ ખુદને અલગ કરી દીધા હતા. આ કેસમાં સુપ્રીમ કોર્ટની ડબલ બેન્ચમાં જસ્ટિસ બેલા ત્રિવેદી અને જસ્ટિસ અજય રસ્તોગીને સુનાવણી કરવાની હદતી.
Advertisement
Advertisement
જેવા જ જસ્ટિસ અજય રસ્તોગી અને જસ્ટિસ બેલા ત્રિવેદી સામે કેસ આવ્યો તો જસ્ટિસ રસ્તોગીએ કહ્યુ કે તેમના સાથી જજ આ કેસની સુનાવણી કરવા માંગતા નથી. જસ્ટિસ રસ્તોગીની અધ્યક્ષતા ધરાવતી બેંચે આદેશ આપ્યો કે આ કેસને એવી બેંચ સામે લિસ્ટ કરો જેમાં અમારામાંથી કોઇ સભ્ય ના હોય. બેંચે જસ્ટિસ ત્રિવેદીના સુનાવણીથી અલગ થવાનું કોઇ કારણ જણાવ્યુ નહતુ.
બિલકિસ તરફથી હાજર રહેલા વકીલ શોભા ગુપ્તાએ કહ્યુ કે સુપ્રીમ કોર્ટમાં શીયાળુ સત્રની રજા પડવાની છે. બેંચે જોકે કહ્યુ કે કોર્ટ પહેલા જ આ મામલે હસ્તક્ષેપ કરી ચુક્યુ છે અને જવાબી સોગંદનામુ પણ દાખલ કરવામાં આવ્યું છે. બેંચે તે દલીલોની એક બેંચનો ઉલ્લેખ કરી રહી હતી જે પહેલા જ સુપ્રીમ કોર્ટ સામે પેન્ડિંગ છે અને જસ્ટિસ અજય રસ્તોગીની અધ્યક્ષતા ધરાવતી બેંચ દ્વારા સુનાવણી કરવામાં આવી રહી છે. કોર્ટે 25 ઓગસ્ટ 2022માં પ્રથમ અરજી પર નોટિસ જાહેર કરી હતી, જ્યારે પૂર્વ CJI એનવી રમનાની આગેવાની ધરાવતી બેંચે આ કેસની સુનાવણી કરી હતી.
સમય પહેલા છોડવા વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી
મહત્વપૂર્ણ છે કે 2002માં ગુજરાત રમખાણ દરમિયાન ગોધરામાં બિલકિસ બાનો સાથે ગેન્ગરેપ કરવામાં આવ્યો હતો, તેના પરિવારના સાત સભ્યોની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં રાજ્ય સરકાર દ્વારા તમામ 11 દોષીઓને સમય પહેલા છોડવામાં આવ્યા હતા. બિલકિસ બાનોએ સુપ્રીમ કોર્ટમાં બે અરજી દાખલ કરી હતી. પ્રથમ અરજીમાં તેમણે એક દોષીની અરજી પર સુપ્રીમ કોર્ટના 13 મે, 2022ના આદેશની સમીક્ષાની માંગ કરી હતી. કોર્ટે પોતાના આદેશમાં ગુજરાત સરકારને 9 જુલાઇ, 1992ની એક નીતિ હેઠળ દોષીઓને સમય પહેલા છોડવાની અરજી પર વિચાર કરવા કહ્યુ હતુ.
બીજી અરજીમાં તેમણે ગુજરાત સરકારના દોષીઓને છોડવાના નિર્ણયને પડકાર આપ્યો હતો, જેની પર મંગળવારે જસ્ટિસ અજય રસ્તોગી અને જસ્ટિસ બેલા ત્રિવેદીની બેંચમાં સુનાવણી થવાની હતી પરંતુ જસ્ટિસ બેલા ત્રિવેદીએ ખુદને સુનાવણીથી અલગ કરી દીધા હતા.
ઓગસ્ટમાં 11 દોષીઓને છોડવામાં આવ્યા હતા
મુંબઇની એક વિશેષ સીબીઆઇ કોર્ટે 21 જાન્યુઆરી, 2008માં 11 લોકોને આજીવન કેદની સજા ફટકારી હતી, તેમની સજા બાદમાં બૉમ્બે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટે યથાવત રાખી હતી. આ વર્ષે આ કેસમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે ગુજરાત સરકારે પોતાની માફી નીતિ હેઠળ તમામ 11 દોષીઓને 15 ઓગસ્ટે ગોધરાની સબ જેલમાંથી છોડી મુક્યા હતા. આ તમામ લોકો જેલમાં 15 વર્ષ કરતા વધુનો સમય પૂર્ણ કરી ચુક્યા હતા.
Advertisement