ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે પોતાના મંત્રી મંડળ સાથે રાજ્યમાં નવી સરકારની રચના માટે રાજીનામું આપ્યુ હતુ. રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી છે. સોમવારે તેમના શપથ ગ્રહણ સમારંભ પહેલા ભાજપ વિધાયકની બેઠકમાં ફરી એક વખતે તેમણે આ પદ માટે નોમિનેટ કરવામાં આવશે.
Advertisement
Advertisement
ગુજરાતમાં ભાજપ વિધાયક દળના નેતા પસંદ થયા બાદ સાંજે 4 વાગ્યે ભૂપેન્દ્ર પટેલ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ સાથે દિલ્હી જશે. દિલ્હીમાં પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને સંગઠન મહાસચિવ બીએલ સંતોષ સાથે મુલાકાત કરશે. શપથગ્રહણ સમારંભનું આમંત્રણ આપવાની સાથે સાથે ગુજરાત મંત્રી મંડળની રચના પર પણ ચર્ચા થશે. સાથે જ ગુજરાત મંત્રી મંડળને કેન્દ્રીય નેતૃત્વ લીલી ઝંડી પણ બતાવશે.
ભાજપે ગુજરાતમાં 182 સભ્યની વિધાનસભામાં રેકોર્ડ 156 બેઠક જીતીને ઐતિહાસિક જીત મેળવી હતી. ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર પાટિલ અને પાર્ટીના ખાસ નેતા પંકજ દેસાઇની સાથે ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને પોતાનું રાજીનામું સોપ્યુ હતુ. આ માત્ર એક ઔપચારિકતા હતી કારણ કે પાર્ટી પહેલા જ જાહેરાત કરી ચુકી છે કે ચૂંટણી પહેલા ભૂપેન્દ્ર પટેલ જ રાજ્યના મુખ્યમંત્રી બનશે.
રાજ્ય ભાજપ પ્રમુખ સીઆર પાટીલે કહ્યુ કે ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં મુખ્યમંત્રી રહેશે અને તેમનો શપથગ્રહણ સમારંભ સોમવારે યોજાશે. પંકજ દેસાઇએ રાજભવનની બહાર મીડિયા સાથે વાત કરતા કહ્યુ, રાજ્યપાલે મુખ્યમંત્રી અને તેમના મંત્રી મંડળનું રાજીનામું સ્વીકાર કરી લીધુ છે. નવી સરકારની રચના સુધી ભૂપેન્દ્ર પટેલ કાર્યવાહક મુખ્યમંત્રી બન્યા રહેશે. એક પત્રમાં સીઆર પાટિલે રાજ્યપાલને જાણ કરી કે બાજપ જેને 182માંથી 156 બેઠક જીતી છે. એક નવો નેતા પસંદ કરવા માટે શનિવાર સવારે તમામ ચૂંટાયેલા ધારાસભ્યની વિધાયક દળની બેઠક બોલાવી છે.
Advertisement